SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય ૩/૧૦ નિ - ૧૨૧૭ . ૧૦૧ દૂર થાઉં છું. - આટલું સામાન્યથી કહીને વિશેષથી કહે છે ક્ષમાશ્રમણના વ્યાવર્ણિત સ્વરૂપ સંબંધી દિવસ વડે નિવૃત્તા જ્ઞાનાદિ લાભની શાતના અર્થાત્ આશાતના વડે. આ આશાતના ૩૩-કહી. તેમાં ચાર મૂળ આશાતનામાં સમવતરે છે. દ્રવ્યાદિ ચાર આશાતના. દ્રવ્યાશાતના - રાત્વિકની સાથે ભોજન કરતો મનોજ્ઞ આહાર પોતે ખાઈ લે, એ પ્રમાણે ઉપધિ અને સંસ્તારકાદિમાં કહેવું. ક્ષેત્રાશાતના - રાત્વિકની નીકટ જવાથી થાય છે, કાલાશાતના-રાત્રે કે વિકાલે બોલાવે ત્યારે મૌનપણે રહે અને ભાવાશાતના - આયાર્યને તું-તા કરીને વાત કરે. એમ તેત્રીશે આશાતના આ દ્રવ્યાદિમાં આવી જાય. તેમાં જે કોઈ મિથ્યાને આશ્રીને, મન વડે દુષ્કૃતા તે મનોદુષ્કૃતા અર્થાત્ પ્રદ્વેષ નિમિત્તતાથી. અસાધુવચન નિમિતતાથી, નીકટ ગમનાદિ નિમિત્તે કાયદુષ્કૃતતાથી તથા ક્રોધ-માન-માયા-લોભથી અનુગતપણાથી. તેનો ભાવાર્થ આ છે – ક્રોધાદિ અનુગતથી જે કોઈ વિનયભ્રંશાદિ રૂપ આશાતના કરાઈ તેના વડે. એ પ્રમાણે દૈવસિકી આશાતના કહી. હવે આ ભવની અને અભવગત એવા અતીત અને અનાગત કાળના સંગ્રહને માટે કહે છે - સર્વકાળથી, અતીતાદિ નિવૃત્તા, તે સાર્વકાલિકી, તેના વડે. બધી જ મિચ્યોપચારા - માયા સ્થાનગર્ભિત ક્રિયા વિશેષા જેમાં છે તે સંક્ષેપ૫ણાથી. સર્વધર્મા - આઠ પ્રવચન માતા, તેનું અતિક્રમણ - ઉલ્લંઘન જેમાં છે તે સર્વધર્માતિક્રમણા. આવા પ્રકારની આશાતના વડે. મેં જે અતિચા-અપરાધ કર્યા. તે અતિચારોનું હે ક્ષમાશ્રમણ ! આપની સાક્ષીએ પ્રતિક્રમણ કરું છું - ફરી ન કરવા વડે નિવર્યુ છું. તથા દુષ્ટ કર્મકારી આત્માને હું પ્રશાંત ભવ ઉદ્વિગ ચિત્તથી નિંદુ છું. આપની સાક્ષીએ હું આત્માની ગઈ કરું છું. દુષ્ટકર્મકારી આત્માને તેની અનુમતિના ત્યાગ વડે હું વ્યુત્સર્જન કરું છું - તજુ છું. સામાયિકાનુસાર નિંદાદિ પદાર્થો કહેવા. એ પ્રમાણે ખમાવીને ફરી ત્યાં રહીને જ અવિનતકાયાથી જ બોલે ‘ફામિ માસમળો' ઇત્યાદિ બધું કહેવું. માત્ર આટલું વિશેષ કે ‘છમેમિ માસમળો' ઈત્યાદિ બધું સૂત્ર વસ્તિવા છોડીને ગુરુના પગે પડીને જ કહેવું. શિષ્યના અસંમોહને માટે સૂત્ર સ્પર્શિક ગાથા સ્વસ્થાને છોડીને કંઈક તેના અર્થકશન વડે જ પદાર્થો જણાવ્યા. • નિયુક્તિ-૧૨૧૮-વિવેચન : ઈચ્છા, અનુજ્ઞાપના, અવ્યાબાધ, યાત્રા, યાપના અને અપરાધ ખામણા આ છ સ્થાનો વંદનમાં હોય છે. તેમાં 'ફા' છ ભેદે – • નિયુક્તિ-૧૨૧૯-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પ્રમાણે ‘ફા' શબ્દનો નિક્ષેપો છ ભેદે થાય. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્હેચ્છા - સચિત્ત આદિ દ્રવ્યનો અભિલાષ કે અનુપયુક્ત કૃમિ એમ કહે. ક્ષેત્રેચ્છા - મગધ આદિ ક્ષેત્રનો અભિલાષ, કાલેચ્છા-રાત્રિ આદિ કાળનો અભિલાષ. - (51) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ x - ભાવેચ્છા - પ્રશસ્ત અને અપ્રશસ્ત બે ભેદે છે. પ્રશસ્તા-તે જ્ઞાનાદિ અભિલાષ, પ્રશસ્ત-સવાદિ અભિલાષ અહીં શિષ્યની ભાવેચ્છાથી અધિકાર છે. ક્ષમાદિ પદો ગાથામાં કહ્યા નથી, તેના યથાસંભવ નિક્ષેપાદિ કહેવા. ક્ષુણ્ણ હોવાથી અને ગ્રંથ વિસ્તાર ભયથી અહીં કહેલ નથી. ૧૦૨ ઈચ્છા કહી, હવે અનુજ્ઞા કહે છે. તે પણ છ ભેદે છે – • નિયુક્તિ-૧૨૨૦-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે અનુજ્ઞાનો નિક્ષેપ થાય છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ સામાન્ય છે. દ્રવ્યાનુજ્ઞા - લૌકિકી, લોકોત્તરા અને કુપાવચનિકી છે. લૌકિકી-સચિત્તાદિ દ્રવ્ય ભેદથી ત્રણ પ્રકારે છે. - ૪ - લોકોત્તરા પણ ત્રણ ભેદે છે – કેવળ શિષ્ય, ઉપકરણ સહિત શિષ્ય અને વસ્ત્રાદિની અનુજ્ઞા. એ પ્રમાણે કુપાવયનિકીની વક્તવ્યતા કહેવી. ક્ષેત્રાનુજ્ઞા - જે જેને જેટલા ક્ષેત્રની અથવા જે ક્ષેત્રમાં અનુજ્ઞા કરાય તે. કાલાનુજ્ઞા પણ કહેવી. ભાવાનુજ્ઞા-આચારાદિ અનુજ્ઞા. અહીં ભાવાનુજ્ઞાનો અધિકાર છે. હવે અહીં ગાથામાં ન કહ્યા છતાં અક્ષુણ્ણ હોવાથી અવગ્રહનો નિક્ષેપ કરે છે— • નિયુક્તિ-૧૨૨૧-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે અવગ્રહનો નિક્ષેપો હોય છે. તેમાં દ્રવ્યાવગ્રહ - સચિત્તાદિ ભેદે છે. ક્ષેત્રાવગ્રહ - જે જે ક્ષેત્રને અવગ્રહે છે, તેમાં ચોતરફ સવા યોજન. કાલાવગ્રહમાં જે જે કાળને અવગ્રહે છે તે - વર્ષામાં ચાર માસ, ઋતુબદ્ધ કાળે એક માસ. ભાવાવગ્રહ પ્રશસ્ત અને અપશસ્ત ભેદે છે. પ્રશસ્ત તે જ્ઞાનાદિ અવગ્રહ. પ્રશસ્ત તે ક્રોધાદિ અવગ્રહ જાણવો. અથવા - અવગ્રહ પાંચ ભેદે છે • દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, સાગારિક અને સાધર્મિક એ પાંચનો અવગ્રહ વીતરાગ ભગવંતે કહેલ છે. - અહીં ભાવ અવગ્રહ અને સાધર્મિક અવગ્રહનો અધિકાર છે. ગુરુનો અવગ્રહ, તેમની ચારે દિશામાં તેમના શરીર પ્રમાણનો જાણવો. તે સદા અનનુજ્ઞાત છે, તેમાં પ્રવેશવું કલ્પતું નથી. તેથી તેમાં અનુજ્ઞા પામીને પ્રવેશે છે. • નિયુક્તિ-૧૨૨૨-વિવેચન : બહારના ક્ષેત્રમાં રહીને, અનુજ્ઞા પામીને મિત અવગ્રહમાં જોહરણ વડે સ્પર્શે, પછી અવગ્રહ ક્ષેત્રમાં પ્રવેશે. કેટલે દૂર સુધી? તે કહે છે – મસ્તક વડે પાદ સ્પર્શના થાય ત્યાં સુધી. અવ્યાબાધ દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી - ખડ્ગ આદિ વડે આઘાત વ્યાબાધ કારણ રહિત અને ભાવથી સમ્યગ્દષ્ટિ ચારિત્રવાનને. અહીં પણ કાયાદિના નિક્ષેપ વગેરે યથાસંભવ સ્વબુદ્ધિથી કહેવા. યાત્રા-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી તાપસ આદિનું સ્વ ક્રિયામાં જવું તે. ભાવથી સાધુનું સ્વક્રિયામાં ઉત્સર્પણ. યાપના બે ભેદે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી ઔષધાદિ વડે કાયાની યાપના. ભાવથી ઈન્દ્રિય અને નોઈન્દ્રિયના ઉપશમથી શરીરની. ક્ષામણા - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી કલુશ આશયવાળાના આ લોકના અપાય, ભાવી સંવેગ પામેલ સભ્યષ્ટિના કહે છે –
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy