SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/૪૩૪ ૧૪૩ જેમ હંસ પ્રતિકુળ ગમન કરવામાં અશક્ત છે, તે પ્રમાણે તમે પણ દુરનુચર સંયમ ભારને વહન કરવામાં અસમર્થ થઈ રહી સહોદરોનું કે ભોગોનું સ્મરણ કરશો. તેના કરતાં મારી સાથે ભોગોને ભોગવો. આ ભિક્ષાચર્ચા અને ગ્રામાદિમાં અપ્રતિબદ્ધ વિહાર, ઉપલક્ષણથી દીક્ષા દુઃખહેતુક જ છે. પછી પુરોહિતે કહ્યું - • સૂત્ર - ૪૫, ૪૬ • હે ભવતિ જેમ સાંપ પોતાના શરીરની કાંચળીને છોડીને મુક્તમનથી ચાલે છે, તેમ જ બંને પુત્રો ભોગોને છોડીને જઈ રહ્યા છે. તો હું એકલો રહીને શું કરું? તેમનું અનુગમન શાં માટે ન કરું? રોહિત મસ્જ જેમ નબળી જળને કાપીને બહાર નીકળી જાય છે, તેમ ધારણ કરેલા રતર સંયમ ભારને વહન કરનાર પ્રધાન તપસ્વી વીર સાધક કામગણોને છોડીને ભિક્ષારસનો સ્વીકાર કરે છે. • વિવેચન ૪૭૫, ૪૬ • હે ભવતિ હે ભોગિની ! શરીરમાં થયેલ તે તનુજ -સર્ષ, કાંચળી ઉતારીને, નિરપેક્ષ કે અનાસક્ત થઈને નીકળી જાય છે. તે પ્રમાણે આ તારા બંને પત્રો પ્રકર્ષથી ભોગોનો ત્યાગ કરીને જાય છે, તો હું શા માટે પ્રવજ્યા ગ્રહણ વડે તેને ન અનુસરું? શા માટે એકલો રહું? જો આ બંને કુમારોને આટલો વિવેક છે, જે કાચળી સમાન અત્યંત સહચરિત એવા ભોગોને સર્પની જેમ ત્યજી દે છે, તો પછી ભક્તભોગી એવો હું તેને કેમ ન ત્યજું? મારે અસહાયને ગૃહવાસથી શું લાભ? તીપુચ્છ વડે બે ભાગ કરીને જાળને જીર્ણત્વાદિથી નિસારની જેમ છેદીને રોહિત જાતીનો મસ્ત્ર નીકળી જાય છે. તે પ્રમાણે જાળ જેવો કામ ગુણોનો પરિત્યાગ કરીને ભારને વહેતા બળદની જેમ ગુરુતર ભાર વહન કરવાના સ્વભાવથી, અનાશનાદિ તપ વડે પ્રધાન સત્વવંતો જે રીતે ભિક્ષાચર્યાને સેવે છે ઉપલક્ષણથી વ્રતગ્રહણ કરે છે, તે પ્રમાણે હું આ જ વ્રતને ગ્રહણ કરીશ. આ પ્રમાણે પ્રતિબોધિત કરાયેલ બ્રાહાણી કહે છે : • સૂત્ર • ૪૭૭ - જેમ ઊંચ પક્ષી અને હંસો પારઘી દ્વારા ફેલાવાયેલ જાળને કાપીને આકાશમાં સ્વતંત્ર ઉડી જાય છે, તે પ્રમાણે જ મારા પુત્ર અને પતિ પણ છોડીને જઈ રહ્યા છે, એકલી રહેવા કરતા હું પણ કેમ તેને ન અનુસરું? • વિવેચન - ૪૭ - આકાશની જેમ, પક્ષિ વિશેષો તે-તે દેશોને ન ઉલંધીને, તે વિસ્તીર્ણ જાલ - બંધન વિશેષ રૂપને પોતાને માટે અનર્થ હેતુક જાણીને, તેને છેદીને ચોતરફથી ઉડી જાય છે. તેમ મારા બંને પુત્રો અને રો પતિ જાળની ઉપમા જેવી વિષય આસક્તિને ભેદીને નિરૂપલેપપણે સંયમ માર્ગમાં તે તે સંયમ સ્થાનોને અતિકામે છે, તો હું પણ કેમ તેનું અનુગમન ન કરું? અનુગમન કરીશ જ. મારે પણ પુત્ર કે પતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy