________________
૯૪૨૮૦, ૨૮૧
૫ ૯ કામની પ્રાર્થના કરતો અને ઇચ્છાતા એવા કામના અભાવથી તે દુષ્ટ એવી નરકાદિગતિમાં જાય છે. આના વડે માત્ર શલ્યાદિવટુ અનુભવાતા એવા આ કામો છે, પણ પ્રાર્થના કરાય તો પણ દોષકાર કહ્યા છે.
વળી, સદ્વિવેક અનૈકાંતિક હેતુ છે, તે એકાંત નથી કે પ્રાપ્તને અપ્રામાર્થે ન જ પરિહરાય. પ્રાતમાં પણ અપાય હેતુ હોય તો તેનો ઉછેર કરીને અપ્રાપ્તિને માટે વિવેકી તેનો ત્યાગ કરે છે. બાકી તો મુમુક્ષને કદાચિત પણ આવી આકાંક્ષા જ અસંભવ છે. કામની પ્રાર્થના કરનારો કેમ દુર્ગતિમાં જાય ? તે કહે છે -
• સૂત્ર - ૨૮૨ -
કોધથી અધોગતિ થાય, માનાથી મધમાગતિ, મારાથી સુગતિમાં ભાધા આવે છે, લોભથી બંને તરફ ભય રહે છે.
• વિવેચન - ૨૮૨ -
અધો-નરક ગતિમાં જાય છે - ક્રોધથી. માનાથી નીચગતિમાં જાય. પરવંચનરૂપ માયાથી સુગતિનો વિનાશ થાય છે. લોભ • ગૃદ્ધિથી બંને પ્રકારની - આ લોક અને પરલોક બંનેમાં ભય - દુ:ખ રહે છે. - ૮ - કામમાં પ્રાર્ણમાનને અવશ્ય ક્રોધાદિનો સંભવ રહે છે. આવા પ્રકારે તે હોવાથી, કઈ રીતે તેની પ્રાર્થનાથી દુર્ગતિગમન ન સંભવે? તે અભિપ્રાય છે અથવા ઇંદ્રએ કહ્યું, તે બધું જ કષાય અનુપાતી છે, તેના વિપાકનું આ વર્ણન છે. એ પ્રમાણે ઘણાં ઉપાયો વડે તે ઇન્દ્ર નમિ રાજર્ષિને ક્ષોભ પમાડવા અસમર્થ થયો ત્યારે શું કરે છે?
• સુત્ર - ૨૮૩ થી ૨૮૫ -
દેવેન્દ્રએ બ્રાહ્મણના રૂપને છોડીને, પોતાનું મૂળ ઉદ્વરૂપને પ્રગટ કરીને મધુર વાણીથી તુતિ કરતાં, નમિ રાજર્ષિને વંદના કરીને કહ્યું - અહો ! આશ્ચર્સ છે જે - તમે ક્રોધને જીત્યો, માનને પરાજિત કયો. માયાને દૂર કરી અને લોભને વશ કર્યો છે. તમારી સરળતા ઉત્તમ છે, મૃદુતા ઉત્તમ છે, તમારી ક્ષમા અને નિર્લોભતા ઉત્તમ છે.
• વિવેચન - ૨૮૩ થી ૨૮૫ -
બ્રાહ્મણના રૂપ - વેશને ત્યાગ કરીને, ઉત્તર વૈક્રિય રૂપ જે ઇંદ્રનો સ્વભાવ તેને વિકુવને, અનેકાર્થત્વથી પ્રણમે છે, અભિમુખ્યતાથી સ્તુતિ કરે છે- અનંતર કહેવાનાર યુતિને સુખકારી વાણી વડે તેમને કહે છે, અહો ! વિસ્મયની વાણી છે કે - તમે અતિશયથી જિતેલા છે (આ કવાયાને) ક્રોધને નિર્જીત કર્યા છે - તમને ન નમતા સજાને વશ કરવાની પ્રેરણા કર્યા છતાં તમે ક્ષોભિતન થયા. અહો !માન - અહંકારનો હેતુ તેને પણ પસજિત કર્યો છે, જે તમે તમારું ભવનાદિ બળે છે તેમ કક્વા છતાં - માસ જીવતા કેમ આમ ? એવો અહંકાર ન કર્યો. અહો ! તમો માયાને પણ દૂર ધકેલી છે જે તમે નગર રક્ષા હેતુ પ્રાકારાદિમાં નિવૃતિ હેતુ આમોષકના ઉછેદનાદિમાં મનને રોક્યું નહીં. તથા અહો ! તમે લોભને વશ કર્યો છે, જેથી તમને હિરાગ્યાદિ વધારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org