________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૪,૯૪૫
છે. વળી તે હાથણી પ્રસૂતા-ગર્ભવતી છે. કઈ રીતે જાણ્યું ? એક હાથ [૫]નો ટેકો કરીને ઉભી થયેલ છે. માટે તે ગર્ભવતી જ હોય. તેને પુત્ર જ થશે. કેમકે તેનો જમણો પગ ભારે છે. ઈત્યાદિ - ૪ -
૨૦૯
નદીના કાંઠે એક વૃદ્ધાનો પુત્ર મોકલેલ હતો. તે પુત્રના આગમન વિશે પૂછ્યું. તે વૃદ્ધાનો ઘડો પડીને ફૂટી ગયો. ત્યારે એક શિષ્ય બોલ્યો કે – તેનાથી જન્મેલા વડે તે જ જન્મ્યું. [માટીમાંથી થયેલો ઘડો માટીમય થઈ ગયો.] તે રીતે તેનો પુત્ર પણ મરી ગયો છે, એમ જાણવું.
બીજો શિષ્ય કહે છે – હે વૃદ્ધા! તું ઘેર જા. તે પુત્ર ઘેર આવી ગયો છે. વૃદ્ધા ઘેર ગઈ. હર્ષિત થઈ, પહેલાં જ પુત્ર ઘેર આવી ગયો હતો. વળી તે રૂપિયા
લઈને આવેલો હતો. તેનો સત્કાર કર્યો.
બીજા શિષ્યએ પૂછ્યું – મને સદ્ભાવ કેમ કહેતો નથી ?
આચાર્યએ બંનેને પૂછ્યું, તેઓ દ્વારા જે કંઈ બનેલ હતું તે કહેવાયું. એકે નિમિત્તની વ્યાપત્તિમાં મરણ કહ્યું, કેમકે ભૂમિમાંથી ઉત્પન્ન થઈ અને ભૂમિમાં મળી ગયો. એ પ્રમાણે તે બાળક પણ તેમાંથી જન્મ્યો અને તેમાં મળી ગયો. આ પ્રમાણે શ્લોક છે, ગુરુને પૂછ્યું – આમાં મારો શો દોષ છે ?
=
ગુરુએ કહ્યું – તને શિક્ષણ સમ્યક્ રીતે પરિણમેલ નથી. બીજા શિષ્યને પરિણમ્યું, તે તેની વૈનયિકી બુદ્ધિ.
(૨) અર્થશાસ્ત્ર - કલ્પક અને દહીંના ભાજનવાળો ભિક્ષુ કલાપક. એવા પ્રકારનું દૃષ્ટાંત છે. વિશેષમાં વૃત્તિકારે કંઈ નોંધેલ નથી. ચૂર્ણિમાં કંઈ કહ્યું નથી.
(૩) લેખ - જેમકે અઢાર પ્રકારની લિપિનો જાણનાર.
(૪) ગણિત - એ પ્રમાણે ગણિતમાં પણ જાણવું.
બીજા કહે છે કે – રાજકુમારો, વર્તુલ [દડા]વડે રમતા અક્ષરો શીખ્યા અને ગણિત પણ શીખ્યા, આ તેમની બંને વિષયમાં વૈનયિકી બુદ્ધિ.
(૫) કૂવો - કૂવો ખોદવાની જાણકારીવાળાએ કહ્યું – આટલે દૂર જતાં પાણી મળશે. તેઓ ખોદવા લાગ્યા. તેટલે સુધી ગયા. તેણે કહ્યું – પડખામાં ખોદો એમ કહ્યું. ઘોષકનો શબ્દ સાંભલીને પાણી ઉછળીને બહાર આવ્યું.
આ તેની વૈનયિકી બુદ્ધિ.
(૬) અશ્વ - અશ્વનો એક વેપારી, દ્વારિકા નગરીએ ગયો. બધાં કુમારોએ કદાવર અને મોટા ઘોડા લીધા. વાસુદેવે દુર્બળ પણ લક્ષણવાળો એવો જે ઘોડો હતો, તે ખરીધો. તે કાર્યનો નિર્વાહ કરનારો થયો.
આ તે વાસુદેવની વૈનયિકી બુદ્ધિ જાણવી.
(૭) ગધેડો - રાજા તરુણપ્રિય હતો, તે નીકળ્યો. અટવીમાં સૈન્ય તૃષા વડે પીડાવા લાગ્યું, સ્થવિર [વૃદ્ધ]ને વિશે પૂછે છે. [કોઈ સ્થવિર છે ?] એક યુવાન પિતૃભક્ત હતો, તે પોતાના પિતાને સાથે લાવેલો હતો. તે વૃદ્ધે કહ્યું – જ્યાં ગધેડા પેશાબ કરે ત્યાં શિરાજળ હોય છે. બીજા કહે છે – ઉદ્ઘાણ વડે જ જળાશયે ગમન થાય. આ તે વૃદ્ધની વૈનયિકી બુદ્ધિ જાણવી. 32/14
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
(૮) લક્ષણ - પારસ દેશમાં એક અશ્વરક્ષક હતો. અશ્વ સ્વામીની પુત્રી સાથે તેને સંપર્ક હતો. “તેને વર્ષાન્તે તેની ઈચ્છા મુજબ બે ઘોડા લેવાના” એમ અશ્વ
સ્વામીએ તેને કહેલ. તેથી તે સારા-નરસા ઘોડા તપાસી રહ્યો હતો. અશ્વવામીની પુત્રીએ તેને કહ્યું – જે ઘોડો ઉંચા સ્થાનેથી - વૃક્ષ ઉપરથી પત્થર ભરેલ ચામડાનું પાત્ર ફેંકતા પણ જે ત્રાસ ન પામે તે ઘોડો લેવો અને ઢોલ વગાડતાં જે ત્રાસ ન પામે તે ઘોડો લેવો.
૨૧૦
જ્યારે વેતનનો અવસર આવ્યો, ત્યારે અશ્વરક્ષકે કહ્યું – મને અમુક-અમુક એ બે ઘોડા આપો. અશ્વસ્વામીએ તેને કહ્યું – બધાં ઘોડાં લઈ જા, તારે આ બે ઘોડાનું શું પ્રયોજન છે ? અશ્વસ્વામી તે બે ઘોડા આપવા ઈચ્છતો ન હતો. તેણે તેની પત્નીને કહ્યું – ઘોડાને બદલે આને આપણી પુત્રી જ આપી દઈએ. પુત્રી આપવાની તેની પત્નીએ ના પાડી, તે તેણીની સાથે કલહ-ઝઘડો કરવા લાગ્યો. “લક્ષણયુક્તથી કુટુંબ વૃદ્ધિ પામે છે.''
અશ્વસ્વામી એક દૃષ્ટાંત આપે છે - એક મામાએ પોતાના ભાણેજને પોતાની પુત્રી પરણાવી. તે કંઈ જ કામ કરતો ન હતો. તેની પત્નીથી પ્રેરાઈને રોજેરોજ અટવીમાં જતો અને ખાલી હાથે તે પાછો આવતો હતો. એ રીતે ભમતાં-ભમતાં છ માસ ગયા પછી
તેને કાષ્ઠ પ્રાપ્ત થયું, તેમાંથી કુડવ [એક માપ છે તે] બનાવ્યું. તેનાથી મપાયેલું અક્ષત થાય છે. તે કારણે કોઈ શ્રેષ્ઠીએ તે કુડવને લાખ સોનામહોર આપી ખરીધું.
એ પ્રમાણે જેમ તે સૂત્રધારે સ્વકુળને ધનવાળું કર્યુ, તેમ અશ્વની રક્ષા માટે આ અશ્વરક્ષક પણ રાખી લેવા યોગ્ય છે.
આ તે અશ્વસ્વામીની વૈનયિકી બુદ્ધિ જાણવી.
(૯) ગ્રંથિ - પાટલીપુત્રમાં મુડ નામે રાજા હતો. પાદલિપ્ત આચાર્ય હતા. ત્યાં જ્ઞાતૃ [જાણીતા] એ આટલું મોકલ્યું સૂત્ર, છેદાયેલી અડધી લાકડી, જેનું મોટું નાશ પામેલું છે તેવી પેટી. કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નહીં.
પાદલિપ્તાચાર્યને બોલાવ્યા. તેમને પૂછ્યું – હે ભગવન્ ! તમે આનું રહસ્ય જાણો છો ? “સારી રીતે જાણું છું'' એમ જવાબ આપ્યો.
સૂત્રને ઉષ્ણ પાણીમાં નાંખ્યુ, મીણ ઓગળી ગયું, તેનો અગ્રભાગ અર્થાત્ છેડો દેખાયો. લાઠી-દંડ પાણીમાં નાંખ્યો, મૂળ ભાગ ભારે હોવાથી નીચે ડૂબવા લાગ્યો, તેનાથી તેનું મૂળ જાણી લીધું. પેટી અથવા દાબડો લાખ વડે વીંટળાયેલ હતો, ગરમ પાણીમાં નાંખતા ઉઘડી ગયો.
ત્યારપછી આચાર્ય ભગવંતે ભાંગેલા તુબડાને રત્નોથી ભરીને સોંય વડે સીવી દીધું. પછી તુરંત મોકલ્યું અને કહેવડાવ્યું કે આને તોડ્યા વિના ઉઘાડીને સ્નો
ગ્રહણ કરો. તેઓ સાંધો ક્યાં છે, તે જાણી શક્યા નહીં પરિણામે હારી ગયા. આ
તે આચાર્યની પૈનયિકી બુદ્ધિ.
(૧૦) ૧૬ - પર સૈન્ય નગરને રુંધવા માટે આવી રહ્યું હતું, તે જાણીને રાજાએ પાણીનો વિનાશ કરવાની બુદ્ધિથી ઝેરના ઢગલાં મંગાવ્યા. તે વખતે વૈધ માત્ર ચવ પ્રમાણ ઝેર લઈને આવ્યો. રાજા તેની ઉપર રોપાયમાન થયો. વૈધે તેમને કહ્યું