________________
૮
૯
૧૧/૩૪૭ વડે ઉદગ્રતાથી દુરભિભવ છે, તેથી અન્યતીથી રૂપ મૃહસ્થાનીયોમાં પ્રવર છે.
• સૂત્ર - ૩૪૮ -
જેમ શંખ, ચક્ર, ગદાને ધારણ કરનાર વાસુદેવ અપરાજિત બળ વાળો સોદ્ધો હોય છે, તેમજ બહુત પણ અપરાજિત બળશાળી હોય છે.
• વિવેચન - ૩૪૮ -
જેમ તે વાસુદેવ પંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદ ગદાને વહન કરે છે તેથી શંખ ચક્ર ગદાધર થઈ બીજા વડે ખલના પમાડવી અશક્ય છે, સામર્થ્ય જેનું તેવો અપ્રતિહત બલ વાળે ચોદ્ધો - સુભટ હોય છે તે પ્રમાણે બહુશ્રુત પણ સ્વાભાવિક પ્રતિભા પ્રાગષ્યવાળો અને શંખાદિ માફક સભ્ય દર્શન-જ્ઞાન-શાસ્ત્રિ વડે યુક્ત ચોદ્ધો - કર્મવેરી પરાભવી થાય.
• સૂત્ર - ૩૯ -
જેમ મહાન ગઢિવાનું ચાતુરંત ચક્રવર્તી સૌદ રત્નોનો સ્વામી હોય છે, તેમજ બહુશ્રુત પણ ચૌદ પૂર્વાના સ્વામી હોય છે.
• વિવેચન • ૩૪૯ -
જેમ ચારે દિશા પર્યન્ત, એક તરફ હિમવાની અને ત્રણ દિશામાં સમુદ્ર, જેને છે તે ચતુરંત અથવા ચાર - ઘોડા, હાથી, થ, મનુષ્યરૂપ અંતશબુ વિનાશરૂપ જેને છે તે છ ખંડ ભરતનો અધિપતિ, મોટી સમૃદ્ધિવાળો, ચોદ રત્નો - સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, હાથી, ઘોડો, વર્ધિક, સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકણિ, ખગ, દંડ તેનો અધિપતિ હોય એ પ્રમાણે બહુશ્રુત પણ આસમુદ્ર પૃથ્વી મંડલ ઉપર ખ્યાતકીર્તિપણાથી ચાતુરંત કહેવાય છે. અથવા ચાર પ્રકારે દાનાદિ ધર્મ વડે કર્મવૈરીને વિનાશ કરવાથી ચાતુરંત, આમષધિ આદિ અદ્ધિવાન પ્રલાક આદિ લધિવાન, સકળ અતિશય નિધાન ચૌદ પૂર્વો રૂપી ચૌદરત્નો યુક્ત હોય છે.
• સૂત્ર - ૩૫ -
જેમ સહસ્રાક્ષ, વજપાણિ, પુરંદર, શક દેવોનો અધિપતિ હોય છે, તે પ્રમાણે બહુશ્રુત હોય છે.
• વિવેચન - ૩૫ -
જેને હજાર આંખો છે તે સહસાક્ષ, અહીં સંપ્રદાય એવો છે કે ઇંદ્રને ૫૦૦ મંત્રી દેવો હોય છે, તેમની બળે એટલે હજાર આંખો છે અથવા જે હજાર આંખો વડે જોવાય છે તે સહસ્રાક્ષ છે. વજ - તેનામનું આયુધ જેના હાથમાં છે તેવજપાણિ, લોકોક્તિથી પૂને દારણ કરવાથી પુરંદર, એવો તે શક્ર - દેવોનો સ્વામી છે તેવા બહુશ્રુત થાય છે તે પણ શ્રુતજ્ઞાન વડે સંપૂર્ણ અતિશય રક્તનિધાન તુલ્યતાથી હજારો લોચન હોય તેમ જાણે છે. પૂ નો અર્થ શરીર પણ થાય, તે વિકૃત તપ અને અનુષ્ઠાનથી કતને વિદારે છે તેથી પુરંદર છે. શક્રવત્ દેવો વડે ધર્મમાં અત્યંત નિશ્ચલતાથી પૂજાય છે ઇત્યાદિ. - x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org