SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ પછી પણ આપણે બંને અવિશેષ અને ભેદ રહિત થઈશું. ત્યારે ભગવંતે ‘ધુમપત્રીય’ અધ્યયન કહ્યું. તે વૈશ્રમણ સામાનિક દેવ ત્યાંથી ચ્યવીને તુંબવન સંનિવેશમાં ધનગિરિ નામે ગાથાપતિ કે જે દીક્ષા લેવાની ઇચ્છાવાળો હતો. તેના માતા-પિતા તેને પરણાવવા ઇચ્છતા હતા. પછી તે માતા-પિતા જ્યાં જ્યાં ધનગિરિને વળાવવા જતા હતા, ત્યાં-ત્યાં જઈને ધનગિરિ તે-તે કન્યાને વિપરિણામિત કરી દેતો અને કહેતો કે · ‘હું દીક્ષા લેવાની ઇચ્છાવાળો છું.'' તેને તેના અનુરૂપ ગાથાપતિની પુત્ર સુનંદા નામે મળી. સુનંદા બોલી કે મને ધનગિરિ સાથે વરાવી દો. ત્યારે સુનંદા ધનગિરિને આપી. " ભાર સુનંદાનો ભાઈ ‘આર્યસમિત' નામે હતો, તેણે પૂર્વે દીક્ષા લીધી હતી. તે સુનંદાની કુક્ષિમાં તે વૈશ્રમણ દેવ ઉત્પન્ન થયો. ત્યારે ધનગિરિએ કહ્યું કે - તારે આ ગર્ભ બીજો (રક્ષક) થશે. પછી સિંહગિરિ સ્વામી પાસે તે ધનગિરિએ દીક્ષા ગ્રહણ કરી. સુનંદાએ પણ નવ માસે બાળકને જન્મ આપ્યો. ઇત્યાદિ વસ્વામીની કથા આવશ્યક ચૂર્ણિથી જાણવી. 90 આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાલાપક - નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે સૂત્ર હોવાથી થાય, તે માટે સૂત્ર કહે છે - • સૂત્ર ૨૧ - જેમ સમય વીતતા વૃક્ષનું સુકુ સફેદ પાન પડી જાય છે, તેમ મનુષ્ય જીવિત છે. તેથી હે ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કર. ♦ વિવેચન ૨૯૧ - તુમ - વૃક્ષ, તેનું પાન, તે જ તથાવિધ અવસ્થા પામીને અનુકંપિત થાય, તે મપત્રક, ઝંડુરક - કાળના પરિમાણથી કે તેવા પ્રકારના રોગ આદિથી જે પ્રકારે આવા ભાવને પામે તે. શિથિલવૃંત બંધનત્વથી અનુક્રમે વૃક્ષથી ભ્રષ્ટ થાય છે. રાત્રિના સમૂહ, ઉપલક્ષણથી રાત્રિ અને દિવસનો સમૂહ વીતી જતાં, એવા પ્રકારે મનુષ્યોનું જીવન છે. ઉપલક્ષણથી બાકીના જીવોનું પણ જીવિત - આયુ છે તે પણ રાત્રિ-દિવસનો સમૂહ વીતી જતાં સ્થિતિ અનુસાર - સ્થિતિ ખંડકના અપહારરૂપ અધ્યવસાયાદિ વડે જનિત ઉપક્રમણથી અથવા જીવપ્રદેશોથી ભ્રંશ થાય છે, એ પ્રમાણે કહે છે. - અત્યંત નિરુદ્ધ કાળ તે ‘સમય’ અપ્તિ શબ્દના હોવાથી અહીં સમયની જેમ આવલિકા આદિ પણ લેવા. ગૌતમ એ ગોત્ર સહિત ઇંદ્રભૂતિનું આમંત્રણ છે. પ્રમાદ ન કર, બાકીના શિષ્યોને ઉપલક્ષણથી લેવા ગૌતમનું ગ્રહણ કરેલ છે. નિર્યુતિકારે કહેલ છે કે, ‘‘તેની નિશ્રાએ ભગવન શિષ્યોને અનુશાસન આપે છે.'' અહીં ‘પાંડુરક’ પદના આક્ષેપથી યૌવનનું પણ અનિત્યત્વ બતાવવા માટે કહે છે - • નિયુક્તિ - ૩૦૭ થી ૩૦૯ વિવેચન પરિવર્તિત - કાળ પરિણતિથી અન્યથાકૃત, લાવણ્ય Jain Education International - For Private & Personal Use Only આના અભિરામ www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy