SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા-નિ ૧૧ ૩૫ ૩૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ હોય, તે ચાર સમયે પૂરે તે બતાવે છે. કઈ રીતે? એક સમયમાં લોકની અંતનડીમાં પ્રવેશે છે, બાકીના ત્રણ સમયમાં પૂર્વવત્ જાણવું. જો વિદિશામાં રહેલ હોય, તો તે બોલે ત્યારે પુદ્ગલોનું અનુશ્રેણિએ ગમન હોવાથી બે સમયે અંતનડીમાં પ્રવેશ કરે છે, બાકીના ત્રણ પૂર્વવત થતાં પાંચ સમયે લોકમાં સ્પષ્ટ થાય છે. બીજા કેવલી સમુઠ્ઠાતની ગતિએ લોકને પૂરે છે તેમ કહે છે. તેમના મતે પ્રથમ સમયે ભાષાનું ઉદર્વગમન તથા અધોગમન થવાથી મિશ્ર શબ્દના શ્રવણનો સંભવ નથી. અવિશેષથી કહ્યું છે - ભાષા સમશ્રેણિએ જે શબ્દ સાંભળે તે મિશ્ર સાંભળે છે, ઈત્યાદિ - X - X - મત કહ્યો. એ મતે ત્રણ સમયે લોકનું પૂરણ સંભવે છે, પણ ચાર સમયનો સંભવ ન થાય. પહેલાં સમય પછી તુરંત બધી દિશામાં પરાઘાત દ્રવ્યનો સંભવ છે, બીજા સમયમાં મંથાનની સિદ્ધિ થાય છે અને બીજા સમયમાં આંતરા પૂરી દે છે. પ્રિન) કેવલી સમુદ્ગાત માફક ચાર સમયે જ પૂરે તો શું દોષ ? (ઉત્તર) એમ નથી, કેમકે તમને સિદ્ધાંતનું જ્ઞાન નથી. અહીં જૈન સમુઠ્ઠાત મધ્યે પરાઘાત થનાર વાસ્ય દ્રવ્યનો સંભવ નથી, પણ તેમાં સકર્મક જીવનો વ્યાપાર છે, તેથી બીજે સમયે દંડ અને કપાટ થાય છે. પણ શબ્દ દ્રવ્યોનું અનુશ્રેણિએ ગમન થવાથી પરાઘાત દ્રવ્ય વયમાં વાસકપણે હોવાથી બીજે સમયે જ મંથાન થઈ જાય છે. અચિત મહાત્કંધ પણ વૈઋસિક હોવાથી અને પરાઘાતના અભાવથી ચાર સમયે જ પૂરે છે. પણ શબ્દનું તેમ નથી. કેમકે તે સર્વત્ર અનુશ્રેણિ ગમનાવાળો છે. - ૪ - તમે પૂછેલું કે લોકના કેટલામાં ભાગે કેટલો ભાગ સ્પર્શે ? તે કહે છે. શ્રોત્ર ગણિતની અપેક્ષાથી લોકના અસંખ્ય ભાગે સમગ્ર લોકવ્યાપીર ભાષાનો અસંખ્યય ભાગ થાય છે. • x• અને ભેદથી મતિજ્ઞાનનું સ્વરૂપ કહીને હવે વિવિધ દેશના શિષ્ય સમૂહને સુખે જણાવવા કહે છે - નિયુક્તિ -૧૨ - ઈહા, અપોહ, વિમર્શ માર્ગણા, ગષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા એ સર્વે અભિનિબોધિક જ્ઞાનના પયયો છે. • વિવેચન-૧૨ : જુદ ધાતુ ચેષ્ટા અર્થમાં છે. વિધમાન પદાર્થોના અન્વય અને વ્યતિરેકની પર્યાલોચના છે. આ ઈહાના પર્યાયો કહ્યા. અપોહ-નિશ્ચય. વિમર્શ તે ઈહા પછી થાય છે. પ્રાયઃ માથુ ખણવા વગેરે મનુષ્યના ધર્મો છે એમ ઘટે છે, એવો સંપ્રત્યય તે વિમર્શ છે. અન્વયધર્મની અન્વેષણા તે માર્ગણા છે. વ્યતિરેક ધર્મની આલોચના તે ગવેપમાં છે. સંજ્ઞાન તે સંજ્ઞા. વ્યંજન અવગ્રહથી ઉત્તરકાળ ભાવિ મતિ વિશેષ છે. મરણ તે સ્મૃતિ, પૂર્વાનુભૂત અર્થનું આલંબન તે પ્રત્યય છે. મનન તે મતિ છે. કોઈ અંશે અર્થનો બોધ થવા છતાં પછીથી સમ્મધર્મની આલોચનારૂપ તે બુદ્ધિ છે. પ્રજ્ઞાન તે પ્રજ્ઞા, વિશિષ્ટ ક્ષયઉપશમથી ઉત્પન્ન થયેલ પ્રભૂત વસ્તુગત યથાવસ્થિત ધર્મના આલોચનરૂપે મતિ છે. આ બધું અભિનિબોધિક મતિજ્ઞાન છે. આ પ્રમાણે કંઈક ભેદથી ભેદ બતાવ્યો. તવથી તો તે બધાં મતિના પર્યાય વાચકો છે. * મતિજ્ઞાન સ્વરૂપ કહ્યું, હવે અનુયોગ દ્વારો વડે ફરીથી તેનું નિરૂપણ કરવા કહે છે – • નિર્યુક્તિ -૧૩ થી ૧૫ : સર્વ પદ પ્રરૂપણા, દ્રવ્યપમાણ, ક્ષેત્ર સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ અને અલાભદુત્વ એ નવ દ્વાર જાણવા... ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વૈશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપયોગ, આહાર, ભાષક, પ્રત્યેક, પયયિ, સૂમ, સંજ્ઞી, ભવ્ય, ચરમ એ ગતિ આદિ સ્થાનોમાં પૂર્વપww અને પ્રાર્ધમાન મતિજ્ઞાનીની વિચારણા થશે. • વિવેચન-૧૩ થી ૧૫ - (૧) સાચું પદ તે સત્પદ, તેની પ્રરૂપણા તે સત્પદ પ્રરૂપણા, તેનો ભાવ તે સત્પદપ્રરૂપણતા છે. તે ગત્યાદિ દ્વારો વડે આભિનિબોધિક જ્ઞાન સંબંધી કહેવું. અથવા સત્ વિષય સંબંધી પદ તે સત્પદ. [પ્રશ્ન શું સત્પદની પ્રરૂપણા પણ થાય છે ? કે જેથી તમે કહો છો કે - સત્પદની પ્રરૂપણા કરીએ છીએ. [સમાધાન ખર-વિષણાદિ અસત્ પદો પણ છે, તેથી સનું ગ્રહણ કર્યું. અથવા આવા પણ પદો છે કે ગતિ આદિ સર્પદોમાં જેના વડે મતિજ્ઞાનની પ્રરૂપણા કરાય છે. (૨) દ્રવ્યપમાણ - તે જીવનું દ્રવ્ય પમાણ બતાવવું. એક સમયમાં કેટલાં જીવો મતિજ્ઞાન પામે છે કે બધાં પામે છે તે. (3) ક્ષેત્ર - કેટલાં ક્ષેત્રમાં મતિજ્ઞાન સંભવે છે, તે ક્ષેત્ર બતાવવું. (૪) સ્પર્શન - તે કેટલું ક્ષેત્ર મતિજ્ઞાનીઓ સ્પર્શે છે, તે કહેવું. પ્રિન] ફોગ અને સ્પર્શનામાં શો ભેદ ? અવગાહ છે તે ક્ષેત્ર છે, અને સ્પર્શના તો બાહ્યથી પણ હોય છે. એટલો ભેદ છે. (૫) કાળ-સ્થિતિ, (૬) અંતર-પ્રતિપત્તિ આદિ આશ્રીને કહેવું. (૩) ભાગ - બીજા જ્ઞાનીની અપેક્ષાએ મતિજ્ઞાની કેટલાયે ભાગે છે ? (૮) ભાવ-કયા ભાવમાં મતિજ્ઞાની છે ? (૯) અબદુત્વ કહેવું. પ્રિન| ભાગ દ્વારથી આ અર્થ આવી જાય છે, ફરી શા માટે બતાવ્યો ? [સમાધાન ના, તમે અમારો અભિપ્રાય જાણતા નથી. અહીં મતિજ્ઞાનીમાં જ પૂર્વે પામેલા અને નવા પામતાની અપેક્ષાએ અલાબહેવ કહેવું. * * * હવે ઉક્ત ગાથા ૧૪,૧૫માં આભિનિબોધિક જ્ઞાનની સત્પદ પ્રરૂપણાના દ્વારોનો અવયવાર્થ કહે છે. તે આ પ્રમાણે-], (૧) ગતિદ્વાર - આભિનિબોધિક જ્ઞાન છે કે નહીં, જો છે તો ક્યાં છે? ગતિને આશ્રીને તે વિચારીએ. તે ગતિ ચાર પ્રકારે છે - નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં આભિનિબોધિક જ્ઞાનને પૂર્વે પામેલા જીવો નિયમથી છે, નવા
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy