________________
૧૦૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ઘરોમાં ભ્રમણ કરે છે. પણ તમારી જેમ મનિઓ રાંધવું આદિ આરંભમાં પ્રવૃત્ત નથી. તેથી પરમાર્થથી તો તેઓ જ વંદના અર્થને જાણે છે. કેમકે ત્યાં પણ શૈક્ષવૃત્તિથી જ સમર્થિતપણે છે. તેથી વેદાનુવાદી કહે છે - “માધુકરી વૃત્તિને માટે” કુળોમાં પણ વિચરે. • -
અથવા - ઉચ્ચ અને નીચ અથત વિકૃષ્ટ અને અવિકટ પણાથી વિવિધ પ્રકારના તપો છે. અથવા ઉચ્ચવતો તે બાકીના વ્રતોની અપેક્ષાથી મહાવ્રતો છે. જે વ્રતો મુનિઓ ચરે છે - સેવે છે. વળી તમે અજિતેન્દ્રિય પણ નથી અથવા અશીલો છે તે જ મુનિ લક્ષણ ક્ષેત્ર શોભન છે.
એ પ્રમાણે યક્ષે અધ્યાપકને નિર્મુખી કરાયેલો જોઈને, તેના છાત્રો ત્યારે આ પ્રમાણે બોલ્યા કે
• સૂત્ર - ૩૭૫ -
રામારી સામે પ્રાધ્યાપકો સામે પ્રતિકૂળ બોલનારા હે નિન્જ ! તું શું બકવાસ કરે છે ? આ અન્ન-જળ ભલે સડીને નષ્ટ થઈ જાય, પણ અમે તને નહીં આપીએ.
• વિવેચન - ૩૭૫ -
અધ્યાપન કરાવે - ભણાવે તે અધ્યાપક - ઉપાધ્યાય, તેમની પ્રતિકૂળ બોલે છે, તે પ્રતિકૂળભાવી. પ્રકર્ષથી બોલે છે, તમને ધિક્કાર છે. અમે ક્ષમા કરીશું કે નહીં કે જે તું અમારી સમીપે આ પ્રમાણે બોલે છે. આ અન્ન પાન જે દેખાઈ રહ્યા છે તે ભલે કોહવાઈ જાય, સ્વરૂપથી હાનિને પામે સડી જાય, પણ તને આપીશું નહીં. હે નિર્ગળ્યા નિકિંચન ! તું ગુરુ પ્રત્યનિક છે. અર્થાત્ જો પ્રત્યેનીક ન હોત તો કદાચ અનુકંપાથી કંઈક અંતપ્રાંત અમે આપત. ત્યારે યક્ષે તેને કહ્યું -
• સૂત્ર - ૩૬ -
હું સમિતિમાં સુસમાહિત છું ગુણિયથી ગુમ છું, જિતેન્દ્રિય છું. જ એષણીક હાર જે તમે મને નથી આપતા, તો આ જ યજ્ઞોનો તમને શું લાભ થશે ?
• વિવેચન - ૩૬ -
સમિતિ - ઇસમિતિ આદિ મારામાં સારી રીતે સમાહિત છે. ગુપ્તિ - મનોમુક્તિ આદિ વડે ગુતિવાન, જિતેન્દ્રિય છું. જો મને એટલે કે વ્યવહિત ક્રિયા પ્રતિ સમાહિતને તમે નહીં આપો, શું? આ એષણાવિશુદ્ધ અન્ન આદિ કંઈ નહીં આપો તો આજે આ જે યજ્ઞ છે, તે આ બ્ધ યજ્ઞનું અથવા હે આર્યો ! યજ્ઞોનું પુન્યપ્રાતિરૂપ ફળ તમને કંઈ નહીં મળે. કેમકે પાત્રમાં દાનથી જ વિશિષ્ટ પુન્ય પ્રાપ્તિ થાય છે, અન્યત્ર તથાવિધ ફળના અભાવથી દેવાય તો હાનિ જ થવાની. કેમકે અપાત્રને દેવથી માત્ર નાશ જ થવાનો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org