________________
૧૦૩૦૬ થી ૩૧૦
૫ કરતા નથી તેવા શક, યવન, શબર આદિ દેશોમાં ઉભવ, તેમાં મનુષત્વ પામીને પણ પ્રાણી ઉત્પન્ન થાય છે. આ બધાં જ ધર્મ-અધર્મ, ગ-અગમ્ય, ભટ્સ-અભક્ષ્ય, આદિ બધાં જ આર્ય વ્યવહાર નિર્મચપ્રાય જ છે. એમ હોવાથી હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર,
આ રીતે આર્ય દેશમાં ઉત્પત્તિ રૂપ આર્યત્વ અતિ દુર્લભ છે, તો પણ કદાચ તે પ્રાપ્ત થઈ જાય. તો અવિકલ સ્પર્શનાદિ પાંચે ઇડ્યિો જેને છે તે અહીન પંચેન્દ્રિયતા દુર્લભ જ છે. હવે તેનો હેત કહે છે. વિકલ એટલે રોગાદિ વડે ઉપહત ઇંદ્રિયો, જેમાં તેનો ભાવ છે તે વિકલેન્દ્રિયતા દુ’ શબ્દ અનેકાર્થતાથી બહુભસૂચક છે, તેથી જે કારણે બાહુલ્યથી વિકસેન્દ્રિયતા દેખાય છે, તેથી દુર્લભ જ અહીન પંચેન્દ્રિયતા છે. તે કારણે હે ગૌતમ! સમયનો પણ પ્રમાદ ન કર,
તેથી અહીંના પંચેન્દ્રિયતા પણ ઉક્ત ન્યાયથી અતિ દુર્લભ છે તેમ કહીને જણાવે છે કે કદાચ જીવને તે પણ પ્રાપ્ત થઈ જાય, તો પણ ઉત્તમ જે ધર્મ, તેનું શ્રવણ ૩૫ તે ધર્મ શ્રુતિ તેનાથી પણ દુર્લભ છે. શા માટે ? કુલિત એવા જે તે તીર્થો તે કુતીર્થ - શાક્ય, ઉલ્કાદિ, તેને અનુષ્ક્રયપણાથી સ્વીકાર કરવાથી તે કુતીર્થકોને નિત્ય સેવે છે માટે કુતીર્થનિષેવક લોકો. કુતીર્થિકો જ યશ અને સત્કાર આદિની ઇચ્છાવાળા હોવાથી લોકોને જે પ્રિય છે તે વિષયક જ ઉપદેશ આપે છે, તેના તીર્થના કર્યા પણ આવા પ્રકારના જ હોય છે. - * - *- તેમને સેવનારને ઉત્તમ ધર્મશ્નતિ ક્યાંથી હોય ? એ પ્રમાણે તેનું દુર્લભત્વ વધારીને, ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર,
* ઉત્તમ ધર્મ વિષયત્વથી ઉત્તમ, ઉક્તિરૂપ શ્રતિ પ્રાપ્ત થાય તો પણ તેની શ્રદ્ધા • તત્પરૂચિ રૂપ થવી તે પણ દુર્લભ છે. તેનો હેતુ અહીં કહે છે. માત્ત્વ - અતત્વમાં પણ જે તત્ત્વની પ્રતીતિ, તેને જે સેવે છે તે મિથ્યાત્વ નિષેવક લોકો છે. અનાદિ ભવની અગસીતાથી કે ભારેકમપણાથી તેમાં જે પ્રાયઃ પ્રવૃત્તિ રહે છે. જો એમ છે, તો ગૌતમાં સમય માત્રનો પ્રમાદ ન કર.
વળી કહે છે - ઘર્મ તે પ્રકમથી સર્વજ્ઞ પ્રણિત લેવો. તેની શ્રદ્ધા કરતો હોવા છતાં - તેને કસ્વાના અભિલાષ હોવા છતાં દુર્લભ છે તેના કાયા એટલે શરીરથી અને ઉપલક્ષાણથી મન અને વચન વડે સ્પર્શવું અતિ તે ધર્મનું અનુષ્ઠાન કરવું કારણ કે. આ જગતમાં શદાદિ કામ ગુણામાં મૂર્ણિત અથવા વૃદ્ધિવાળા પ્રાણીઓ છે. પ્રાયઃ જીવોને અપથ્ય એવા જ વિષયોમાં આસક્તિ હોય છે. - x વિષયાતુર જગને તે પ્રમાણે પ્રિય વિષયો અનુકૂળ હોય છે. પાઠાંતરથી કામગુણો વડે મૂર્ણિતની જેમ મૂર્જિત, ધર્મ વિષયક ચેતન્યથી વિલુમ, તેઓને આવી ધર્મસામગ્રી પ્રાપ્ત થવી દુર્લભ છે, તે કારણે હે ગૌતમ સમય માબ પણ પ્રમાદ ન કર,
આ પ્રમાણે પાંચ સૂત્રોનો અર્થ કહ્યો. વળી શરીરનું સામર્થ્ય પણ હોય અને ધર્મની સ્પર્શના પણ હોય, તો પણ તેની અનિત્યતા જણાવીને અપમાદનો ઉપદેશ આપતા કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org