SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ કોઈએ આપ્યા વિનાનું ન લે. “ગવાસ' ઇત્યાદિથી પરિગ્રહ આશ્રવનો નિરોધ કર્યો. તેના નિરોધથી અપરિગ્રહીતા સ્ત્રી પણ ન ભોગવે, એમ કરીને મૈથુન આશ્રયનો નિરોધ કહ્યો. તો આજીવિકા કેમ કરે? આત્માની જુગુપ્સા કરતો પાત્રમાં અપાયેલ ભોજનને વાપરે. પાત્ર ગ્રહણથી બંને વ્યાખ્યામાં - x પાત્રના ગ્રહણથી કોઈને એમ થાય કે આમાં નિષ્પરિગ્રહતા ક્યાં રહી? તેથી કહે છે. પાક ન લેવાથી તેવા પ્રકારની લધિ આદિના અભાવથી હાથમાં ખાઈ શકવાના અભાવે ગૃહસ્થના ભોજનમાં જ ભોજન કરે. તેમાં ઘણાં દોષનો સંભવ છે. શય્યભવસૂરિએ કહ્યું છે કે - તેમાં પશ્ચાત્કર્મ કે પૂર્વકર્મ થાય માટે તે ન કયે. એ પ્રમાણે પાંચ આશ્રવના વિરમણ રૂપ સંચમ કહ્યો. કેટલાંક તે સ્વીકારતા નથી, માટે કહે છે કે - • સબ - ૧૯ - એ સંસારમાં કેટલાંક માને છે કે - “પાપના પચ્ચકખાણ કર્યા વિના જ કેવળ તાનને જવાથી જ જીવ સર્વ દુઃખોથી મુકત થાય • વિવેચન - ૧૬૯ - આ જગતમાં કે મુક્તિ માર્ગના વિચારમાં કેટલાંક કપિલાદિ મનવાળા એવું માને છે કે પ્રરૂપે છે કે પ્રાણાતિપાનાદિ વિરતિને ન કરીને જ • x• તત્ત્વને જાણીને આધ્યાત્મિક, આધિ ભૌતિક, આધિ દૈવિક લક્ષણો વડે વપરિભાષાથી શારીરિક - માનસિક દુખો છૂટા પડે છે. - - - અથવા આપણને આચરિત, તે તે ક્રિયા કલાપ, અથવા સ્વ-સ્વ આચારરૂપ અનુષ્ઠાન જ, તેને જાણીને - સ્વ સંવેદનથી અનુભવીને બધાં દુઃખોથી મુક્ત થાય છે. એ પ્રમાણે બધે જ્ઞાન જ મુક્તિનું અંગ છે. પણ તે બરોબર નથી. રોગી માત્ર ઔષધના જ્ઞાનથી સાજો ન થાય, તેમ ભાવરોગી મહાવતરૂપ પાંચ અંગમાં ઉપલક્ષિત ક્રિયાને કર્યા વિના મુક્ત ન થાય. તેઓ એ પ્રમાણે વિચાર્યા વિના ભવદુખથી આકુલિત થઈ વાચાળપણાથી જ આત્માને સ્વસ્થ કરે છે, તેથી કહે છે - • સસ - ૧૦ - જે બલ અને મૌલાના સિદ્ધાંતોની અપના કરે, બોલે પણ પણ છે કંઈ નહીં, તેઓ ફક્ત વાણી વીણી પોતાને આશ્વાસિત કરે છે. • વિવેચન : ૧૦ • જ્ઞાનને જ મોક્ષના અંગ રૂપે પ્રતિપાદન કરે છે, પણ મુક્તિના ઉપાય રૂપ અનુષ્ઠાનને કરતા નથી. બંધ અને મોક્ષનો સ્વીકાર તો કરે છે. જેમકે - “બંધ છે', “મોક્ષ છે' પણ માત્ર આવું બોલે જ છે. તે પ્રમાણે અનુષ્ઠાન કરતા નથી. આત્મશક્તિ રૂપ વાણી વીર્ય અર્થાત્ વાચાળતા પણ તે મુજબના અનુષ્ઠાનથી શૂન્ય એવા તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy