________________
૧૧૦,
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ અભાવથી, એનું વ્યાખ્યાન કરવા કહે છે - હેતુ પ્રભાવ એટલે હેતુથી ઉત્પન્ન થનાર બંધ છે. પણ તે બંધ જ્ઞાનાવરણાદિ પગલ યોગ લક્ષણવાળો છે. તે બંધ ઉત્પત્તિ પછી તુરત નાશ થાય, તો તેમાં ન ઘટે અને તેના યોગથી વિરહત, એટલે બંધના હેતુઓ જે મિથ્યાદર્શન, અવિરતિ, અરમાદ, કષાય, ચોગ એ પાંચ છે, તેના વડે જે સંબંધ છે, તેનાથી અભાવ થાય, તો જ તે ન ઘટે. ઇત્યાદિ - - - x-x- એ જ પ્રમાણે નિયત્વ અમૂર્ણત્વ દેહ અન્યત્વે યોજના પૂર્વવત જાણવી. ગાથામાં બંધના પ્રત્યયનો અભાવ કહ્યો. હવે વિરુદ્ધ અર્થન પ્રાદુર્ભાવ અને અર્થવિનાશને કહે છે -
• ભાષ્ય - ૪૭ - વિવેચન
અવિનાશી જીવ નિત્ય છે. શા માટે? વિકારના અનુસંભથી. જેમ ઘડો ભાંગતા ઠીકરી દેખાય, તેમ આત્માના ટુકડા દેખાતા નથી. નિત્યત્વ આદિ યોજના પૂર્વવત. ચાલુ સંબંધવાળી જ નિયુક્તિ ગાથા કહે છે -
• નિર્યુક્તિ - ૨૨૭ - વિવેચન - નિરામય એટલે રોગરહિતને રોગોત્પત્તિમાં આ પ્રમાણે બોલનારા જાણીએ છીએ કે . “પહેલાં હું નિરોગી હતો, હાલ હું રોગી છું.” અથવા પહેલાં કોઈ રોગી હોય તે નિરોગી થતાં બોલે - પહેલાં હું રોગી હતો, હવે નિરોગી છે. આવાં વાક્ય ક્ષણ વિનાશી નિરન્વય લક્ષણ આત્મામાં ઉત્પન્ન ન થાય. - x- આ પ્રમાણે આત્મા અવસ્થિત છે. અનેક અવસ્થા અનુભવે છે. આ નિત્યત્વ હોવાથી અમૂર્ત છે. તેથી દેહથી અન્ય છે. આ પ્રમાણે બધે યોજના કરવી. એ રીતે બાળક કે વૃદ્ધ પાછલા અનુભવ યાદ કરે છે, તેથી સમજવું કે - “અનુભવ કોઈ બીજો કરે અને યાદ કોઈ બીજો કરે, તેવું ન બને. જો તેમ માનો તો જગતનો વ્યવહાર ઉલટો થઈ જાય. -x- x-x- (અહીં જે વાદ છે તેને અમારા કાર્યક્ષેત્રમાં પહેલાંથી જ સ્વીકારેલ નથી, માટે તેનો અનુવાદ કરેલ નથી. તેથી સારાંશ જ હધે કહીએ છીએ - ) નિત્ય આત્મા ગુણીપણે વિધમાન અને અતીન્દ્રિયપણે હોવાથી આકાશ માફક છે. આત્મા નિત્ય છે, તેને જાતિ મરણ જ્ઞાનનો અનુભવ થાય છે. તેથી જ પૂર્વ ભવની વાત યાદ આવે છે. આ જ ગાથાને ભાષ્યકાર સંક્ષેપથી કહે છે -
• ભાષ્ય - ૪૮, ૪૯ - વિવેચન
રોગની આમય સંજ્ઞા છે. જેમ બાળપણમાં કંઈક કરેલ હોય તે યુવાનીમાં સાંભરે છે, તે રીતે પૂર્વ ભવે કરેલ કર્મ બીજા ભવમાં ઉપસ્થાન થાય છે. આ બધાંની વ્યાખ્યા પૂર્વે વિસ્તારથી કરેલ છે.
આત્મા નિત્ય છે, એ ક્રિયા સર્વત્ર જોડવી. શ્રોત્ર આદિ વડે સમજતો નથી એમ જાણવું. તથા જાતિ મરણ જ્ઞાનથી પૂર્વ જન્મમાં પણ હતો. પાઠાંતરમાં “જાતિ સ્મરણ જ્ઞાનથી ક્ષણિક નથી” કહ્યું તે પણ અદુષ્ટ છે. કેમકે વિધિ તથા નિષેધથી સાધ્ય અર્થનું અભિધાન છે. - *- અમય - આ આત્મા છે. પણ માટીના ધટની જેમ નહીં. આ પણ નિયત્વની પ્રસાધક છે. હવે નિયુક્તિની ત્રીજી ગાથા કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org