________________
૨૨૮
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ અનકને વિચારવું જોઈએ. આ સ્થાનોને વિશેષથી કહે છે - તે ઘોડાને લગામરૂપ, હાથીને અંકુશરૂપ અને વહાણમાં પટ્ટતુલ્ય છે. અર્થાત્ ઉન્માર્ગ પ્રવૃત્ત ધોડા દિને આ લગામ આદિ નિયમનના હેતુરૂપ છે, તેમ સંયમથી ઉન્માર્ગમાં પ્રવૃત્ત ભવ્ય જીવોને તે નિયમન રૂપ છે. તેથી તે સમ્યક્ વિચારવા યોગ્ય છે.
શિષ્યને આમંત્રીને કહે છે કે - (૧) અધમ કાળમાં કાળના દોષથી પ્રકર્ષથી ઉદાર ભોગની અપેક્ષાથી જીવવું પ્રાણીને દુષ્કર છે. રાજા આદિને પણ અનેક દુઃખો પડે છે. ઉદાર ભોગ રહિતતાથી વિડંબના પ્રાયઃ કુગતિ હેતુ બને છે, તો ગૃહસ્થાશ્રમ વાળાએ તો વારંવાર વિચારવું જોઈએ.
(૨) ગૃહસ્થના કામ ભોગ દુઃષમ કાળમાં અતિ તુચ૭, ફોતરા જેવા અસાર અને અલ્પકાલીન હોય છે. મદન કામ પ્રધાન શબ્દાદિ વિષયો પરિણામે કટુ વિપાકી છે, દેવ જેવા નથી, એવા ગૃહાશ્રમથી શો લાભ? તેમ વિચારે.
(૩) દુઃષમ કાળમાં મનુષ્યો પ્રાયઃ ઘમાં કપટી છે. વિશ્વાસ રાખવા લાયક નથી, વિશ્વાસ હિતને સુખનો અંશ પણ ક્યાંથી હોય ? માયા બંધ હેતુત્વથી દારુણ બંધ થાય, એવા ગૃહાશ્રમને શો લાભ? તેમ વિચારે.
(૪) આ દુઃખ ચિરકાળ રહેનારું નથી. કર્યું દુઃખ ? સાધુપણું પાળતા શરીર અને મનનું દુઃખ જે પરીષહથી આવે છે તે. વેદનીય કર્મ દૂર થતાં સંયમ સજ્ય પ્રાપ્ત થતાં સુખ મળશે. જો થોડા દુઃખ માટે સંયમને છોડી દઈશ તો મહાન દુખ નરકમાં ભોગવવા પડશે, તેમ વિચારે.
(૫) દીક્ષા લીધેલાને ધર્મના પ્રભાવથી રાજા આદિ અબ્યુત્થાન આદિ દ્વારા પૂજે છે. જો દીક્ષા છોડીશ તો પેટ ભરવા તથા પાપ છુપાવવા માટે સામાન્ય માણસની પણ ખુશામત કરવાનો પણ વખત આવશે. અધર્મી સજા દેશમાં બળજબરીથી વેઠ કરાવતાં સખત મજુરી કરવી પડે છે.
(૬) ઉલટી કરેલા આહારને કુતરા કે શિયાળાદિ અધમ પ્રાણી ખાય છે. તેમ દિક્ષા લીધા પછી ફરી ભોગો ભોગવાતા લોકમાં નિંધ થાય છે.
(9) નરક, તિર્યંચ રૂપ અધોગતિમાં વસવાના કર્મ બંધાય છે.
(૮) ગૃહસ્થાવાસમાં પ્રમાદને લીધે ધર્મ આદરવો ઘણો દુર્લભ છે. પુત્ર, સ્ત્રી, મિત્ર આદિ બધું ફાંસારૂપ છે, માટે ગૃહવાશ કહો. સ્નેહનું બંધન અનાદિ ભવ અભ્યાસથી મોહનું કારણ છે, તેમ વિચારવું.
(૯) સધોઘાતી આતંક અને વિચિકાદિ રોગધર્મબંધુ રહિત ગૃહસ્થને વિનાશને માટે થાય છે. આ વધ અનેકના વધનો હેતુ થાય છે.
(૧૦) ઇષ્ટ- અનિષ્ટ વિચોગ પ્રાપ્તિ જ માનસ આતંક તે ગૃહસ્થને હોય. તથા તેવી ચેષ્ટાના યોગથી મિથ્યા વિકતાના અભ્યાસથી વધાર્યું થાય
(૧૧) ગૃહાશ્રમ કૃષિ, વાણિજ્યાદિ કલેશકારી છે, પંડિતો વડે ગહિત છે. શીત, ઉષ્ણ, શ્રમ, તથા ઘી, મીઠું આદિની ચિંતામાં પડવું પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org