________________
૧૮૦
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ (૩૨૩, ૩૨૮) એ પ્રમાણે આ ધાન્ય - ઓષધિ પાકી ગઈ છે, વીતી કે છાલવાની છે, કાપવા કે મુંજવા કે સેકીને ખાવા યોગ્ય છે, તેમ ન કહે. જે યોજનાવાશ બોલવું જ પડે તો આ પાધિઓ સરિત, પ્રાયઃ નિષ્પ, સ્થિરીભૂત, ઉપવાતથી પાર થઈ છે, કર્ણ ગર્ભમાં છે કે બહાર નીકળેલ છે. સાથવા પરિપક્વ બીવાળા થયા છે, તેમ બોલે.
• વિવેચન - ૩૧૯ થી ૩૨૮ -
સૂત્રાર્થ કહેલ જ છે. અહીં માત્ર વિશેષ વૃત્તિ જ નોંધીએ છીએ - ઉધાન - જનક્રીડા સ્થાન, મહ - મોટા પ્રમાણવાળા, પ્રજ્ઞાવાન - સાધુ, અi - (આ વૃક્ષો) પર્યાપ્ત છે. કોના માટે ? પ્રાસાદાદિ બનાવવા માટે. અહીં એક તંભવાળો તે પ્રાસાદ. સ્તંભ તે થાંભલો. તોરણ - નગરના તોરણ, ગૃહ – કુટિર. પરિઘ - નગરના દ્વારમાં, અર્ગલા - ગોપુરકના પાટાદિનો આગળીયો. ઉદકદ્રોણી - આરહટ્ટની જલવારિકા - - ચંગબેર - કાષ્ઠપાત્રી, મંગલ - હળ. મયિક - વાવેલ બીજોનું આયછાદન. કામ -- શકી, રથ કે ચંડિકાના ચક્રનો મધ્યભાગ. ગરિકા - સોનીની અધિકરણી કે સ્થાપની. આસન - આનંદક, શયન - પથંકાદિ. ચાન - યુગ્ય આદિ, ઉપાશ્રય - વસતિ કે દ્વાર પાસાદિમાં આ વૃક્ષો યોગ્ય છે. આવી સત્વોને પીડાકારી ભાષા પ્રજ્ઞાવાન સાધુ ન બોલે. તેનાથી તે વનસ્વામી શ્વેતસદિ કોપ પામે, વૃક્ષ છેદનની અનુમોદનાનું પાપ લાગે, સાધુઓને બોલવાનું ભાન નથી તેમ કહે.
અહીં વિધિ કહે છે - સૂત્રાર્થમાં કહ્યા મુજબ પૂર્વવત્ બોલે જાતિમંત - ઉત્તમ જાતિના અશોકાદિ, દીર્ણ - નાળિયેરી આદિ, વૃત્ત -- નંદિ વૃક્ષાદિ, મહાલય - વડ આદિ. પ્રજાસ શાખા - ઉત્પન્ન ડાળોવાળા વિટfM - પ્રશાખાવાળા કે દર્શનીય કહે. એ પણ પ્રયોજન હોય, ત્યાં વિશ્રાંતિ લેવા બેઠો હોય તે સાધુએ, બીજા કોઈને માર્ગ બતાવવા કહેવું પડે ત્યારે બોલે, તે સિવાય નહીં.
હવે ફળને આશ્રીને સૂત્ર કહે છે - ફલ - આમ્રફળ, પત્ર- પાકેલા, પાકખાધ - ગોટલી બંધાયેલ, ખાડા નાંખીને કોદરા કે પરાળ નાંખીને પકાવીને ખાવા યોગ્ય. ઇત્યાદિ ન બોલે. અતિશય પાકથી ગ્રહણ કાળીને યોગ્ય છે, અસ્થિ બંધાયા નથી - કોમળ છે, પેશી વગેરે બે ફાડચાં કરવા યોગ્ય છે. ઇત્યાદિ ન બોલે. તેમાં ફળનો નાશ થવો કે ગૃહસ્થ તેમાં વધુ મહેનત કરે કે સાધુને અનુમોદનાનું પાપ લાગે ઇત્યાદિ દોષ
લાગે.
જો બોલવાનું પ્રયોજન હોય તો એમ કહે - અતિ ભારથી આ વૃક્ષો ફળોને ધારણ કરવા સમર્થ નથી, ઇત્યાદિ સૂત્રાર્થવત જાણવું. વિશેષ એ કે - બહુ નિર્વિર્તિત એટલે જેના ઠળીયા બંધાયા છે તેવા ફળો. આના વડે પાકીને ખાવા યોગ્ય છે તેમ કહ્યું. બહુ સંભૂત - અતિશય પાકેલા હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે. આના વડે વેળા' નો ઉચિતાર્થ કહ્યો. ભૂતરૂપ - અબદ્ધ ઠળીયાવાળા અથતિ કોમળ ફળ રૂપ, આના વડે ટાલાદિ અર્થ કહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org