SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ઉત્તરાધ્યયન મૂaણ-સટીક અનુવાદ/૧ ત્યાર પછી આચાર્યએ રોહગુમને એક હરણ પણ અભિમંત્રીને આપ્યું. જો તે પોટ્ટાલ બીજો કોઈ ઉપદ્રવ કરે તો આ જોહરણને ભગાડજે. તેનાથી તું અજેય બની જઈશ. ઇન્દ્ર પણ પછી તને જીતી શકશે નહીં. પછી આ વિધાઓ ગ્રહણ કરીને સેહગુમ રાજ્યસભામાં ગયો. તેણે ત્યાં કહ્યું - આ શું જાણે છો ? પૂર્વપક્ષ તેને જ સ્થાપવા દો. પરિવાકે વિચાર્યું કે આ સાધુઓ નિપુણ હોય છે. તેથી તેમનો જ સિદ્ધાંત હું ગ્રહણ કરું. જેમકે રાશી બે જ છે- જીવરાશિ અને જીવરાશિ. ત્યારે રોહગમે ત્રણ શશિની સ્થાપના કરી, તે જાણી ગયો કે- આ પ%િાજકે મારો સિદ્ધાંત ગ્રહણ કરેલ છે. તેથી તેને બુદ્ધિ વડે હરાવીને ત્રણ રાશિની સ્થાપના કરી. જીવ, અજીવ અને નોજીવ. તેમાં જીવ - તે સંસારમાં રહેલા ઇત્યાદિ, અજીવ તે ઘટ આદિ અને જીવ - તે ગોળીની છેદાયેલી પુંછડી ઇત્યાદિ. ત્યાર પછી રોહગમે છાંત આપ્યું કે જેમ દંડ હોય, તેમાં આદિ, મધ્ય અને અગ્ર એ ત્રણ ભાગ હોય છે. એ પ્રમાણે બધાં ભાવો ત્રણ ભેદ હોય છે. એ પ્રમાણે તેણે પોરૂશાલને ચુપ કરી દીધો. ત્યારે તે પરિવ્રાજકે શેષિત થઈને વીંછીને છોડ્યો, ત્યારે સાધુએ મયુરોને સામે છોડ્યા. તેના વડે વીંછીઓ હણાતા, પૌરુશાલે સર્પોને મૂક્યા ત્યારે રોહગુણે તેના પ્રતિઘાતને માટે નોળીયાઓને મૂક્યા. ત્યારે ઉંદર - સામે બીલાડા, પછી મૃગન સામે વાઘને, પછી શૂકરની સામે સિંહોને, પછી કાગડાની સામે ઘુવડોને, પછી શકુનિકા - સમળીના બચ્ચાની સામે ઉભાવકને મૂક્યા. એ પ્રમાણે પોશાલની સામે વિધાઓને રોહગુમે પ્રતિવિધાઓથી નષ્ટ કરી દીધી. ત્યારે પરિવાજ કે ગર્દભી વિધા છોડી. રોહગુમે ગુરુએ કહ્યા મુજબ આ ઉપદ્રવ સામે જોહરણ ભમાડીને તેને આહત કરી, ત્યારે તે વિધા તે જ પરિવ્રાજકની ઉપર હંગીને ગઈ. ત્યારે પરિવ્રાજક ઘણી જ હીલનાપૂર્વક ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો. એ પ્રમાણે તેણે પરિવ્રાજકને હરાવ્યો. ત્યાર પછી આચાર્ય ભગવંત પાસે આવીને જે પ્રમાણે રાજસભામાં બનેલું તે પ્રમાણે બધો વૃત્તાંત કહ્યો. આચાર્ય ભગવંતે તેને પૂછ્યું - ઉઠતી વેળા તેં રાજસભામાં કેમ ન કહ્યું કે - રાશિઓ ત્રણ હોતી નથી, આ તો ફક્ત તેને બુદ્ધિ વડે પરભવ કરવા માટે મેં પ્રરૂપણા કરેલી. હવે ફરી જઈને સભામાં કહી આવ કે શશિ ત્રણ ન હોય. રોહગમને તે વાત ગમી નહીં. “મારી અપભ્રાજના ન થાઓ” એમ વિચારીને તે આચાર્યની વાત સ્વીકારતો નથી. વારંવાર તેને કહેતા, તે બોલ્યો કે - આમાં શો દોષ છે ? કદાચ ત્રણ શશિ છે એમ કહેવામાં આવે તો તેમાં શું થઈ જવાનું હતું ? રાશિઓ ત્રણ છે જ. આચાર્યએ કહ્યું - હે આર્ય ! તેમાં અસતુભાવ અને તીર્થકરની આશાતના થાય છે. તો પણ રોહગુસે તે વાતન સ્વીકારી. એ પ્રમાણે તે આચાર્યની સાથે વાદે ચડી ગયો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy