________________
૨૦૪
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ પાસેથી પામવાની ઇચ્છાથી વિનય વડે આરહે તે પણ એક વખત નહીં, અનેક વખત ગુરુ તે સંતોષે, તે પણ જ્ઞાનાદિ ફળ માટે નહીં, પણ નિર્જરાર્થે આરાધે.
મેઘાવી આ પ્રમાણે બોધ વયનો સાંભળીને, આચાર્યની સેવામાં તત્પર બનીને ગુરુ આરાધના ફળ અપ્રમત રહીને તેમની આજ્ઞા પાલન કરી મેળવે. એ પ્રમાણે ગુરુ શુશ્રુષા રક્ત અનેક જ્ઞાનાદિ આરાધીને, અનુત્તર સિદ્ધિને પામે. ઇત્યાદિ - -
3 અદશયન - ૯, ઉશો - ૨
• સૂત્ર - ૪૩૨, ૪૩૩ -
વૃક્ષના મૂળથી સ્કંધ ઉત્પન્ન થાય છે, સ્કંધણી શાખા ઉગે છે, શાખાથી પ્રશાખા નીકળે છે. પછી તે વૃક્ષને પત્ર, પુષ્પ, ફળ અને રસ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ઘર્મવૃક્ષનું મૂળ વિનય છે, તેનું પરમ સયુક્ત ફળ મોક્ષ છે. તે વિનય દ્વારા સાધુ કીર્તિ, ચુત અને મોક્ષને જલ્દી પ્રાપ્ત કરે છે.
• વિવેચન- ૪૩૨, ૪૩૩ •
વિનય અધિકારનો આ બીજો ઉદેશો છે. તેનું આ પહેલું સૂત્ર છે - વૃક્ષના મૂળથી થળથી ઉત્પન્ન થાય છે. - x તેની ભમ સમાન શાખા ઉત્પન્ન થાય. ઉકત શાખાથી તેના અંશરૂપ પ્રશાખા જન્મે છે. તથા તેના વડે પાંદડા ઉગે છે. પછી તે વૃક્ષના પુષ્પ, ફળ અને સ ક્રમથી થાય છે. આ દેટાંત આપી, તેનું દાખત્તિક કહે છે - વૃક્ષના મૂળની જે ધર્મરૂપ કલ્પવૃક્ષનું મૂળ વિનય છે. તેના ફળ રસ સમાન મોક્ષ છે, સ્કંધાદિ સમાન દેવલોક કે સુકુલમાં ગમનાદિ છે. તેથી વિનય કરવો જોઈએ. શું વિશેષ છે ? વિનય વડે સર્વત્ર શુભપવાદરૂપ કીર્તિ તથા અંગ પ્રવિષ્ટાદિ પ્રશંસા પાત્ર રૂપ સંપૂર્ણ શ્રુતને પામે છે.
• સુત્ર - ૪૩૪, ૪૩૫ -
જે ક્રોધી છે, મૃગ સમાન અજ્ઞ છે, અહંકારી છે, દુવાદી છે, કપટી અને શઠ છે, તે અવિનીતાત્મા સંસાર સ્રોતમાં, જળમાં પડેલા કાષ્ઠની માફક પ્રવાહિત થતો રહે છે. કોઈપણ ઉપાયથી વિનયમાં પ્રેરિત કરાયેલો જે મનુષ્ય કુપિત થઈ જાય છે, તે દિવ્યલક્ષ્મીને દંડથી રોકનાર થાય છે.
• વિવેચન - ૪૩૫, ૪૩૬ -
અવિનયવાન ના દોષો કહે છે - જે ચંડ, અજ્ઞ - હિતને કહે તો પણ રોપાયમાન થાય, જાત્યાદિમદથી ઉન્મત, અપ્રિયવક્તા, માયા યુક્ત, સંયમ યોગોમાં અનાદર વાળો, આ બધાં દોષોથી વિનય કરતો નથી, તેવો પાપી સંસાર સ્રોતમાં સકલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org