SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૨૮૦, ૨૮૧ ૫ ૯ કામની પ્રાર્થના કરતો અને ઇચ્છાતા એવા કામના અભાવથી તે દુષ્ટ એવી નરકાદિગતિમાં જાય છે. આના વડે માત્ર શલ્યાદિવટુ અનુભવાતા એવા આ કામો છે, પણ પ્રાર્થના કરાય તો પણ દોષકાર કહ્યા છે. વળી, સદ્વિવેક અનૈકાંતિક હેતુ છે, તે એકાંત નથી કે પ્રાપ્તને અપ્રામાર્થે ન જ પરિહરાય. પ્રાતમાં પણ અપાય હેતુ હોય તો તેનો ઉછેર કરીને અપ્રાપ્તિને માટે વિવેકી તેનો ત્યાગ કરે છે. બાકી તો મુમુક્ષને કદાચિત પણ આવી આકાંક્ષા જ અસંભવ છે. કામની પ્રાર્થના કરનારો કેમ દુર્ગતિમાં જાય ? તે કહે છે - • સૂત્ર - ૨૮૨ - કોધથી અધોગતિ થાય, માનાથી મધમાગતિ, મારાથી સુગતિમાં ભાધા આવે છે, લોભથી બંને તરફ ભય રહે છે. • વિવેચન - ૨૮૨ - અધો-નરક ગતિમાં જાય છે - ક્રોધથી. માનાથી નીચગતિમાં જાય. પરવંચનરૂપ માયાથી સુગતિનો વિનાશ થાય છે. લોભ • ગૃદ્ધિથી બંને પ્રકારની - આ લોક અને પરલોક બંનેમાં ભય - દુ:ખ રહે છે. - ૮ - કામમાં પ્રાર્ણમાનને અવશ્ય ક્રોધાદિનો સંભવ રહે છે. આવા પ્રકારે તે હોવાથી, કઈ રીતે તેની પ્રાર્થનાથી દુર્ગતિગમન ન સંભવે? તે અભિપ્રાય છે અથવા ઇંદ્રએ કહ્યું, તે બધું જ કષાય અનુપાતી છે, તેના વિપાકનું આ વર્ણન છે. એ પ્રમાણે ઘણાં ઉપાયો વડે તે ઇન્દ્ર નમિ રાજર્ષિને ક્ષોભ પમાડવા અસમર્થ થયો ત્યારે શું કરે છે? • સુત્ર - ૨૮૩ થી ૨૮૫ - દેવેન્દ્રએ બ્રાહ્મણના રૂપને છોડીને, પોતાનું મૂળ ઉદ્વરૂપને પ્રગટ કરીને મધુર વાણીથી તુતિ કરતાં, નમિ રાજર્ષિને વંદના કરીને કહ્યું - અહો ! આશ્ચર્સ છે જે - તમે ક્રોધને જીત્યો, માનને પરાજિત કયો. માયાને દૂર કરી અને લોભને વશ કર્યો છે. તમારી સરળતા ઉત્તમ છે, મૃદુતા ઉત્તમ છે, તમારી ક્ષમા અને નિર્લોભતા ઉત્તમ છે. • વિવેચન - ૨૮૩ થી ૨૮૫ - બ્રાહ્મણના રૂપ - વેશને ત્યાગ કરીને, ઉત્તર વૈક્રિય રૂપ જે ઇંદ્રનો સ્વભાવ તેને વિકુવને, અનેકાર્થત્વથી પ્રણમે છે, અભિમુખ્યતાથી સ્તુતિ કરે છે- અનંતર કહેવાનાર યુતિને સુખકારી વાણી વડે તેમને કહે છે, અહો ! વિસ્મયની વાણી છે કે - તમે અતિશયથી જિતેલા છે (આ કવાયાને) ક્રોધને નિર્જીત કર્યા છે - તમને ન નમતા સજાને વશ કરવાની પ્રેરણા કર્યા છતાં તમે ક્ષોભિતન થયા. અહો !માન - અહંકારનો હેતુ તેને પણ પસજિત કર્યો છે, જે તમે તમારું ભવનાદિ બળે છે તેમ કક્વા છતાં - માસ જીવતા કેમ આમ ? એવો અહંકાર ન કર્યો. અહો ! તમો માયાને પણ દૂર ધકેલી છે જે તમે નગર રક્ષા હેતુ પ્રાકારાદિમાં નિવૃતિ હેતુ આમોષકના ઉછેદનાદિમાં મનને રોક્યું નહીં. તથા અહો ! તમે લોભને વશ કર્યો છે, જેથી તમને હિરાગ્યાદિ વધારવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy