________________
પીઠિકા-નિ ૬૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
હોય છે. તેથી શંકા થાય કે તેઓ સર્વશી જુએ કે દેશથી ? તેની સ્પષ્ટતા કરી કે તેઓ સર્વથી જુએ છે.
[પ્રશ્નો જો સર્વથી જુએ જ છે, તો અવધિથી અબાહ્ય એવું નિયત અવધિપણું કહેવું અનર્થક છે ? (ઉત્તર) એમ નથી, નિયત અવધિપણાનું જ એ વિશેષણ છે, કે વિધિ તો અબાહ્ય છે, તેથી એવું સમજાય કે સદા અવધિજ્ઞાનીઓ છે, માટે અદુષ્ટ છે..
પ્રિ નારક અને દેવોને ભવપ્રત્યય અવધિ ગ્રહણ કરવાથી તીર્થકરોને પણ વઘ પ્રસિદ્ધ છે કે પાભવિક અવધિ આવતું હોવાથી નિયત અવધિપણું હોય છે, તો “તીર્થકર" એમ કહેવાની શી જરૂર ? [ઉત્તર] નિયત અવધિપણું સિદ્ધ થયા છતાં સર્વકાળ અવસ્થાયીપણું સિદ્ધ ન થાય, તેથી બતાવ્યું કે અવધિથી અબાહ્ય છે કે તીર્થકરો હંમેશાં અવધિજ્ઞાનવાળા હોય છે, માટે તેમાં કોઈ દોષ નથી.
પ્રશ્નો જો એમ છે, તો તીર્થકરોના સર્વકાળ અવસ્થાયીપણામાં વિરોધ નહીં આવે ? [ઉત્તર] ના, કેમકે તેઓને કેવળજ્ઞાન ઉપજતાં ખરી રીતે તો તેમને તે વસ્તુતવનો પરિચ્છેદ સર્વોત્કૃષ્ટપણે છે. કેમકે સંપૂર્ણ અનંતધમત્મિક વસ્તુનો છેદ થશે અથવા આ કથન છદ્મસ્થકાળ આશ્રીને છે. માટે દોષ નથી –
દેશદ્વાર કહ્યું, હવે ક્ષેત્ર દ્વાર કહે છે – • નિયુક્તિ-૬૭ :
સંબદ્ધ કે અસંબદ્ધ અવધિથી સંખ્યા કે અસંખ્ય, લોકમાં સંબંધ કે અસંબંધવાળું પણ હોય, અલોકમાં તો આત્મ સંબદ્ધ જ હોય.
• વિવેચન-૬૭ :
તેમાં સંબદ્ધ કે અસંબદ્ધ અવધિ થાય. અર્થાત દીવા સાથે પ્રભાતી માફક કોઈ જોનારને સંબદ્ધ હોય, અતિ અંધારામાં દૂરથી દેખાતા દીવા માફક કોઈને અસંબદ્ધ હોય. તે સંખ્યય કે અસંખ્યય યોજન હોય. પુરુષ-પૂર્ણ સુખથી કે દુઃખથી હોય અથવા નગરમાં શયન કરે તે પુરુષ. તે પુરુષથી અંતરાલે હોય તો અસંખ્યાત કે અસંખ્યત યોજન હોય.
ભાવાર્થ આ પ્રમાણે- અસંબદ્ધ અવધિ ોગથી સંખ્યાત યોજના કે અસંખ્યાત યોજન પણ હોય. આ રીતે સ્વતંત્ર અવધિ ચિંતવ્યો. હવે અબાધા વડે ચિંતવે છે. તેમાં સોભંગી છે - સંખેય અંતર અને સંગેય અવધિ. સંખેય અંતર અને અસંખ્યય અવધિ. અસંખ્યય અંતર અને સંખ્યય અવધિ. અસંગેય અંતર અને અસંમેય અવધિ અસંબદ્ધમાં આ ચારે વિકલ્પો સંભવે છે. સંબદ્ધમાં વિકલાનો અભાવ છે.
તથા લોકમાં - ચૌદ રાજલોકમાં પંચાસ્તિકાયવાળો છે. અલોકમાં કેવળ આકાશાસ્તિકાય છે. લોક અને અલોકમાં સંબદ્ધ છે. કઈ રીતે ? પરષમાં અને લોકમાં પણ સંબદ્ધ હોય તે લોક પ્રમાણ અવધિ. પુરપમાં હોય પણ લોકમાં ન હોય, તે દેશથી અત્યંતર અવધિ. પુષમાં ન હોય, પણ લોકમાં સંબદ્ધ હોય, તે ભાંગો
શૂન્ય છે. બંનેમાં સંબદ્ધ નથી, તે બાહ્યાવધિ.
અલોકમાં સંબદ્ધ તે માત્ર આત્મસંબદ્ધ જ છે. હવે ગતિ દ્વારનો અવયવ અર્થ બતાવે છે – • નિયુક્તિ -૬૮ :
ગતિ સ્વૈરયિકાદિ દ્વારો જેમ પૂર્વે વર્ણવ્યા. તેમજ અહીં સમજવા. અવધિની ઋદ્ધિ વર્ણવીએ છીએ, પછી બાકીની વર્ણવીશું.
• વિવેચન-૬૮ :
તેમાં ગતિથી ઓળખાતા બધાં જ ઈન્દ્રિયાદિ દ્વારા લેવા. તેથી જે ગતિ વગેરે સત્પદ પ્રરૂપણાની વિધિઓ તથા દ્રવ્યપ્રમાણાદિ છે, તે બધાં પૂર્વે મતિ-સ્મૃતાદિમાં વવેિલાં છે, તેમ અહીં પણ જાણવા. મધ્ય “મતિ પ્રાપ્ત કરે”ને સ્થાને “અવધિ પ્રાપ્ત કરે" તેમ જાણવું. પરંતુ આવેદક તતા અકષાયી પણ અવધિના પ્રતિપધમાનક હોય છે કે જે ક્ષપક શ્રેણીમાં રહેલાં હોય છે તથા મન:પર્યવજ્ઞાનીઓ અનાહારક પિયક્તિા પૂર્વ સમ્યગૃષ્ટિ દેવ-નાકી પણ અપાંતરાલ ગતિમાં હોય છે. આ બધું શક્તિને આધારે જાણવું.
પૂર્વપતિપત્ત તો તે જ જે મતિના વિકસેન્દ્રિય અસંજ્ઞિથી શુન્ય જાણવા. અવધિજ્ઞાની ઉત્કૃષ્ટથી દ્રવ્યથી બધાં મૂર્ત દ્રવ્યોને જાણે અને જુએ. ફોગથી આદેશથી અસંખ્યાત ફોનને જુએ, કાળથી પણ ઉપચારથી અસંખ્યાતા કાળના રૂપી દ્રવ્યોને જુએ. ભાવથી અનંતા પર્યાયોને જુએ.
અવધિ વિશેષ છે તેમ કહ્યું, તેથી શેષ ઋદ્ધિ પણ વર્ણવે છે - • નિયુક્તિ-૬૯,90 -
આમષધિ, વિપઔષધિ, ખેલૌષધિ, જલષધિ, સંભિજ્ઞ શ્રોત, ઋજુમતિ, સવષધિ, ચારણ, આણીવિષ કેવલી, મન:પર્યવજ્ઞાાની, પૂવઘર, અરહંત, ચકવતી, બલદેવ અને વાસુદેવ
• વિવેચન-૬૯,૩૦ :
THf - સંપર્શ, તે જ ઔષધિ જેને છે, તે આમિર્શ ઔષધિ-જેમ કોઈ સાધુ સ્પર્શ માત્રથી જ વ્યાધિ દૂર કરવામાં સમર્થ હોય. આ લબ્ધિ લબ્ધિવાળાથી ભિન્ન ના હોવાથી તે જ ગુણ બતાવ્યો છે. એ પ્રમાણે વિષ્ટા, બળખો, મેલમાં પણ જાણવું. આ વિટાદિ ગણે સુગંધવાળા હોય છે.
જે સાધુને બધાંથી સંભળાય તે સંભિજ્ઞ શ્રોત અથવા શ્રોત તે ઈન્દ્રિય, તે સંભિન્ન હોય, તે બઘાં વિષયોને દરેક ઈન્દ્રિયો જાણે ચાયવા પરસ્પર લક્ષણથી કે નામથી જુદા જુદા શબ્દોને સાંભળે તે સંભિજ્ઞ શ્રોત.
બાજુ મતિ જેની છે તે, સામાન્યથી વિષયને ગ્રહણ કરે, આ મન:પર્યવજ્ઞાનનો ભાગ છે. આ પણ લધિ વિશેષ છે. ગુણ-ગુણીના અભેદપણાથી તે લબ્ધિધર સાધુ હોય તથા બધાં જ વિણ, મૂત્ર, વાળ, નખ આદિ જેને ઔષધરૂપે થયા હોય, જે બીજાના રોગ મટાડી દે તે સર્વે ઔષધિ જાણવી.