________________
અધ્ય૦ ૩ ભૂમિકા
Еч
કરણશાલા - ન્યાયાલયે ગયો. ત્યાં બે શોક્યોનો એક પુત્ર માટે વિવાદ હતો, બે દિવસ સુધી નિકાલ ન આવ્યો. મંત્રીપુત્ર આવ્યો. તેણે ન્યાય આપ્યો કે ધનના અને પુત્રના બે ભાગ કરીને વહેંચી દો. તેની ખરી માતા બોલી - મારે દ્રવ્યનું કામ નથી, પુત્ર પણ તેને આપી દો. જેથી હું તેને જીવતો જોઈ શકું. બીજી માતા મૌન રહી. ખરી માતાને પુત્ર આપી દીધો. ખરી માતાએ પ્રસન્ન થઈ (ભોજન આપ્યું) પૂર્વવત્ ૧૦૦૦ મૂલ્યનો ખર્ચ થયો.
ચોથે દિવસે રાજપુત્રને કહ્યું - આજે તારે પુણ્ય વડે યોગવહન કરાવવું. સજપુત્ર ઉધાનમાં ગયો. ત્યાં રાજા અપુત્ર મરી ગયેલો. રાજાને પસંદ કરવા અશ્વ તૈયાર કર્યો. અશ્વ રાજપુત્ર પાસે જઈ ઉભો રહ્યો, તેને રાજ્યપદે સ્થાપ્યો. અનેક લાખની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે અર્થ પ્રાપ્તિ થઈ.
-
-
હવે શામ, ભેદ, દંડ, ઉપપ્રદાન એ ચારથી અર્થ મળે છે, તે બતાવે છે - તેનું દૃષ્ટાંત. શીયાળે ભમતા મરેલ હાથીને જોયો. તેને થયું કે મારે આને નિશ્ચયથી ખાવો. તેટલામાં સિંહ આવ્યો. શીયાળે વિચાર્યું કે સિંહની ચેષ્ટા જોતાં ઉભા રહેવું. સિંહે કહ્યું કેમ ભાણીયા ! ઉભો છે? શિયાળ બોલ્યો - હા, મામા. સિંહે કહ્યું - આ કોણ મર્યુ છે? શિયાળ બોલ્યો - હાથી. કોણે માર્યો - વાઘે. સિંહે વિચાર્યું - નીચ જાતિએ મારેલ હું કેમ ખાઉં? સિંહ ગયો. વાઘ આવ્યો. તેને કહ્યું કે - સિંહે મારેલ છે, તે પાણી પીવા ગયો છે, વાઘ ભાગી ગયો. આ ભેદનું દૃષ્ટાંત હતું. કાગડો આવ્યો, તેણે વિચાર્યુ - જો હું આને નહીં આપું તો ‘કા-કા' કરીને કાગડા ભેગા કરશે. તેના શબ્દથી શિયાળ વગેરે આવશે, કેટલાંને રોકીશ - કેટલાંને આપીશ? એમ વિચારી કાગડાને કકડો કાપી દીધો. આ દાનનું દૃષ્ટાંત છે.
ત્યાં બીજો શિયાળ આવ્યો. પેલા શિયાળે વિચાર્યું કે તેની સાથે હઠ કરીને અટકાવું, આવેલા શિયાળને તેણે ભગાડી દીધો. - x - અર્થકથા કહી.
વિવેચન
♦ નિયુક્તિ - ૧૯૩
હવે કામકથા કહે છે રૂપ તે સૌંદર્ય, વય-યુવાની, વેષ - ઉજ્જ્વળ વસ્ત્રો, દાક્ષિણ્ય - માર્દવ, શિક્ષા - જૂદા જૂદા વિષયો કે કળાનું શિક્ષણ, દૃષ્ટાંત - અદ્ભુત દર્શન, તેને આશ્રીને સાંભળેલ તથા અનુભવેલ હોય, સંસ્તવ - પરીચય, આ સંબંધી જે કતા તે કામ કથા. રૂપમાં વસુદેવ આદિનું દૃષ્ટાંત છે. યુવાનીમાં પ્રાયઃ બધાં લાવણ્યથી મનોહર દેખાય છે. - X - ઉજ્જ્વળ વેશ પણ કામાંગ છે - - x - સ્ત્રીને માર્દવના પ્રિય છે, શિક્ષા અને કળામાં કામાંગને પુષ્ટિ મળે છે. - × - બીજા કહે છે કે અહીં - અચળ અને મૂળ દેવ બંને પાસે દેવદત્તાએ શેરડી માંગી, અચળે ઘણી પણ સંસ્કાર્યા વિનાની શેરડી મોકલી, મૂળદેવે થોડી પણ સુસંસ્કૃત આપી. દૃષ્ટને આશ્રીને કામકથા - નારદે રુક્મિણીનું રૂપ જોઈને વાસુદેવને કહ્યું. શ્રુતમાં પદ્મનાભે દ્રોપદી વિશે સાંભળી અપહરણ કરાવ્યું. અનુભૂતમાં તરંગવતી, સંસ્તવમાં કામ કથા પરિચય જાણવા. કામ કથા કહી.
હવે ધર્મકથા કહે છે
Jain Education International
·
-
.
For Private & Personal Use Only
www.jainelibrary.org