________________
૧૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
શિબિકાદિ, શયન પલંગ આદિ, આસન સિંહાસન આદિ. દાસી-દાસ, કુષ્ય - વિવિધ ગૃહોપકરણ, આ બાહ્ય ગ્રંથ છે. હવે નિગમન કરવા માટે કહે છે -
♦ નિયુક્તિ - ૨૪૩ + વિવેચન
-
સાવધ - અવધ અર્થાત્ પાપની સાથે વર્તે તે, આવા સાવધગ્રંથથી મુક્ત. આના વડે રજોહરણ, મુખવશ્રિકા, વર્ષાકલા આદિ દશવિધ બાહ્ય ગ્રંથના અંતર્ગતત્વ છતાં પણ ધર્મોપકરણત્વથી અનવધતાથી અમુક્તને પણ નિર્ણનૃત્વ કહેલ છે. એ પ્રમાણે કોઈને વ્યામોહ ન થાય કે બાહ્ય જ સાવધગ્રંથથી મુક્ત, તેથી કહે છે. આત્યંતર બાહ્ય ગ્રન્થ વડે, માત્ર બાહ્યથી જ મુક્ત નહીં. આ અનંતરોક્ત નિર્યુક્તિ - નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો કોની? તે કહે છે - ક્ષુલ્લક નિગ્રન્થ નામક સૂત્રની.
હવે સૂત્રાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ, તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયન સૂત્રમાં મુનિ સકામ મરણે મરે છે, તેમ કહ્યું. તે માનવાથી મુનિ - જ્ઞાની જ. જે અજ્ઞાની છે, તે શું છે? તે કહે છે -
·
- સૂત્ર - ૧૧
જેટલાં અવિધાવાનું છે, તેઓ બધાં દુ:ખના ઉત્પાદક છે. તે વિવેક મૂઢ અનંત સંસારમાં વારંવાર લુપ્ત થાય છે.
• વિવેચન - ૧૬૧
-
Jain Education International
-
જેટલાં પરિમાણમાં વેદન વિધા - તત્ત્વજ્ઞાન રૂપ. ન વિધા તે અવિધા - મિથ્યાત્વથી ઉપહત કુત્સિત જ્ઞાન રૂપ, તેનાથી પ્રધાન પુરુષો તે અવિધાપુરુષ અથવા જેનામાં વિધા વિધમાન નથી તે અવિધા પુરુષ. અહીં વિધા શબ્દથી પ્રભૂત શ્રુત કહે છે. જીવને સર્વથા શ્રુતાભાવ નહીં. અન્યથા અજીવત્વ પ્રાપ્ત થાય. - - - તે બધાં અવિધા પુરુષો દુઃખ સંભવા - જેમાં દુઃખનો સંભવ છે તેવા, અથવા દુઃખને કહે છે, દુઃખે છે તે દુઃખ - પાપ કર્મ. તેનો સંભવ - ઉત્પત્તિ જેમાં છે તે દુઃખ સંભવા, તેઓ દારિઘાદિથી બાધા પામે છે. અનેક પ્રકારે હિતાહિતનો વિભાગ કરવામાં અસમર્થ છે.
તિર્યંચ, નરકાદિ ભવોમાં ભ્રમણ તે સંસાર, તે પણ અનંત એવા આના વડે અનંત સંસારિક્તા દર્શનથી, તેવા પ્રકારને પંડિત મરણનો અભાવ કહ્યો. અધ્યયનના અર્થની અપેક્ષાથી નિગ્રન્થ સ્વરૂપ જણાવવાને તેનો વિપક્ષ કહ્યો, તેમ જાણવું.
અહીં સંપ્રદાયથી આ ઉદાહરણ છે - એક ગોધ (આળસુ) દુર્ગતિથી પાતિત થઈ ઘેરથી નીકળ્યો. આખી પૃથ્વી ભટકીને જ્યારે કંઈ ન મળ્યું ત્યારે ફરી ઘેર ગયો, ત્યાંથી નિવૃત્ત થયો. યાવત્ એક ચાંડાલના પાળાની સમીપમાં ગ્રામ દેવકુલિકામાં એક રાત્રિ વાસ કર્યો, જેટલામાં જુએ છે, તેટલામાં દેવકુલિકાથી એક પાણ (ચાંડાલ) હાથમાં ચિત્રઘટ લઈને નીકળ્યો. તે એક પડખામાં રહીને તે સાધિત ઘટને કહે છે - નાનું ઘર સજ્જ કર. એ પ્રમાણે તે જ્યારે જે કહે તે ઘટ કરતો હતો. ચાવત્ શયનીય, સ્ત્રી સાથે ભોગ ભોગવવા, પ્રભાતે બધું પ્રતિ સરતું હતું.
For Private & Personal Use Only
www.jainelibrary.org