________________
૬ 0
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદકર જાઓ, એમ મેં સહેતુક કહેવા છતાં તમે આકાશતુલ્ય ઇચ્છાનો ઉત્તર આપીને માસ તે કથનનો ધ્વંસ કર્યો. ખરેખર તમારું બાજુવ, મૃદુત્વ, ક્ષમા, નિલભતા ઉત્તમોત્તમ છે – X - X. આ પ્રમાણે ગુણ વર્ણનના હારથી સીવીને હવે ફળ ઉપદર્શનના હારથી સવના કરે છે -
• સૂત્ર - ૨૮૬ -
ભગવન ! આપ આ લોકમાં પણ ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ થશો. કર્મ મળથી રહિત થઈ આપ લોકમાં સર્વોત્તમ સ્થાન સિદ્ધિને કામ દરશો.
• વિવેચન - ૨૮૬ •
આ જન્મમાં તમે ઉત્તમ ગુણોથી યુક્ત થશો, ભદંત ! પરલોકમાં પણ ઉત્તમ થશો. કઈ રીતે? ચૌદરાજરૂપ ઉપરવર્તી લોકોત્તમની અપેક્ષાએ પ્રધાન અથવા લોકના કે લોકમાં અતિશય પ્રધાન તે લોકોત્તમ, જે સ્થાને રહ્યા પછી, બીજે સ્થાને જતાં નથી તેવું સ્થાન, તે શું ? મુક્તિ રજ- કર્મથી નિર્ગત તે નીરજા હવે ઉપસંહાર કહે છે -
• સૂત્ર - ૨૮૭ - ૨૮૮ -
એ પ્રમાણે સ્તુતિ કરતાં ઇંદ્રએ ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની પ્રદક્ષિણા કરતા, અનેકવાર વંદના કરી. પછી નમિ મુનિવરના ચક-એક્રશ લક્ષણ સુક્ત ચરણની વંદના કરીને લલિતત અને ચપળ કુંડલ અને મુગટને ધારણ કરનારો જ આકાશ માર્ગે ચાલ્યો ગયો.
• વિવેચન - ૨૮૭ - ૨૮૮ -
એ પ્રમાણે અભિખવીને, રાજર્ષિને નમીને, પ્રધાન શ્રદ્ધાભક્તિથી પ્રદક્ષિણા કરતો પુનઃ પુનઃ વંદે છે. પછી જે કર્યું તે કહે છે - તે શક લક્ષણવાળા મુનિના ચરણોને વાંદીને આકાશમાં ઉંચે દેવલોક અભિમુખ જતી એવી ઉત્પતિત ગતિથી અને લલિતપણાથી ચપળ અને ચંચળ એવા કુંડલ, આભરણ, મુગટ ધારણ કરેલો ગયો. આ પ્રમાણે સ્વયં ઇઝ વડે અભિવાતા મુનિના મનમાં ઉત્કર્ષ આવ્યો કે નહીં ? તે કહે છે -
• સૂત્ર - ૨૮૯ -
નમિ રાજર્ષિએ આત્મભાવનાથી પોતાને વિનીત કરાઈ. સાક્ષાત દેવેન્દ્ર દ્વારા પ્રેરિત કરાયા છતાં ઘર અને વૈદેહી ત્યાગીને શ્રમયભાવમાં સુસ્થિર રહો.
વિવેચન - ૨૮૯ -
નમિ ભાવથી નમિત થયા. સ્વતત્ત્વ ભાવનાથી વિશેષ પ્રગુણિત થયા. - ૪ - કેવા નમિ ? પ્રત્યક્ષ આવીને ઇન્દ્ર વડે પ્રેરિત થવા છતાં, ત્યજીને વૈદેહી એટલે વિદેહ નામક જનપદના અધિપતિ, બીજો કોઈ નહીં અથવા વિદેમાં તે વૈદેહી - મિથિલા નગરીને છોડીને શ્રમણભાવમાં ઉધત થયાં. અથવા નમિ સંયમ પ્રતિ નમી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org