________________
ઉપોદ્ઘાત નિં ૨૦૩ થી ૨૦૬
ચોથી ગાથા – બાળકોનું ચૂડાકર્મ ત્યારે પ્રવૃત્ત થયું. કન્યાનું દાન-પિતા આદિ વડે પરણાવવી, એ ત્યારે જ થયું. ભિક્ષાદાન, મૃતકની પૂજા - મરુદેવા પહેલા સિદ્ધ થયા ત્યારે દેવો વડે કરાઈ. અગ્નિ સંસ્કાર - ભગવંત નિર્વાણ પામ્યા ત્યારે પહેલાં દેવોએ કર્યો, પછી લોકમાં પણ આ પ્રવૃત્તિ થઈ. ભગવંત આદિના અગ્નિ સંસ્કાર સ્થળે સ્તૂપ ત્યારે જ કરાયા, લોકમાં પણ પછી પ્રવૃત્ત થયા. શબ્દ-રુદિત શબ્દો, જ્યારે ભગવંત મોક્ષમાં ગયા ત્યારે ભરતને અસાધારણ દુઃખ થયું જાણીને શક્ર વડે કરાયા. લોકમાં પણ રૂઢ થયા. બાલક્રીડાપન, પૃચ્છા - ૪ - કાનના મૂળ પાસે ઘંટિકા ચલિત થાય. ફરી યક્ષો આવી કાનમાં કહે છે – કોઈ પણ પ્રશ્નની વિવક્ષા કરે છે અથવા નિમિનાદિ પૃચ્છતા, સુખશાતા આદિ પૃચ્છા. - X -
હવે પહેલી ગાયાનું પહેલું દ્વાર ભામાં કહે છે - • ભાષ્ય-પ+વિવેચન :
૧૪૩
કંદાહાર, મૂલાહાર, પગાહાર, પુષ્પ-ફળ ખાનારા પણ હતા. ક્યારે ? જ્યારે ઋષભદેવ કુલકર હતા. ભાવાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે તે યુગલિકો આવા પ્રકારે થયા. વિન શબ્દ પરોક્ષ આપ્ત આગમવાદનો સૂચક છે. - તથા -
• ભાષ્ય-૬+વિવેચન :
ઈક્ષુને ખાનાર હોવાથી ક્ષત્રિયો ઈક્ષ્વાકુ કહેવાય અને શણ વગેરે સતર પ્રકારના ધાન્ય-શાલ્યાદિ, અપવ-ન્યૂન એમ ભોજન કરતા હતા. તો પણ કાળદોષથી તે પણ જીર્ણવંત ન થતાં, તે ભગવંતને પૂછતા, ભગવંતે કહ્યું – હાથમાં ઘસીને આહાર કરો. આ જ અર્થને પ્રતિપાદિત કરતાં ભાષ્યકાર કહે છે -
• ભાષ્ય-વિવેચન :
થોડો પણ આહાર કરતાં અજીર્ણ થતાં તે યુગલો પહેલા તીર્થંકર પાસે આવ્યા, સર્વ અવસર્પિણી સ્થિતિ દર્શાવવા વર્તમાન નિર્દેશ કર્યો. ભગવંતે બે હાથ વડે ઘસીને કહ્યું કે આ રીતે આહાર કરો.
ભાષ્ય-૮નું વિવેચન :
તે યુગલિકો ભગવંતના ઉપદેશથી બે હાથો વડે ઘસનારા થયા તેથી પાળિયળ,
અહીં એમ કહે છે – તેઓ વનસ્પતિધાન્યને બે હાથો વડે ઘસી, ફોતરા કાઢી ખાતા. એ પ્રમાણે કાળના દોષતી કેટલોક કાળ જતાં તે પણ અજીર્ણ - અપચો થવાં લાગ્યું. ફરી ભગવંતના ઉપદેશથી જ બે પાનની વચ્ચે મૂકી થોડીવાર રાખી ખાવા લાગ્યા. તેથી તીમિતાંદુલ પ્રવાલપુટ ભોજી કહેવાયા. અહીં તંદુલ શબ્દથી ધાન્ય વનસ્પતિ જ કહેવી. ફરી કેટલોક કાળે જતાં અજીર્ણના દોષથી ભગવંતના ઉપદેશથી હસ્તતલપુટાહારા થયા. હથેળીના સંપુટમાં આહાર રાખી, કેટલાંક કાળ પછી ધાન્યવનસ્પતિ ખાતા.
તે પ્રમાણે કાંખમાં રાખીને જાણવું. ત્યારે તે યુગલિકો આવા પ્રકારના થયા ફરી અભિહિત પ્રકારના સંયોગો વડે આહાર કરનાર થયા. તે આ પ્રમાણે – હાથ વડે ઘસીને, પાંદડાના સંપુટમાં રાખીને, કાંખના પરસેવામાં રાખીને ઈત્યાદિ કહેવું. -
૧૪૪
X - X + X » X -
આનો જ ઉપસંહાર કરતાં કહે છે – • ભાષ્ય-+વિવેરાન -
• ઉક્તાર્થ જ છે. વિશેષ એ કે ઉક્તાર્ય અક્ષર યોજના આ પ્રમાણે મંડલ ઘસીને ખાનારા, આના દ્વારા પૂર્વે કહેલ પ્રત્યેક ભંગક જણાવ્યા. ઘસી પ્રવાલપુટમાં રાખીને ખાનારા, આના દ્વારા બીજી યોજના - બે ભાંગા બતાવ્યા. ઘસીને પ્રવાલપુટમાં રાખીને હાથપુટમાં કેટલોક કાળ રાખીને ખાનારા, આના દ્વારા ત્રણ ભાંગા બતાવ્યા તથા કાખમાં રાખીને ખાનારા, એમ કહીને અનંતર કહેલ ત્રણે ભાંગા સહિત ચોયો ભાંગો બતાવ્યો.
ભાષ્ય-૧૦-વિવેચન :
-
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
-
[પ્રશ્ન] બધું જ ઘસીને ખાવું આદિ તે યુગલિકોએ તીર્થંકરના ઉપદેશતી કર્યું અને તે ભગવંતે જાતિ સ્મરણવાળા હતા. તો પછી તેમણે અગ્નિના ઉત્પાદનો ઉપદેશ કેમ ન આપ્યો ? [ઉત્તર ત્યારે કાળ એકાંત સ્નિગ્ધ અને રૂક્ષકાળ હતો, તેથી પ્રયત્ન છતાં અગ્નિ ઉત્પન્ન થતો નથી. તે વાત ભગવંત જાણતા હતાં. પરંતુ સ્નિગ્ધ રૂક્ષકાળના અનતિપણામાં - મધ્યમ કાળમાં થાય છે, તેથી આદેશ કર્યો નહીં.
ચોથો ભાંગો બતાવ્યા છતાં કાળના દોષથી આહારનું અજીર્ણ થવા લાગ્યું, એટલામાં અચાનક અગ્નિનું ઉત્થાન તે કાળે થયું. કઈ રીતે ? વૃક્ષના ઘર્ષણથી. તે પ્રવૃદ્ધ જ્વાલા શ્રેણીવત્ ઉત્પન્ન થઈ જમીનમાં રહેલા ઘાસને બાળતો હતો, તે જોઈને અપૂર્વરત્ન પ્રાપ્ત થયું માની બુદ્ધિ વડે ગ્રહણ કરવાં પ્રવૃત્ત થયા. બળી જવાથી ડરીને ઋષભદેવને કથન કર્યું. - ૪ -
ભગવંતે કહ્યું આજુબાજુનું ઘાસ છેદી નાંખો. - x - અગ્નિ શાંત થયો, પછી ભગવંતે કહ્યું કે અગ્નિને ગ્રહણ કરી પાકને કરો. તેઓએ ધાન્યને અગ્નિમાં નાંખતા તે ધાન્ય વનસ્પતિ બધી બળી ગઈ.
પછી શું થયું તે ભાષ્યકાર સ્વયં બતાવે છે –
• ભાષ્ય-૧૧+વિવેચન :
પ્રભુ રચવાડીએ નીકળ્યા ત્યારે યુગલિકોએ નિવેદન કર્યું કે આ અગ્નિ બધું ખાઈ જાય છે. ત્યારે તે ભગવંતે હાથીના સ્કંધ ઉપર બેઠાં બેઠાં જ કહ્યું કે તે રીતે અગ્નિમાં બધું નંખાય નહીં. પરંતુ માટીનો પિંડ લઈ આવો. તેઓ માટીનો પિંડ લાવ્યા. ભગવંતે હાથીના કુંભ સ્થળે પિંડ રાખીને કુંભનો આકાર બનાવ્યો અને કહ્યું કે – આવા પરિપક્વ પત્ર બનાવી, તેમાં અન્ન પકાવીને ખાઓ. તેઓએ તેમ કર્યુ. એ રીતે ત્યાં પહેલું કુંભકારશિલ્પ ઉત્પન્ન થયું અને પકાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. આ
જ વાતનો ઉપસંહાર કરતાં શિલ્પદ્વારની વ્યાખ્યા કરે છે –
• નિયુક્તિ-૨૦૭+વિવેચન
-
પાંચ જ મૂળ શિલ્પ થયા, તે આ − ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર અને વાણંદનું. તેમાં ઘટ-કુંભકારનું શિલ્પ, લોહ-લુહારનું શિલ્પ, ચિત્ર-ચિત્રકાર શિલ્પ, ખંત - આ