SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ તેમ તેમ લોભ થાય છે. કઈ રીતે ? બે સંખ્યાત્મક ભાષા વડે જે પ્રયોજન હતું કે દાસીને પુષ્ય, તાંબુલાદિ મૂલ્યરૂપ, તે કરોડો સુવર્ણ વડે પણ નિષ્પન્ન ન થયું. આ કાર્ય જે કારણે ન થયું, તેનું મૂળ સ્ત્રી છે. તેથી સ્ત્રીનો ત્યાગ કેમ જરૂરી છે? તે દર્શાવવા માટે કહે છે - • સૂત્ર - રર૬ - જે છાતીમાં ફોડા રૂપ સ્તનોવાળી છે, અનેક કામનાવાળી છે, જે પરથને પ્રલોભનમાં ફસાવી તેને દાસની માફક નચાવે છે, એવી રાક્ષસી સ્વરૂપ સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી જોઈએ. • વિવેચન - ૨૬ - સક્ષસી - સ્ત્રીઓ, તેમાં (ન કરવી) જેમ રાક્ષસી બધું જ લોહી ખેંચી લે છે અને પ્રાણીનું જીવિત પણ હરી લે છે, તેમ સ્ત્રીઓ પણ જાણાવી. તત્ત્વથી જ્ઞાનાદિ જ જીવિત અને સર્વસ્વ છે, તેને તેણીઓ હરી લે છે. તથા x-x- ગુદ્ધિ કરવી - અભિકાંક્ષાવાળા થવું. કેવી સ્ત્રીમાં - ગંડ એટલે ગડુ, તે ઉપસ્થિત માંસતા પિંડરૂપ પણે છે, તેમાંથી રસી લોહી આદ્રતાના સંભવથી ગળતા રહે છે, તે ઉપમાથી સ્ત્રીઓના સ્તનને ગંડ કહેવાય છે. એવી છાતી જેની છે તેણી, વૈરાગ્યના ઉત્પાદન માટે આમ કહેલ છે. તથા અનેક સંખ્યામાં ચંચળતા જેણીના મનમાં છે, તે કારણે અનેક ચિત્તવાળી, જેમકે - કોઈના ખોળામાં રમે છે, કોઈ બીજાને આલિંગીને સુવે છે, કોઈની સાથે હસીને વાતો કરે છે, કોઈ પાસે રડવા બેસે છે. ઇત્યાદિ કારણે આ ચંચલ ચાલિકા સ્ત્રીઓને ધિક્કાર છે. તથા જે પુરુષો કુલીન છે, તેને લોભાવીને “તમે જ મારા શરણ છો, તમે જ પ્રીતિ કરવા યોગ્ય છો, ઇત્યાદિ વાણી વડે છેતરીને ક્રીડા કરે છે. દાસની જેમ નચાવે છે. હજી તેણીનું અતિ હેયપણું બતાવે છે - • સુદ - રર૭ • નો ત્યાગ કરનારા રાજગાર તેનામાં સક્ત ન થાય. ભિા ધર્મને પેશલ ગણીને, તેમાં પોતાની આત્માને શાપિત કરે. • વિવેચન - ૨૨૭ - - સ્ત્રીઓમાં પ્રવૃદ્ધિ ન કરે. પ્ર શબ્દથી વૃદ્ધિનો આરંભ પણ ન કરે. તો શું કરે? સ્ત્રીઓ વિવિધ પ્રકારે પ્રકર્ષથી ત્યાગ કરે છે. પૂર્વત્ર સ્ત્રીના ગ્રહણથી મનુષ્ય સ્ત્રી જ કહી, અહીં દેવ અને તિર્યંચ સંબંધી સ્ત્રી પણ તજી દે, તેમ કહે છે. કોણ ? અણગાર, પછી શું કરે? બ્રહ્મચર્યાદિ રૂપ ધર્મ તેનું અવધારણકરે. કેમકે તે પેશલ - અહીં અને બીજે પણ એકાંત હિતપણાથી અતિ મનોજ્ઞ જાણીને આત્માને જ સ્થાપે અને વિષયના અભિલાષથી નિષેધે. હવે અધ્યયનનો ઉપસંહાર કહે છે - • સૂત્ર - ૨૨૮ વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલ મુનિએ આ પ્રકારે ધર્મ કહેલ છે જે તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy