SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ૫ ૧૨/૩૬ અનુરૂપ જ થયા કે નહીં? ના, જ્ઞાનાદિ ગુણ પ્રધાન થયા. અથવા અનુત્તર ગુણવાળા થયા. પ્રફર્ષ પ્રાપ્ત જ્ઞાનાદિ ગુણના ધારક કે અનુસાર ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયા અને રહ્યા તે પણ અન્યથા થયા. કોણ? હરિકેશ બલ. તેનું મુનિત પ્રતિજ્ઞા માત્રથી પણ હોય, તેથી કહે છે - ભકબૂ - પ્રતિજ્ઞાત અનુષ્ઠાન વડે સુધાને કે આઠ પ્રકારના કર્મોને ભેટે છે માટે ભિક્ષ વશીકૃત કરેલ છે સ્પર્શન આદિ ઇંદ્રિયો, તેથી જિનેન્દ્ર • સૂત્ર - ૩૬૧ - તેઓ ય, એષણા, ભાષા, ઉદાર, આદાન-નિક્ષેપ સમિતિ એ પાંચમાં યત્નશીલ અને સુસમાધિસ્થ સંયમી હતા. - વિવેચન - 3૬૧ - ચાલવું તે ઇય, શોધાય તે એષણા, બોલાય તે ભાષા, ઉચ્ચાર એટલે મળ - મૂત્રની પરિષ્ઠાપના, તે વિષયક સમિતિ - સગર્ ગમન, તેમાં સમ્યક્ રીતે પ્રવર્તવું તે. તેમાં ચહ્નવાન. આદાન - ગ્રહણ, પીઠ-ફલકાદિનું. ઉનાક્ષેપ - સ્થાપના, તે આદાન નિક્ષેપ - ૪- એ રીતે ઈચ સમિતિ આદિ પાંચે સમિતિ, યુક્ત, સંયમવાળા અને સુષ્ઠ સમાધિમાન થયા. • સૂત્ર - ૩૬૨ - મન - વચન - કાયાથી ગુપ્ત અને જિતેન્દ્રિય મુનિ ભિક્ષા યજ્ઞમંડપમાં ગયાં કે જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા. વિવેચન - ૩૬૨ - મનના નિયંત્રણ રૂપથી ગુમ - સંવૃત્ત તે મનોગત. અથવા જેનું મન ગુપ્ત છે તે. એ પ્રમાણે વાગ્યુપ્ત - વાણીનો પ્રસાર નિરુદ્ધ કરેલ. કાયગુપ્ત એટલે અસત્ કાચ ક્રિયા રહિત. જિતેન્દ્રિય શબ્દનું ફરી ગ્રહણ અતિશય જણાવવાને માટે છે. ભિક્ષાર્થે ગયા અર્થાત નિપ્રયોજન નહીં, કેમકે તેનો નિષેધ છે. ભઈજ્જ - બ્રાહમણોનું વજન જેમાં છે તે યજ્ઞ માટે ગયા. તેને ત્યાં આવતા જોઈને ત્યાંના લોકોએ જે કર્યું તે કહે છે - • સૂત્ર - ૩૬૩ - તપથી તે મુનિનું શરીર સુકાઈ ગયેલું, ઉપાધિ અને ઉપકરણ પણ પ્રાંત હતા. એવા મુનિને આવતા જોઇને અનાય તેનો ઉપહાસ કરે છે. • વિવેચન - ૩૬૩ - બલ મુનિને આવતા જોઈને, કેવા મુનિ ? છઠ્ઠ, અઠ્ઠમાદિ રૂપ તપથી ચોતરફથી શોષિત • માંસ અને લોહી સુકાઈ ગયા યાવત્ કૃશ થઈ ગયેલા. તથા પ્રાંત - જીર્ણ, મલિનત્વાદિ વડે અસાર ઉપધિ, તે જ ઉપકરણ એટલે ધર્મ અને શરીરના ઉપષ્ટભ હેતુ જેનો છે તે અથવા ઉપધિ એ જ ઉપકરણ - ઓપગ્રહિક, તે જોઈને હાંસી કરાય છે, જે આર્ય નથી તેવા અનાર્યો - પ્લેચ્છો, સાધુની નિંદા આદિ વડે અનાર્ય. તે અનાર્યો કેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy