________________
૧૧૮
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૩૩ -
જીવાભિગમ કહ્યો. હવે ચારિત્ર ધર્મ કહે છે - બધાં પ્રાણી સુખને વાંછે છે. આ હેતુથી આ છ જવનિકાયોને જાતે • પોતે ન દંડે અથતિ સંઘટ્ટન, પરિતાપના આદિ રૂપમાં ન પ્રવર્તે. બીજા ચાકર આદિ પાસે તેવો દંડ ન અપાવે. તેવા દંડ આપનાર બીજા પ્રાણીની અનમોદના ન કરે. આ (પ્રમાણે દુખ ન આપવી તે ભગવદ્ વચન છે. એમ હોવાથી જીવનપર્યન્ત તેનો ત્યાગ કરે. એ પ્રમાણે કહેલા વચનને સમ્યફ પણે સ્વીકારીને, જાવજીવને માટે ત્યાગ કરે. કઈ રીતે કરવું આદિ રૂપ ત્રણ પ્રકારે અને ત્રણ ભેદે કરણથી, તે આ રીતે - મનથી, વચનથી, કાયાથી આનું સ્વરૂપ પ્રસિદ્ધ જ છે. આ કરણનું કર્મ ઉક્તલક્ષણ ‘દંડ છે. તે વસ્તુતઃ નિરાકાર્યતાથી સૂત્રમાં જ કહેલ છે - હું સ્વયં કરું નહીં, બીજા પાસે કરાવું નહીં, બીજા કરનારને અનુમોદું નહીં.
તેનું - ઉક્ત દંડ અર્થાત હિંસાનો સંબંધ છે. ત્રિકાળ વિષયક દંડ તેના સંબંધી અતીત અવયવને હું પ્રતિક્રમુ છું. વર્તમાન કે ભાવિ સંબંધી નહીં. કેમકે અતીતનું જ પ્રતિક્રમણ થાય. વર્તમાનનું સંવરણ અને ભાવિનું પ્રત્યાખ્યાન કરું છું. ભદંત - એ ગુરુને આમંત્રણ છે. ભદત એટલે ભવનો કે ભયનો અંત કરનાર થાય છે. અને આ ગરની સાક્ષીથી જ સાધુને વ્રતનો સ્વીકાર છે તે જણાવે છે. પ્રતિક્રમતિ - હું જીવોને દંડ દેવાથી નિવડું છું. એમ કહ્યું. તેથી “પાપની અનુમતિથી વિરમણ” એવો અર્થ થાય. નિંદા - આત્મ સાક્ષીથી, ગહ - જુગુપ્સા. અતીત - ભૂતકાળમાં દંડ કરનારને અચ્છાધ્ય જાણીને વિવિધ કે વિશેષ અર્થવાળા વિ શબ્દ, ઉર શબદ - અતિશ્ય અર્થમાં છે, સૃજામિ એટલે છોડું છું. તેથી હું વિવિધ કે વિશેષ પ્રકારે અતિશય- સર્વથા પાપોનો ત્યાગ કરું છું.
(શંકા) આ રીતે પૂર્વના પાપોના દંડનું પ્રતિક્રમણ માત્ર આ સૂત્રમાં બતાવ્યું. વર્તમાન પાપોનું સંવરણ અને ભાવિનું પ્રત્યાખ્યાન કેમ ન બતાવ્યું? (સમાધાન) ના, તેમ નથી. ન કરોમિ, ઇત્યાદિ વડે તદુભય સિદ્ધ છે.
• સુત્ર - ૩૪ -
ભગવાન ! પહેલાં મહાલતમાં પ્રતિપાતથી વિરમણ. ભગવન ! હું સર્વ પ્રકારના પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું. તે સૂક્ષ્મ કે ભાદર, અસ કે સ્થાવર ( કોઈ પ્રાણી છે તેના) પાણીનો પ્રતિપાત - હિંસા સ્વય ન કરું, બીજા પાસે પ્રાણીની રાતિપાત ન કરાવું, મણનો તિપાત કરનારને અાદુ નહીં જાવજીવને માટે સિવિલ - ત્રિવિષે (અતિ) મન • વરાળ • કાયાણી હું (પ્રાણાતિપાત) કરું નહીં, કરાવું નહીં કરનાને અનુમોટું નહીં. ભગવાન ! હું તે (પ્રાણાતિપાત) ને પ્રતિકકું છું, નિંદુ છું, ગઉં છું અને (પાપકર્મ કતી આત્માનો ત્યાગ કરે છે.
ભગવાન ! હું પહેલાં મહાનત (પાલન) માટે ઉપસ્થિત થયો છું. સર્વથા પ્રાણાતિપાતથી વિરમું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org