SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ ૧૯૮ ૧૪૧ ૧૪૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પછી તે યુગલો રાજ્યાભિષેક કરવા માટે જળ લાવવાને પાિની સરોવર ગયા. તે અવસરે દેવેન્દ્રનું આસન કંપ્યું. ચાવત્ અહીં આવીને અભિષેક કર્યા. આ જ વાતનો ઉપસંહાર કરતાં કહે છે – • નિયુક્તિ-૧૯ * આસન કંપથી ભગવંતના રાજ્યાભિષેક કાળ જાણી ઈન્દ્ર ત્યાં આવીને અભિષેક કર્યો અને રાજ યોગ્ય મુગટાદિ વંકાર પહેરાવ્યા. • વિવેચન-૧૯ : ઉપયોગપૂર્વક અવધિજ્ઞાન વડે જાણીને શક આવ્યો. ભગવંતનો રાજ્યાભિષેક કર્યો. તથા રાજાને યોગ્ય મુગટ, કટક, કુંડલ, કેયુરાદિ અલંકાર પહેરાવ્યા. અહીં પણ વર્તમાનકાળ નિર્દેશનું પ્રયોજન પૂર્વવત્ જાણવું. - X - એટલામાં મિથુનક પુરુષો પાસરોવરમાં નલિની પ્રો વડે જળ લાવવા ભગવંતની પાસે આવીને તેમને અલંકૃત - વિભૂષિત જોઈને વિસ્મયથી વિસ્ફારિત નયનવાળા થયા. મૂઢ થઈ વ્યાકુળ ચિતે કેટલોક કાળ રહીને ભગવંતના બંને ચરણે તે જળ નિક્ષેપ કર્યો. તેની આવી ક્રિયા યુક્તતા જોઈને દેવેન્દ્રએ વિચાર્યું કે આ પુરુષો ખરેખર વિનીત છે તેથી વૈશ્રમણ યક્ષરાજને આજ્ઞા કરી કે- અહીં ૧૨-યોજન લાંધી, ૯ યોજન પહોળી વિનીતા નગરીની ચના કરો. તેણે આજ્ઞા પામીને દિવ્ય ભવન, પ્રાકાર, માળથી ઉપશોભિત નગરી બનાવી. ઉપસંહારાર્થે કહે છે – • નિયુક્તિ-૨00 + કમળામાં ઘણી લઈ જળને ચરણમાં નાંખતા તે યુગલિકો વિનીત હોવાથી વિનીતા નગરી વસાવી. • વિવેચન-૨૦o : ગાથાર્થ કહો. વિશેષ આ - gifત - પ્રક્ષેપ કરે છે. વર્તમાન નિર્દેશ પૂર્વવત્. • x - અભિષેકદ્વાર કહ્યું. હવે સંગ્રહદ્વાર કહે છે – • નિયુક્તિ-૨૦૧+વિવેચન : અશ્વ, હાથી, ગાય એ ચતુષ્પદને રાજ્યના સંગ્રહ નિમિતે ગ્રહણ કરીને, હવે કહેવાનાર સ્વરૂપના ચાર પ્રકારનો સંગ્રહ કરે છે. વર્તમાનકાળ નિર્દેશનું પ્રયોજના પૂર્વવતું. નિયુક્ત-૨૦૨વિવેચન : ઉગ્ર, ભોગ, રાજય, ક્ષત્રિય આમના સમુદાયરૂપ સંગ્રહ તે ચાર ભેદે થાય. આ ચારેનું અનુક્રમે સ્વરૂપ કહે છે - આરક્ષણ કરનાર તે આરક્ષક, ઉગ્રદંડ કરનારા હોવાથી ઉગ્ર, ગુરુ સ્થાનીય તે ગુરુ-ભોગા. મિત્ર રૂપ તે રાજન્ય-સમાન વયવાલા. ઉક્ત સિવાયના તે ક્ષત્રિયો. - X - ધે લોક સ્થિતિનું વૈચિચ નિબંધન જણાવતા કહે છે - • નિયુક્તિ-૨૦૩ થી ૨૦૬ :(૧ થી ૧૧) આહાર, શિલ્ય, કર્મ, મમત્વ, વિભૂષણા, લેખ, ગણિત, રૂપ, લાણ, માન અને પોતજ.. (૧ર થી ૧) વ્યવહાર, નીતિ, યુદ્ધ, ભાણશાસ્ત્ર, ઉપાસના, ચિકિત્સા, અર્થશાસ્ત્ર, બંધ, ઘાત, તાડના... (૨૨ થી ૩૦) યજ્ઞ, ઉત્સવ, સમવાય, મંગલ, કૌતુક, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર.. (૩૧ થી ૪૦) સૂડા ઉપનયન, વિવાહ, દક્તિદાન, મૃતક પૂજ, અગ્નિ સંસ્કાર, સુભ, શબ્દ, ખેલાવવું અને પૂછવું. વિવેચન-૨૦૩ થી ૨૦૬ : આ ચારે બાર ગાથા છે. ભાષ્યકાર આ પ્રત્યેક દ્વારની વ્યાખ્યા કરશે. તો પણ કંઈક કહીએ છીએ – (૧) આહાર વિષયક વિધિ, કઈ રીતે કલાવૃક્ષાનો આહાર સંભવે ? કઈ રીતે પકવ આહાર થાય ? (૨) શિભવિષયક વિધિ, ક્યારે ક્યાં કઈ રીતે કેટલાં શિલ્પો ઉપજ્યાં ? (3) ક્રમ વિષયક વિધિ - કૃષિ, વાણિજ્યાદિ કર્મ થવા અને અગ્નિમાં ઉત્પન્નાદિ. (૪) મામણા-તેનાથી પરિગ્રહ મમવ કહેવું. (૫) વિભૂષામંડનની વકતવ્યતા, તે ભગવંતને પહેલાં દેવેન્દ્રએ કરી, પછી લોકમાં પણ પ્રવૃત થઈ. (૬) લેખ - લિપીવિઘાન, તેની વિધિનું કથન. તે જિનેશ્વરે જમણા હાથે બ્રાહ્મીને બતાવી અને (3) ગણિત વિધિ, ગણવું છે, તે પ્રભુએ ડાબા હાથે સુંદરીને ઉપદેશી. (૮) રૂ૫ - કાષ્ઠ કમદિ, તે ભગવંતે ભરતને કહ્યું. (૯) લક્ષણ - પુરુષ લક્ષણાદિ, તે ભગવંતે બાહુબલિને કહ્યા. (૧૦) માત - માન, ઉન્માન, વિમાન, ગણિમ, પ્રતિમાના લક્ષણ. (૧૧) પોત - આના વડે માન પોતાની વિધિ કહેવી. તેમાં માન બે ભેદે છે - ધાન્યમાન અને સમાન. તે ધાન્યમાન - બે અસતીની પસતી ઈત્યાદિ કહ્યા. સમાન-ચોસઠીયા ઈત્યાદિ. ઉન્માન - જે ઉન્માન કરાય તે કર્યું ઈત્યાદિ. અવમાન - જેથી અવક્તવ્ય થાય તે હાથ કે દંડ વડે, ગણિમ - જે ગણાય ઈત્યાદિ. આ બધું ત્યારે પ્રવૃત્ત થયું. - x - ૪ - બીજી ગાથા - વ્યવહાર વિષયક વિધિ કહેવી, રાજકુલ કરણ ભાષા પ્રદાનાદિ રૂપ વ્યવહાર, તે ત્યારે પ્રવૃત્ત થયો. કેમકે લોકો પ્રાયઃ સ્વ સ્વ ભાવથી અપગમ પામેલા. નીતિવિધિ કહેવી - હક્કાદિ લક્ષણ, શામ આદિ ઉપલક્ષમ. યુદ્ધ વિષયક વિધિ, તેમાં બાહુયુદ્ધ આદિ -x - ઈષશાસ્ત્રા-ધનુર્વેદ વિષયક વિધિ, રાજધર્મ હોવાથી ત્યારે જે પ્રવૃત્ત થઈ • x • x - ઉપાસના-નાપિત કર્મ ત્યારે જ જગ્યું કેમકે પૂર્વે પ્રાણીઓને વ્યવસ્થિત નખ અને રોમ હતા. અથવા ગુરુ કે નરેન્દ્રાદિની ઉપાસના. ચિકિત્સા - રોગહરણ રૂ૫, તે ત્યારે જ થઈ અર્થશાસ્ત્ર, નિગડ આદિ જન્ય બંધ, દંડાદિ વડે તાડન-ઘાત, મારણ-જીવિતાદિથી છુટા પાડવા. આ બધું બહષભ દેવના કાળે જ ઉત્પન્ન થયું. બીજી ગાથા - યજ્ઞ એટલે નાગાદિ પૂજા રૂ૫, ઉત્સવ - શક મહોત્સવાદિ, સમવાય - ગોષ્ઠી આદિ મેળો. આ ત્યારે પ્રવૃત્ત થયું. મંગલ-સ્વસ્તિક, સિદ્ધાર્થકાદિ. કૌતુક - રક્ષાદિ મંગલ - x • આ ભગવંતને પહેલાં દેવો વડે કરાયું. વસ્ત્રચીનાંશુનાદિ, ગંધકોઠપુટાદિ, માળા-પુષ્પદામ, અલંકાર - કેશ ભૂષણાદિરૂપ, આ બધું વસ્ત્રાદિ ત્યારે જ થયા.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy