SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્રસટીક અનુવાદ/ર ચા જોઈને એને ઉક્ત રૂપ કામ ભોગોની અભિકાંક્ષાપણાથી મેં પૂર્વ જન્મમાં ભોગની આશંસારૂપ અશુભાનુબંધી કર્મ બાંધ્યું. કદાચિત બાંદીને પણ જો તેને પ્રતિકાંત કરેલ હોત તો? તેથી કહે છે - તે નિદાનનું મેં પ્રતિક્રમણ ન કર્યું અર્થાત્ તેનાથી હું નિવૃત ન થયો. તેથી તમેં ઘણું જ કહેવા છતાં મારા ચિત્તમાં તેની પ્રવૃત્તિ થઈ નહીં. આ આવું અનંતર કહેવાનાર કર્મોનું ફળ છે. તે કેવું છે? તે કહે છે - શ્રુતધર્માદિ ધર્મને જાણવા - સમજવા છતાં હું કામ ભોગોમાં મૂર્થિત છું તે આ કામભોગોમાં મૂર્ણના એ મારા નિદાન કર્મોનું ફળ છે, અન્યથા “જ્ઞાનનું કુળ વિરતિ' છે, તે જાણવા છતાં પણ ધમનિષ્ઠાન મને કેમ ન રૂહવે નિયાણાના ફળને જ ઉદાહરણથી દર્શાવતા કહે છે - • સૂત્ર - ૪૩૬ - જેમ દળદળમાં ફસાયેલો હાથી સ્થળને જોઈને પણ કિનારે પહોંચી શક્તો નથી. તેમ જ અમે કામ ભોગોમાં ઝાસક્રત જન જાણતા હોવા છતાં ભિસુમાર્ગનું અનુસરણ કરી શક્તા નથી. • વિવેચન - ૪૩૬ - તાગ - હાથી, જેમ કાદવવાળા જળમાં ખેંચી જાય, તે કદાચ જળરહિત એવા ભૂતલને જુએ છતાં, તેને પામી શક્તા નથી. આથી તે કિનારાને અથવા સ્થળને પામતા નથી. એ પ્રમાણે તે હાથીની માફક અમે ઉક્તરૂપ કામગુણોમાં મૂર્શિત થયેલા સાધુના સદાચાર લક્ષણ માર્ગને અનુસરી શક્તા નથી. અહીં પંકજળની ઉપમાથી કામભોગો કહ્યા. તેથી તેની પરતંત્રતાથી તેનો પરિત્યાગ કરી શક્તા નથી. મુનિમાર્ગને જાણવા છતાં પણ કાદવમાં ખૂંપેલા હાથીની માફક અમે નીકળવા સમર્થ નથી. ફરી અનિત્યતાના દર્શનને માટે મુનિ કહે છે - • સુત્ર - ૪૩૭ - હે રાજન ! સમય વ્યતીત થઈ રહ્યો છે, રાત્રિ દોડતી થઈ રહી છે. મનુષ્યોના ભોગો નિત્ય નથી. કામભોગ ક્ષીણ યુજવાળા વ્યક્તિને એવી રીતે છોડી દે છે, જે રીતે ક્ષીણ ફળવાળા વૃક્ષને પક્ષી છોડી દે છે. • વિવેચન - ૪૩૭ - યથા આયુષ કાળ અતિકામી રહ્યો છે. એમ કેમ કહ્યું? રાત્રિ અને ઉપલક્ષણથી આ દિવસ પણ જલ્દી જઈ રહ્યો છે. આના વડે જીવિતવ્યનું નિત્યત્વ કહ્યું. - - - અથવા આ કાળ અતિ જલ્દી જઈ રહ્યો છે એ કેમ જઈ રહ્યો છે? કેમ કે સાત્રિ જલ્દી પસાર થાય છે. વળી પરષોના ભોગો પણ શાશ્વત નથી. એ રીતે એવું કહેવા માંગે છે કે - માત્ર જીવિત જ અનિત્ય નથી, તેમ નહીં, ભોગો પણ અનિત્ય છે. • - કોની જેમ જેમ-જેના ફળો વિનાશ પામ્યા છે, તેવા વૃક્ષને પક્ષીઓ છોડી દે છે, તેમ ફળની ઉપમાથી પુન્ય, તે ચાલ્યા જતાં, વૃક્ષની જેમ પુરુષને, પક્ષીવત્ ભોગો છોડી દે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy