SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ બધાં જ, તેમાં મુક્તિના ભાગીને પણ લેવાના? તેથી કહે છે - ભવસ્થ જીવો. જેમાં કર્મવશ વર્તી જંતુઓ- જીવો હોય છે, તે ભવ. તેમાં રહે તે ભવસ્થ. એવા તે જીવો આવીચિક મરણને આશ્રીને મરે છે અથવા સર્વકાળ આવીચિક મરણે મરે છે. અવધિમરણ અને આત્યંતિક મરણ. આ બંને મરણો વિકલ્પ છે. જો કે આવી ચિમરણવત્ અવધિમરણ અને આત્યંતિક મરણ છતાં પણ ચારે ગતિમાં સંભવે છે, તો પણ આયુષ્યના ક્ષયના સમયે જ તે બે મરણનો સંભવ છે, સદા તે ભાવ વર્તતો નથી. તેથી આવીચિક મરણ જ સદા છે તેમ કહેલું છે. આના વડે આવીચિ મરણના સદા ભાવથી લોકમાં મરણપણાથી પ્રસિદ્ધિની અવિવક્ષાનો હેતુ કહેલ છે, તેમ વિચારવું. હવે “બને પણ’ ને સ્પષ્ટ કરે છે. અવધિ મરણ અને આત્યંતિક મરણ, અને લાલ મરણ, તથા' શબ્દ ઉત્તરભેદની અપેક્ષાથી સમુચ્ચય માટે છે. પડિત મરણ, બાળપંડિત મરણ. ચ શoથી પૈહાયસ અને ગધપૃષ્ઠ મરણ કહ્યા. પછી ભકતપરિજ્ઞા, ઇંગિની, પાદપોપગમન કહા. આમાં પરસ્પર જે વિરોધ છે, તેને કહે છે - અવિરતના અવધિ અને આત્યંતિક મરણ કહ્યા, અન્યતર બાલમરણ તે બીજે તભવમરણની સાથે ત્રણ, વશાત્ત સાથે ચોથું, કથંચિત્ આત્મઘાતમાં વૈહાયસ કે મૃધપૃષ્ઠમાંનું કોઈ એક તે પાંચમું. શંકા-વલન્મરણ અને અંતઃશલ્યમરણ પણ બાળમરણના જ ભેદ છે. આગમમાં કહ્યું છે કે - બાલ મરણ બાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - વલાય મરણ, વશાd મરણ. અંતઃશલ્યમરણ તભવ મરણ, ગિરિપતન, તરુપતન, જળપ્રવેશ, અગ્નિપ્રવેશ, વિષભક્ષણ, શસ્ત્રો પહનન, વૈહાયસ અને ગૃધપૃષ્ઠ. આમાં જે કે ગિરિપત્તન આદિ છમાં વૈહાયસનો અંતભવ છે જ, તો પણ વલનમરણ, અંતઃશલ્મમરણના પ્રક્ષેપમાં ઉક્ત સંખ્યાનો વિરોધ કેમ ન આવે? સમાધાન - અહીં અવિરતના જ બાલમરણની વિવેક્ષા છે. કહ્યું છે કે- અવિરતમરણ અને બાલમરણ. આ બંનેનું એક સંયમ- સ્થાનથી નિવર્તન, અન્યત્ર માલિ માત્ર વિવક્ષિત છે. સર્વથા વિરતિનો અભાવ નહીં જ, તેથી કઈ રીતે બાલમરણમાં સંભવ છે? તથા છદ્મસ્થમરણ પણ વિરતોને જ રૂઢ છે, તેથી ઉક્ત સંખ્યામાં વિરોધનથી. એ પ્રમાણે દેશવિતને પણ બે આદિ ભંગ ભાવના કરવી. માત્ર ત્યાં બાલમરણના સ્થાને બાલ પંડિત મરણ વાંચવું. વિરતને તો અવધિ અને આત્યંતિકમરણમાંનું કોઈ એક અને પંડિતમરણ તે બીજું, છદ્મસ્થ અને કેવલિમરણમાંનું કોઈ એક તે ત્રીજું ભક્ત પરિજ્ઞા, પાદપોપગમન કે ઇંગિની મરણમાંનું કોઈ એક તે ચોથું, કારણ હોય તો વૈહાયસ અને ગૃઘપૃષ્ઠમાંનું કોઈ એક તે પાંચમું, દઢ સંયમ પ્રતિ આ પ્રમાણે કહેલ છે. શિથિલ સંચમીને અવધિ અને આત્યંતિક મરણમાંનું કોઈ એક મરણ હોય. કોઈક કારણથી વૈહાયસ અને ગૃધપૃષ્ઠમાંથી કોઈ ક તે બીજું, કથંચિત શલ્યના સંભવમાં અંતઃશત્ર મરણ સાથે ત્રીજું વલન્મમરણની સાથે ચોથ, છગ્નસ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy