________________
૧ર૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કદાચ માનુષ્યત્વને પ્રાપ્ત કરી લે, તો પણ “ધર્મસ્મૃતિ દુર્લભ છે, તે દર્શાવતા નિયુક્તિ કાર કહે છે -
• નિર્યુક્તિ • ૧૬૦, ૧૧ + વિવેચન -
આળસ, મોહ ઇત્યાદિ કારણો અહીં કહેવાશે. તેને લીધે સુદુર્લભ માનુષ્યત્વને પામીને પણ જીવ સંસાર ઉત્તારિણી શ્રુતિને પામતો નથી.
આલસ્ય - અનુધમ રૂ૫, ધર્માચાર્યની પાસે ન જાય કે ન સાંભળે, આ પ્રમાણે બધાં જ કારણો સાથે જોડવું. મોહ - ગૃહ કર્તવ્યતા જનિત વૈચિત્યરૂપ અથવા હેય - ઉપાયના વિવેકના અભાવ રૂ૫. અવજ્ઞા – જેમ કે - આ મુંડ શ્રમણો શું જાણે ? અaણ - સાધુના અવર્ણવાદથી, જેમકે - આ મળથી ભરેલા શરીરવાળા, બધાં સંસ્કારોથી રહિત, પ્રાયઃ પ્રાકૃત વયવાળા ઇત્યાદિ છે.
સ્તંભ - જાતિ આદિથી ઉત્પન્ન અહંકારથી, હું આવો પ્રકૃષ્ટતર જાતિવાળો, હું આમને કેમ અનુસરું. ક્રોઇ - આચાર્યાદિ વિષયક પ્રીતિરૂપથી, મહામોહથી હણાયેલો, કોઈ આયાર્યાદિ વડે કોપાયમાન થયો હોય, પ્રમાદ - નિંદ્રા આદિ રૂપ. નિંદ્રા આદિથી પ્રમત્ત જ રહેતો હોય. કૃણ - દ્રવ્યના વ્યયને સહન ન કરવા રૂ૫. જો હું આમની પાસે જઈશ તો અવશ્ય દ્રવ્યનો વ્યય થશે તેથી તેમનો દૂરથી જ પરિહાર કરવો. ચ - કદાયિતુનરકાદિ વેદનાના શ્રવણથી ઉત્પન્ન અમાતા વડે, અથવા નિઃ સત્વો જનરકાદિ ભયને બતાવે છે. એવા ભયથી ફરી સાંભળવા ન ઇચ્છે.
શોક - ઇષ્ટના વિયોગથી ઉત્પન્ન દુઃખથી, કયારેક તે પ્રિયપ્રણયિનીના મરણ આદિમાં શોક કરતો બેસી રહે. અજ્ઞાન - મિથ્યા જ્ઞાનથી, જેમકે - માંસ ભક્ષણમાં દોષ નથી, મધ કે મૈથુનમાં દોષ નથી, ઇત્યાદિ રૂ૫. વ્યાપ - હવે આ કામ છે, હવે આ કામ છે, એ પ્રમાણે ઘણાં કાયની વ્યાકુળતા રૂપ વ્યાક્ષેપ. કુતૂહલ - ઇંદ્રજાલ આદિ અવલોકન માટે ફરતો હોવાથી, રમણ - કુકડા આદિની ક્રીડા રૂપ. હવે આ અર્થોના નિગમનને કહે છે -
અનંતરોક્ત બતાવેલા હેતુ કે કારણોથી. કોઈ રીતે પ્રાપ્ત થઈ પણ જાય, શું? અતિશય દુર્લભ એવું મનુષત્વ, તે પણ ધર્મને સાંભળવા રૂપ શ્રુતિને ન પામે. તે શ્રુતિ કેવી ? હિતકારી - આ લોક કે પરલોકમાં તથ્ય-પચ્ચને જણાવનારી. તેથી જ સંસારને પાર ઉતારનારી, મુક્તિ પમાડવા માટે નિતાર કરે છે, તેથી સંસારસારણી. કોને ?
જીવને.
આ રીતે ધર્મની શ્રુતિના દુર્લભત્વને બતાવીને, તેના લાભ થાય તો પણ તેમાં શ્રદ્ધાના દુર્લભત્વને કહે છે -
• નિર્યુક્તિ - ૧૨, ૧૬૩ + વિવેચન -
મિથ્યાષ્ટિ જીવો ઉપદષ્ટિ પ્રવચનની શ્રદ્ધા કરતા નથી, પણ ઉપદિષ્ટ કે અનુપદિષ્ટ અભાવની શ્રદ્ધા કરે છે. સમ્યક્ દૈષ્ટિ જીવો ઉપદિષ્ટ પ્રવચનની શ્રદ્ધા કરે છે, અસત્વભાવને અનાભોગ કે ગુરુનિયોગથી સહે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org