________________
૧૯૬
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ • નિક્તિ • ૨૩ર + વિવેચન
બાકીના અવધિમરણ આદિ પંદર મરણો જાણવા. તે બધાં અંતર - વ્યવધાન સહિત વર્તે છે, તેથી સાંતર અને નિષ્ણાંત અંતરથી નિરંતર છે. “તુ” શબ્દ સમુચ્ચય અર્થપણાથી છે. જેના વડે વસ્તુ સ્વરૂપ જણાય તે ગમ - પ્રરૂપણા. અહીં એવું કહે છે કે - જ્યારે કોઈ બાળ મરણાદિ પામીને મરે છે અને મરીને ભવાંતરમાં મરણાંતર અનુભવી ફરી તે જ પ્રાપ્ત કરે છે, ત્યારે આંતર મરણ છે. તેમ પ્રરૂપણા છે. જ્યારે બાળમરણાદિ પામીને ફરી તે જ અવ્યવહિતપણે પામે છે, ત્યારે તે નિરંતર થાય છે. તેના પ્રરૂપકત્વથી આ “મ' પણ સાંતર અને નિરંતર છે, તેમ કહેલ છે.
- હવે પાછલી અડધી ગાથાથી કાળદ્વાર કહે છે - સાદિ સાંત. બાકીના સોળ કહેવાનારની અપેક્ષાથી અવધિમરણ આદિ. તેમકે તેઓનું એક સામયિકપણું અભિહિત છે. પ્રવાહની અપેક્ષાથી આ શેષભંગ ઉપલક્ષણ છે. પ્રવાહથી પણ ત્રણ ભંગ પતિત શોષ મરણો સંભવે છે. તેથી વૃદ્ધો કહે છે - બાળમરણો અનાદિ અનંત કે અનાદિ સાંત હોય છે. પંડિત મરણો સાદિ સાંત હોય છે. કેમકે મુક્તિ પ્રાપ્તિમાં તેનો ઉચ્છેદ સંભવે છે.
પહેલું- આવીચિ મરણ પ્રવાહની અપેક્ષાથી આદિ રહિત છે. પ્રતિનિયત આયુ પુદગલની અપેક્ષાથી તે સાદિ પણ સંભવે છે. ઉપલક્ષણથી આનું અનંતપણું અનુભવ્યોને છે. ભOોને તે સાંત હોય છે.
હવે નિયુક્તિકાર તેના પરિવારને માટે કહે છે• નિર્ગુક્તિ - ૨૩૩ + વિવેચન
અનંતર કહેલાં આ બધાં દ્વારો મરણાવિભક્તિ નામક અધ્યયનમાં પ્રરૂપેલા છે. તે પૂવોંક્ત ક્રમથી છે. એ પ્રમાણે બધી જ મરણ વક્તવ્યતા કહેવાઈ છે કે નહીં? તે કહે છે - સમસ્ત નિપુણ તે પદાર્થોને અહીં પ્રશસ્તમરણાદીને જિન - કેવલી, ચૌદપૂવ - પ્રભવ આદિએ કહેલા છે. હું મંદમતિપણાથી, તેનું વર્ણન કરવાને સમર્થ નથી, એ અભિપ્રાય છે. સ્વયં ચૌદપૂર્વી હોવા છતાં, જે ચૌદપૂર્વીનું ઉપાદાન કર્યું તે તેમના પણ છે સ્થાન પતિતપણાથી શેષ માહાભ્ય જણાવવાને માટે છે.
હવે પ્રશસ્ત - પ્રશસ્ત મરણ વિભાગ કહે છે - • નિન - ર૩૪ વિવેચન
એકાંતથી પ્રશસ્ત - ગ્લાધ્ય ત્રણ મરણો જિનો વડે પ્રરૂપિત છે, તેને કહે છે. ભક્તપરિફા, ઇંગિની, પાદપોપગમન. આ ત્રણે શું એકરૂપ છે? તે કહે છે - કમથી તે જ્યેષ્ઠ • અતિ પ્રશસ્ય, અર્થાત અનુક્રમે પ્રધાન છે. બાકીના મરણોમાં પણ જે પ્રશસ્ત છે, તેનો અહીંજ અંતર્ભાવ કરવો. બીજામરણો ક્યારેક ક્યાંક પ્રાપ્ત છે. તે સિવાયના તો સવા પરાસ્ત છે. અહીં જેનો અધિકાર છે, તે કહે છે -
• વિલિ - ર૩પ + વિવેચન, આ મરણોમાં મનુષ્યના મરણથી અધિકાર જાણવો. અર્થાત્ મનુષ્યભવમાં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International