SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ ૧૧૪,૧૧૫ છે. જીર્ણ વસ્ત્રવાળા કહે છે કે ભાઈ ! મારી પાસે વસ્ત્ર નથી, જલ્દી આપ ઈત્યાદિ. (૨) ઔદ્દેશિક - તે અસ્થિત છે. કેમકે પહેલા-છેલ્લા સાધુને આશ્રીને બનેલ બધાં સાધુને અકલ્પ્ય છે. બાકીના તીર્થના સાધુમાં જેને માટે બનાવેલ છે, તેને જ અકથ્ય છે, બીજાને નહીં. (૩ અને ૪) શય્યાતર પિંડ, રાજપિંડ - પહેલાં છેલ્લા તીર્થના સાધુને ન કલ્લે, બાકીનાને પણ ન કલ્પે, માટે તે નિયત કલ્પ છે. (૫) કૃતિકર્મ - વંદન, બધાં જ તીર્થંકરના સાધુમાં નવદીક્ષિતને પણ ચીરકાળની દીક્ષિત સાધ્વી પણ વાંદે અને નાના સાધુઓ મોટા સાધુને પણ વાંદે માટે નિયત કલ્પ છે. €9 (૬) મહાવ્રત - પ્રાણાતિપાત વિરમણાદિ બધાં જ સાધુ પાલન કરે છે, માટે નિયત કલ્પ છે. [પ્રશ્ન] પહેલા-છેલ્લા સિવાયના તીર્થના સાધુને મૈથુન વિરમણ વર્જીને ચાર વ્રત છે, તો સ્થિત કલ્પ કઈ રીતે કહેવાય ? તેમને પગ્રિહમાં અંતર્ભાવથી તે છે જ. પરિગ્રહ વિના સ્ત્રી ક્યાંથી ભોગવે ? (૭) જ્યેષ્ઠ-સ્થિત કલ્પ છે. માત્ર પહેલાછેલ્લા તીર્થના સાધુને તે કલ્પ વડીદીક્ષાથી છે, બાકીના સાધુને સામાયિક ઉચ્ચરે ત્યારથી છે. (૮) પ્રતિક્રમણ - અસ્થિતકલ્પ છે - પહેલા છેલ્લા તીર્થના સાધુને નિયમથી ઉભયકાળ પ્રતિક્રમણ છે. બાકીનાને દોષના અભાવે સર્વકાળે પણ અપ્રતિક્રમણ થાય છે. (૯,૧૦) માસકલ્પ અને પર્યુષણાકલ્પ - અસ્થિતકલ્પ છે. પહેલાં - છેલ્લા તીર્થના સાધુને નિયમથી માસકલ્પ વિહાર છે, બાકીનાને દોષના અભાવે ન પણ હોય, એ રીતે પર્યુષણા કલ્પ પણ જાણવો. સંક્ષેપમાં આ અર્થ કહ્યો. વિસ્તાથી અર્થ બૃહત્કલ્પથી જાણવો. હવે ચાલુવાત - [પ્રશ્ન પહેલાં, છેલ્લાને ઈત્વર સામાયિક હોવા છતાં જાવજ્જીવની સામાયિક ઉચ્ચરાવાય છે, તો વડી દીક્ષામાં પૂર્વના સામાયિકના ત્યાગથી પ્રતિજ્ઞા લોપ ન થાય? [ઉત્તર] અતિચારના અભાવથી દોષ નથી. તે જ સામાયિક પહેલાં દીક્ષામાં સામાન્યથી સાવધયોગ વિરમણરૂપે છે, તેને વધુ શુદ્ધ કરવાથી સંજ્ઞા માત્ર જ વિશેષ છે. આ પ્રથમ ચાસ્ત્રિ કહ્યું. હવે બીજું છેદોપસ્થાપના કહે છે – પૂર્વ પર્યાયનો છેદ કરી શિષ્યને મહાવ્રતમાં સ્થાપવો. તે બે પ્રકારે છે – સાતિચાર અને નિરતિચાર. તેમાં નિરતિચાર જે ઈત્વર સામાયિકવાળાને વડી દીક્ષામાં સ્થાપવો. અથવા પાર્શ્વપ્રભુના સાધુ મહાવીર પ્રભુને કલ્પ સ્વીકારે ત્યારે પાંચ મહાવ્રતનો સ્વીકાર કરે અને અતિચાર પૂર્વક મૂળગુણોના ધાતકને ફરી વ્રત ઉચ્ચરાવવું તે છે. પરિહાર વિશુદ્ધિ - તેમાં પરિહરણ તે પરિહાર - તપ વિશેષ છે. તેના વડે જેમાં વિશુદ્ધિ થાય તે પરિહાર વિશુદ્ધિક તે બે ભેદે - નિર્વિસમાનક અને નિર્વિષ્ટકાયિક નિર્વિશમાનક - તે તેને આસેવન કરનારા છે અને ચાસ્ત્રિની સાથે એકમેકપણે છે. આસેવિત વિવક્ષિત ચાસ્ત્રિકાયવાળા તો નિર્વિષ્ટકાયવાળા છે. ચાસ્ત્રિ પણ એકમેકપણે 31/7 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ હોય છે. આ ચાસ્ત્રિ આરાધવામાં નવ સાધુનો સમૂહ હોય છે. પહેલો ચાર પારિહારિક તપ કરનારા, બીજા ચાર વૈયાવચ્ચ કરનારા, એક કલ્પમાં રહીને વાચનાચાર્ય ગુરુ તરીકે રહે છે. એમાં નિર્વિશમાનકોનો આ પરિહાર છે. હૃદ ધીર પુરુષોએ આ પારિહાકિ તપ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટથી શીયાળે, ઉનાળે, ચોમાસે આવો બતાવ્યો છે – ઉનાળામાં જઘન્યથી એક, મધ્યમથી બે, ઉત્કૃષ્ટથી ત્રણ ઉપવાસ છે. શીયાળામાં અનુક્રમે ઉત્કૃષ્ટ ઉપવાસ બે, ત્રણ, ચાર છે. ચોમાસામાં તે ત્રણ, ચાર, પાંચ છે. પારણામાં આયંબિલ, પાંચનું ગ્રહણ અને ગૌચરીમાં બેનો અભિગ્રહ છે. આ પ્રમાણે કલ્પમાં રહીને હંમેશાં પારણે આયંબિલ કરે. પહેલાના તપસ્વીનો તપ છ માસે પૂરો થાય, ત્યારે તેની સેવા કરનારા તપસ્વી બની ઉપર પ્રમાણે છ માસનો તપ કરે. એ રીતે કલ્પમાં રહેલ વાચનાચાર્ય પણ છ માસનો તપ કરે, બાકીના સેવા કરે - ૪ - આ પ્રમાણે ત્રીજા ચાસ્ત્રિનો ત૫ ૧૮ માસનો છે. અહીં સંક્ષેપથી કહ્યું, વિશેષ જાણવા ઈચ્છનારે વિશેષ સૂત્રોથી જાણવો. કલ્પ સમાપ્ત થતાં આ નવે સાધુ જિનકલ્પ સ્વીકારે અથવા પોતાના ગચ્છમાં જાય. - ૪ - આ તપ તીર્થંકર કે સમીપે રહેલા ગણધર પાસે ઉચ્ચરે અન્ય પાસે નહીં. ચોથું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર - x - જેના વડે સંસાર વધે તે સંપરાય, તે જ કષાયો છે. કેમકે આ ચાત્રિમાં સૂક્ષ્મ લોભના અંશો બાકી છે. તેથી તેને સૂક્ષ્મ સંપરાય કહે છે. તે બે ભેદે છે – વિશુધ્યમાનક, સંક્વિશ્યમાનક વિશુદ્ધયમાનક ક્ષક્ષક અને ઉપશમક એવી બે શ્રેણી ચઢે અને સંલિશ્યમાનક તો ઉપશમ શ્રેણીથી પાછો પડતો હોય છે. પાંચમું યથાખ્યાત ચાત્રિ - સૂક્ષ્મ સંપરાય પછી તુરંત અકષાય ચાસ્ત્રિ તે યથાખ્યાત છે. આ બધાં જીવલોકમાં પ્રસિદ્ધ છે. તે ચાસ્ત્રિ છાસ્થ વીતરાગ અને કેવળીને હોય. તેમાં છાસ્ય ઉપશામકને તથા ક્ષપકને હોય છે. કેવળીને તો સયોગી કે અયોગી ગુણઠામું હોય છે જેને પામીને જીવો અજર અમર પદ પામે છે. ઉક્ત પાંચ ચારિત્રોમાં પહેલાં ત્રણ ક્ષયોપશમ લભ્ય છે, બાકીનાં છેલ્લા બે ઉપશમ કે ક્ષયમાં લભ્ય છે. તેથી કર્મોપશમ ક્રમ બતાવે છે – • નિયુક્તિ-૧૧૬ : અનંતાનુબંધીકષાય, દર્શનમોહનીય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ ષટ્ક, પુરુષવેદ બબ્બે એકાંતરે સદેશ ઉપશમાવે છે. • વિવેચન-૧૧૬ : અથવા છેલ્લા બે ચાસ્ત્રિ શ્રેણીમાં રહેલાને કે શ્રેણીમાંથી ઉપર ચડેલાને હોય છે, માટે બે શ્રેણીનો અવસર છે. તેમાં પહેલી ઉપશમશ્રેણી છે, તેથી તેનું સ્વરૂપ કહે છે – ઉપશમ શ્રેણીનો પ્રારંભક અપ્રમત સાધુ હોય છે. બીજા કહે છે કે – અવિરત, દેશ વિસ્ત, પ્રમત્ત, અપ્રમત્ત સંતમાંનો કોઈપણ પ્રારંભક હોય છે. શ્રેણીની પરિસમાપ્તિમાં પ્રમત્ત, અપ્રમત્ત સંયતમાં કોઈ પણ હોય તે આ રીતે આરંભે – અળતિ - અવાજ કરે
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy