SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર - ૫૩૯, ૫૪૦ જે કોઈ ધર્મને સાંભળીને અત્યંત દુર્લભ બોધિલાભને પામીને, પહેલાં વિનય સંપન્ન થઈ જાય છે, નિર્ચન્હ રૂપે પ્રજિત થાય છે. પછી સુખની સ્પૃહાને કારણે સ્વચ્છદ વિહારી થઈ જાય છે... રહેવા માટે સારું સ્થાન મળી રહે છે, મારી પાસે વસ્ત્રો છે, મને ખાવા-પીવા મળી રહ્યું છે. અને જે થી રહ્યું છે, તેને હું જાણું છું. હે ભગવન / શાઓના અધ્યયન કરીને હું શું કરીશ? • વિવેચન - ૫૩૯, ૫૪૦ - જે કોઈ આ નિષ્ક્રાંત છે, તે કઈ રીતે પ્રવજિત છે, તે કહે છે - શ્રુત અને ચારિત્ર રૂપ ધનિ સાંભળીને, જ્ઞાન - દર્શન - ચારિત્ર અને ઉપચારરૂપ ચુક્ત તે વિનયયુક્ત થઈ અતિશય દુષ્પાપ્ય જિનપ્રણિત ધર્મપ્રાપ્તિરૂપ બોધિ પામીને, આના વડે ભાવ પ્રતિપતિથી આ પ્રજ્વજિત છે, તેમ કહેલ છે. તે પ્રવજન પછીના કાળે જે રીતે વિચારે છે. તે કહે છે - પહેલા સિંહ રૂપે પ્રવજિત થઈને, પછી જેમ જેમ વિકથાદિ કરણ રૂપ પ્રકારથી આત્માને સુખી માને છે. પછી શિયાળ વૃત્તિથી વિચરે છે, તે ગુરુ દ્વારા કે બીજા હિતેષી વડે અધ્યયન પ્રતિ પ્રેરિત થઈને જે કહે છે, તે આ છે - શય્યા - વસતિ, દેઢ - વાત, આતપ, જલાદિ ઉપદ્રવોથી અનભિભાવ્ય છે. પ્રાવણ - વર્ષાકલા આદિ, મારી પાસે છે. ભોજન અને પાણીને માટે અનુક્રમે અશન, પાન મળી રહે છે. - x- તો શા માટે, હે પૂજ્ય! હું આગમનું અધ્યયન કરું? - x x- માત્ર વર્તમાનને જોનારા જ આ પ્રમાણે કહે છે - મારી પાસે આ બધું છે, તો શા માટે હૃદય, ગળું, તાળવું શોષવનાર આ અધ્યયન કરવું જોઈએ? એ પ્રમાણે અધ્યવસાયવાળો જે છે, તે પાપભ્રમણ કહેવાય છે. - વળી - • સૂત્ર - પ૪૧ - જે કોઈ આમ પ્રજિત થઈને નિદ્ધાશીલ રહે છે, ઇચ્છાનુસાર આઈપીને સુખે સુખે સુઈ જાય છે, તે પપશ્રમણ કહેવાય છે. • વિવેચન - ૫૧ - જે કોઈ પ્રવજિત નિદ્રાલ રહે, ઘણાં દહીં-ભાત આદિ ખાને કે તક આદિ પીને, જેમ સુખ ઉપજે તેમ સર્વ ક્રિયા અનુષ્ઠાનથી નિરપેક્ષ થઈને સૂઈ રહે છે, ગ્રામ આદિ વસતિમાં રહે છે, તે પાપભ્રમણ કહેવાય છે. આ પ્રમાણે માત્ર ન ભાણવાથી જ પાપભ્રમણ નથી કહેવાતો. - વળી - • સૂત્ર • પર - જે આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી શુત અને વિનય ગ્રહણ કરેલ છે, તેમની જ નિંદા કરે છે, તે બાલને પાપભ્રમણ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy