SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર વિવેચન - ૨૦૧ - જેમકુશ - દર્ભ વિશેષનો અગ્રભાગ, તે કુશાગ્ર, તેમાં રહેલ જળ. - x- સમુદ્રજળ સાથે તુલના કરતા. તેની તુલનાએ મનુષ્ય સંબંધી વિષયો, મનુષ્ય વિશેષણ - તેમને જ આ ઉપદેશ યોગ્ય છે અને વિશિષ્ટ ભોગ સંભવે છે, માટે કહ્યું. તે દિવ્ય ભોગોની પાસે, ઘણાં દૂર હોવાથી સખ્ય અવધારી શકાતા નથી. અર્થાત જેમ કુશાગ્રે રહેલ જળબિંદુને જોઈને અજ્ઞાની તેને સમુદ્ર માને છે, તેમ મૂટો ચક્રવર્તી આદિ માનુષી દિવ્ય ભોગોને માને છે, તત્વતઃ કુશાગ્ર જળબિંદુવતું મનુષ્યના ભોગોનું દિવ્ય ભોગોથી ઘણું મોટું અંતર છે. ઉક્ત અર્થનો જ નિગમન કરતાં ઉપદેશ કહે છે - • સૂત્ર - ૨૨ - મનુષ્યભવના આ કાત્યાયુમાં કામ ભોગ કુશાગ્ર જળબિંદુ માબ છે, તો પણ આજ્ઞાની કયા હેતુથી પોતાના લાભકારી યોગક્ષેમને નથી સમજતા? - વિવેચન - ૨૦૨ - કુશાગ્ર શબ્દથી કુશાગ્ર સ્થિત જળબિંદુ જાણવા, તેનું પરિણામ, આ પ્રત્યક્ષ મનુષ્ય વિષયો છે તે અત્યંત સંક્ષિપ્ત છે. જો એકીભાવથી જીવિત નિરુદ્ધ કરાય. આના વડે મનુષ્યાયની અલ્પતા કે સોપકમતા અથવા કામની આપતા કહી. ઉપલક્ષણથી સમૃદ્ધિ આદિની અલ્પતા જાણવી. કેમકે દિવ્યકામ સમુદ્ર તુલ્ય છે. - x• આલબ્ધનો લાભ અને લબ્ધનું પરિપાલન તે યોગક્ષેમ છે અર્થાત્ પ્રાપ્ત વિશિષ્ટ ધર્મની પ્રાપ્તિ અને પ્રાપ્ત ધર્મની પરિપાલના લોકો જાણતા નથી. તે અજ્ઞાનમાં જ મનુષ્ય વિષયાસક્તિ જ હેતુ છે. કેમકે તે જ ધર્મપ્રાપ્ય દિવ્ય ભોગોની અપેક્ષાથી પ્રાયઃ (તુચ્છ) જ છે. તેથી તેનો ત્યાગ કરીને વિષયાભિલાષી પણ ધર્મને માટે જ પ્રયત્ન કરવો જોઈએ. અથવા આ કામો અતિ અલ્પ છે, પલ્યોપમાદિ દીર્ઘ આયુવાળા નહીં પણ સંક્ષિપ્ત આયુવાળા છે. તે કયા હેતુથી તેને આગળ કરીને અસંયમને ન સેવે. (બાકી સૂબાWવત્ જાણવું, આ પાંચ ષ્ટાંત કહ્યા. તેમાં પહેલાં ઘેટાના દષ્ટાંતથી ભોગોનું મહેમાનો માટે અપાય બહુલત્વ કર્યું. - - કાકિણી અને આમ્રફળ દૃષ્ટાંત તુચ્છવ પરિહરવાના અસામર્થ્ય વિષયમાં છે. વણિકનું ઉદાહરણ આય-વ્યય તુલનાકુશલ સંદર્ભમાં છે. સમદ્ર દષ્ટાંતથી દિવ્ય કામોની મહાનતા બતાવી છે. - - યોગ ક્ષેમને ન જાણતો કામથી અનિવૃત જ થાય છે, તેના દોષને કહે છે - • સૂત્ર - ૨૦૩ મનુષ્ય ભવમાં કામ ભોગોથી નિવૃત્ત ન થનારનો આત્માર્થ વિના: થઈ જાય છે. કેમકે તે સન્માન વારંવાર સાંભળીને પણ તેને છોડી દે છે. • વિવેચન - ૨૦૩ - મનુષ્યત્વમાં કે જિનશાસનમાં પ્રાપ્ત કામોથી અનિવૃત્ત, તેના આત્માનો અર્થ - સ્વર્ગાદિ નાશ પામે છે. અથવા આત્મા જ અર્થ તે આત્માર્થ નાશ પામે છે, બીજા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy