SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૯૫ થી ૩૦૪ ૭૩ (૨૯) વનસ્પતિકાસમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અનંતકાળ રહે છે, તેથી હે ગૌતમ ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં (૩૦૦) બદ્રિયકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં (૧૦૧) ઇંદ્રિયકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટી સંખ્યાત કાળ રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં (૩૦૨) ચઉરિદ્રયકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ રહે છે, તેથી તે ગૌતમ ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં. (૩૦૩) પંચેન્દ્રિય ફાસમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ તેમાં રહે છે, તેથી હે ગૌતમ 1 ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં. (૩૦૪) દેવ અને નરક યોનિમાં ગયેલ જીવ ઉત્કૃષ્ટથી એક-એક ભવ ગ્રહણ કરે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં. • વિવેચન - ૫ થી ૩૦૪ - પૃથ્વી - કઠિનરૂપ, તે જ કાચ - શરીર, પૃથ્વીકાય - તે અતિશયથી મરીને, તેના ઉત્પતિલક્ષણથી પ્રાપ્ત તે અતિગત. ઉત્કૃષ્ટથી જીવ, તે જ રૂપે ત્યાં રહે. કાલ - સંખ્યાતીત અતિ અસંખ્ય. જે એમ છે, તેથી હે ગૌતમ ! ક્ષણવાર પણ પ્રમાદી થતો નહીં. આ પ્રમાણ અટકાયાદિ ત્રણે સૂત્રો જાણવા. વનસ્પતિ સૂત્ર તેમજ જાણવું. વિશેષ એ કે • કાળ અનંત કહેવો. અનંતકાચિકની અપેક્ષાથી આ વિધાન છે. પ્રત્યેક વનસ્પતીની કાયસ્થિતિ અસંખ્યાત કાળ છે તથા દુષ્ટ અંત જેનો છે તે દુરંત, એ પણ સાધારણ અપેક્ષાથી જ છે. તે જ અત્યંત આNબોધપણાથી ત્યાંથી ઉદધૃત થઈને પણ પ્રાયઃ વિશિષ્ટ માનુષાદિ ભવને પ્રાપ્ત કરતા નથી. - અહીં કાળમાં સંખ્યાતીત એવું વિશેષ અભિધાન છતાં પણ અસંખ્ય ઉત્સર્પિણ • અવસર્પિણી પ્રમાણ છે, અiા વિશોષણથી અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી પ્રમાણ છે તેમ જાણવું. કેમકે આગમ માં કહેલ છે કે અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી એકેન્દ્રિય ચારની અને અનંત વનસ્પતિની જાણવી. હે- બે સંખ્યા ઇન્દ્રિયની તે સ્પર્શન અને રસના જેમાં છે તે બેઇંદ્રિયકૃમિ આદિ, તેની કાયા ઉત્કૃષ્ટથી - જીવ તેમાં સંખ્યાત હજાર વર્ષ રહે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પ્રમાદી ન થા. એ પ્રમાણે તેઇંદ્રિય, ચઉરિન્દ્રિય જાણવા. - પાંચ ઇંદ્રિયો - સ્પર્શનાદિ જેમને છે તે. તેમાં આગળ દેવ અને નારકને કહ્યા હોવાથી મનુષ્યત્વના દુર્લભપણાથી પ્રકમથી તિર્યંચ જ લેવા. અર્થાત્ તે કાયમાં ઉત્પત્તિ કહેવી. ઉત્કૃષ્ટથી જીવ સાત કે આઠ ભય તેમાં રહે. તેને જ તે ભવોનું ગ્રહણ - જન્મોપાદાન સાત, આઠ ભવ કહ્યું દેવો અને નારકમાં રહેલ જીવ ઉત્કૃષ્ટથી એક - એક ભવગ્રહણ વડે જ રહે. ત્યાર પછી અવશ્ય મનુષ્ય કે નિર્ચચમાં ઉત્પાદ થાય. તેનો ઉત્કૃષ્ટ કાળ તેત્રીશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy