SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઉત્તરાધ્યયન મૂલસૂઝ-સટીક અનુવાદ પણ સમજીને ત્યાંથી રજા લીધી. પોતાનું નિવાસસ્થાન ભાગીરથીના કિનારે બનાવ્યું. ત્યાર પછી તેણે તે લાક્ષાગૃહ સુધી એક સુરંગ ખોદાવી, વરધનુને તે વાત જણાવી દીધી. બ્રહ્માદરના લગ્ન કરાયા, લાક્ષાગૃહમાં મોકલ્યા. જોયું તો રાત્રે બધું બળતું હતું. વધનુએ કહ્યું - તું ડરતો નહીં. મને મારા પિતા ધનુએ જ આ બધું જણાવેલું છે. • x- ૪- સુરંગના માર્ગેથી બચાવીને બ્રહ્મદતને સુરક્ષિત પણે બહાર કાઢી લીધો. બહાર બે પ્રધાન અશ્વો તૈયાર ખાયા હતા. તે બંનેને ધનુમંત્રીએ કહ્યું - આના ઉપર બેસીને દેશાંતર ચાલ્યા જાઓ અને દીર્ઘપૃષ્ઠથી તમારી રક્ષા કરો. શુભ અવસર જોઇને વરધનુએ બ્રહ્મદતને આકુલિત ચિતાથી ચુલનીના સર્વે છળકપટનો વૃત્તાંત જણાવી દીધો. અત્યારે તો અહીંથી નીકળી જવું જ શ્રેયસ્કર છે. બંને ત્યાંથી નીકળી ગયા. આ પ્રમાણે પ્રાપ્ત અવસર બ્રાહ્મદત્તનું વિધાન આલેખ્યું. પછી ત્યાં જે કન્યાઓનો લાભ થયો તેને જણાવવાને આ પાંચ ગાથા છે. • નિર્યુક્તિ • ૩૩૯ થી ૩૪૩ - વિવેચન બિ નામે પિતા હતા. તેની બે કન્યાઓ હતી, વિધુમ્માલા અને વિધુન્મતી. તથા ચિત્રસેનક પિતા તેની ભદ્રા નામે પુત્રી હતી. તથા પંથક પિતા અને નાગાજસા કન્યા હતા. તથા કીર્તિમતિ કન્યા અને તેના પિતા કીર્તિસેન હતા. તથા નાગદત્તા, યશોમતી અને રાવતી હતી. આ ત્રણેનો પિતા યક્ષહરિલ હતો. પછી કન્યા, તેનો પિતા ચાદ. પછી કાત્યાયન ગોત્રનો વૃષભ નામે પિતા અને તેની શિલા નામે કન્યા, તથા ધનદેવ નામે વણિદ્ અને બીજો વસુમિત્ર, અત્ય સુદર્શન અને દારુક. આ ચારે માયાપ્રધાન હતા. આ ચારે કુકડાના યુદ્ધના વ્યતિકરમાં મળ્યા. પુતી નામની કન્યા. પિંગલા નામે કન્યા, તેનો પિતા પોત. સાગરદત્ત વણિકુ તેની પુત્ર દીપશિખા. કાંડિલ્ય પિતા અને તેની પુત્ર મલયવતી. વનરાજી નામે કન્યા, તેના પિતા સિંધુદત તથા તેની જ બીજી સોમા નામે કન્યા. તથા સિંધુસેન અને પ્રધુમ્નસેન તેમને અનુક્રમે વાનર નામની અને પ્રતિકા નામે કન્યા હતી. તથા હરિકેશા, ગોદત્તા, કરેણુદત્તા અને કરેણુપદિકા તથા કુંજરસેના અને કરેણુસેના. મહષિવૃદ્ધિ અને કુરુમતી દેવી. આટલી કન્યા સાથે બ્રહ્મદત્ત પરચ્યો. તેણે કુરુમતીને સ્ત્રીરન રૂપે પ્રાપ્ત કરી. - x x• • હવે જે સ્થાનોમાં બ્રહ્મદત ભટક્યો, તે સ્થાનોના નામો જમાવે છે - • નિર્યુક્તિ - ૩૪૪ થી ૩૫૪ - વિવેચન અહીં અગિયાર ગાથા છે, આની પણ તે પ્રમાણે વ્યાખ્યા કરવી. કાંપિલ્યપુર, જ્યાં આનો જન્મ થયો. પછી બંને (બ્રહ્મદર અને વરધનું) ગિરિતટક સંનિવેશમાં ગયા. ત્યાંથી ચંપા નગરી, પછી હસ્તિનાપુર, ત્યાર પછી સાકેત નગરે, સાકેત પાસેના કટકમાં, પછી મંદિ નામના સંનિવેશમાં ગયા. પછી આવાયાનક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy