________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૨
૧૬૭
અગ્નિનો તે ડુંગાર, નૈઋત્યનો તે બીજાપ અને વાયવ્યનો તે ગર્ભ જ વાયુ જાણવો. ઈત્યાદિ - ૪ - ૪ - બીજા પણ આઠ વાયુ મળીને કુલ સોળ પ્રકારના વાયુ થાય છે. તેમાં જેમ સમુદ્રમાં કાલિકાવાત રહિત ગર્જભાનુકૂલ વાયુમાં નિપુણ નિર્યામક સહિત, નિછિદ્ર વહાણ ઈચ્છિત નગરે પહોંચાડે છે, તેમ –
• નિયુક્તિ-૯૧૩
મિથ્યાત્વરૂપી કાલિકાવાતરહિત, સમ્યકત્વ રૂપ ગભવાયુ વડે એક સમયમાં
--
સિદ્ધિવસતિ નગરે જહાજ પહોંચી જાય છે.
• વિવેચન-૯૧૩ :
મિથ્યાત્વ એ જ કાલિકાવાય છે, તેનાથી રહિત ભવસમુદ્રમાં તથા સમ્યકત્વ રૂપ અનુકૂળ વાયુ વાતા, (કેમકે) કાલિક વાયુ અસાધ્ય છે જ્યારે ગર્ભજવાયુ અનુકૂળ છે. પોત - બોધિસ્થ જીવ, તેના નિયમિકના ઉપકારથી પહોંચે છે. તેમાં સાંયાત્રિક સાથે, નિયમિકને લાંબી યાત્રાએ જતાં સિદ્ધિને માટે પૂજે છે. એ પ્રમાણે ગ્રંથકાર પણ સિદ્ધિ નગર પ્રતિ પ્રસ્થિત અભિષ્ટ યાત્રાની સિદ્ધિને માટે નિર્ધામક રત્ન એવા તીર્થંકરને સ્તવે છે –
• નિયુક્તિ-૯૧૪ :
નિયમિકોમાં રત્નસમાન, ત્રણ દંડથી વિત, અમૂઢ જ્ઞાનરૂપ મતિના ધારક કર્ણધારને વિનયથી નમેલો હું ત્રિવિધે વંદન કરું છું.
• વિવેચન-૯૧૪ :
નિર્યામકરત્ન - અહંત, અમૂઢજ્ઞાન - યથાવસ્થિત જ્ઞાનવાળા, મનન તે મતિ-સંવિદ જ, તે જ જેમાં કર્ણધાર છે, તેવા પ્રકારના તેઓને વિનયથી પ્રણમેલો ત્રિવિધે ત્રિદંડવિતને વાંદુ છું.
હવે ત્રીજા દ્વારની વ્યાખ્યા કહે છે –
• નિયુક્તિ-૯૧૫ થી ૯૧૭ :
જેમ ગોવાળ ગાયોને સાપ, જંગલી પશુ આદિ દુર્ગથી બચાવે છે, પ્રચુર ઘાસ, પાણી આદિ મળતા હોય તેવા વનોમાં લઈ જાય છે, તેમ જીવનિકાયરૂપી ગાયોને અહિંતો મરણાદિ ભયો વગેરેથી બચાવે છે અને નિવર્ણિરૂપી વનમાં મોકલે છે. તેથી જિનેશ્વરો મહાગોપ છે. એમ ઉપકારી હોવાથી અને લોકોતમ ભાવોને પામેલા હોવાથી જિનેન્દ્રો બધે બધાં ભવ્યજીવ રૂપી લોકને નમસ્કાર કરવા યોગ્ય છે.
• વિવેચન-૯૧૫ થી ૯૧૭ :
ત્રણે ગાયાનો અર્થ કહ્યો. એ પ્રમાણે ઉક્ત પ્રકારે નમો અરહંતાણં ના હેતુમાં ગુણો પ્રતિપાદિત કર્યા. હવે બીજા પ્રકારે તે ગુણો કહે છે –
• નિર્યુક્તિ-૯૧૮
-
રાગ, દ્વેષ, કપાસ, પાંચે ઈન્દ્રિયો, પરીષહ, ઉપસર્ગ આ બધાને નમાવે
છે માટે અરહંત નમસ્કારને યોગ્ય છે.
• વિવેચન-૯૧૮ :- [મૂર્ણિમાં પણ સુંદર વિવેચન છે.
- X - જેના વડે કે જેનામાં રંગાય-રંજન પામે તે રાગ. તે રામ નામ આદિ ચાર
૧૬૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ભેદે છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યરાગ બે પ્રકારે છે – આગમથી અને નોઆગમથી. આગમથી રાગ પદાર્થને જાણે પણ તેમાં ઉપયુક્ત ન હોય. નો આગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, તેનાથી વ્યતિક્તિ એવા ત્રણ ભેદો છે. વ્યતિક્તિ પણ કર્મદ્રવ્ય રાગ અને નોકર્મ દ્રવ્યરાગથી છે. તેમાં કર્મદ્રવ્યરાગ ચાર ભેદે છે, તે આ રીતે –
(૧) રાગવેદનીય પુદ્ગલ યોગ્ય, (૨) બધ્યમાનક - બંધાતા, (૩) બદ્ધ અને (૪) ઉદીરણા આવલિકાને પ્રાપ્ત. બંધ પરિણામ અભિમુખ યોગ્ય, બંધ પરિણામ પ્રાપ્ત. તે બધ્યમાનક, નિવૃત્ત બંધ પરિણામ સત્કર્મતાથી સ્થિત જીવે આત્મસાત્ કરેલા તે બદ્ધ, ઉદીરણા કરણથી ખેંચીને ઉદીરણાવલિકામાં આણેલા તે ચરમ અને નોકર્મદ્રવ્યરાગ તે કર્મરાગનો એક દેશ કે તેનાથી અન્ય. તદન્ય બે ભેદે છે – પ્રાયોગિક અને સ્વાભાવિક.
તેમાં પ્રાયોગિક તે કુટુંભરાગાદિ અને વૈશ્રસિક તે સંધ્યાભ્રરાગાદિ.
ભાવ રાગ પણ આગમ અને નો આગમથી બે ભેદે છે. આગમથી રાગ પદાર્થનો જ્ઞાતા અને તેમાં ઉપયોગવાળો. નોઆગમથી રાગવેદનીય કર્મથી ઉત્પન્ન પરિણામ વિશેષ. તે બે ભેદે છે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં અપ્રશસ્ત રાગ ત્રણ ભેદે છે – દૃષ્ટિરાગ, વિષયરાગ અને સ્નેહરાગ.
=
તેમાં ૩૬૩ વાદીઓના પોત-પોતાના દર્શનનો અનુરાગ તે દૃષ્ટિરાગ. જેમ કહ્યું છે કે – ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, અજ્ઞાન વાદી-૬૭ અને પૈનયિકો-૩૨. એ બધાં જિનવચન બાહ્ય મતિથી મૂઢ અને પોતાના દર્શનના અનુરાગથી સર્વજ્ઞકથિત આ મોક્ષપથને પામતા નથી. - - - વિષય રાગ શબ્દ આદિ વિષય ગોચર છે.
સ્નેહરાગ વિષયાદિ નિમિત્ત રહિત અવિનીત એવા સંતાનાદિમાં પણ હોય છે.
તેમાં આ રાગનું ઉદાહરણ કહે છે –
ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતું. ત્યાં બે ભાઈઓ રહેતા હતા. અર્હન્નક અને અહન્મિત્ર. મોટો ભાઈ પત્ની અને બાળકોમાં રક્ત હતો. નાનો ભાઈ ૫ત્નીને ન ઈચ્છતો, ઘણું હેરાન કરતો હતો. તેની પત્નીએ કહ્યું – કેમ તારા ભાઈને જોતો નથી? ત્યારે પતિએ તેને મારી ઈત્યાદિ. તેણે તેનાથી કંટાળીને દીક્ષા લીધી. સાધુ થયો. તેની પત્ની પણ આર્તધ્યાને મરીને કુતરી થઈ. સાધુઓ તે ગામે ગયા. કુતરીએ તે સાધુને જોયો. પાછળ-પાછળ ચાલવા લાગી. ઉપસર્ગ જાણીને તે રાત્રિના નાશી ગયો.
પે'લી કુતરી પણ મરીને વાંદરી થઈ. અટવીમાં જન્મી. તે સાધુ પણ કર્મ-ધર્મ સંયોગથી તે અટવી મધ્યેથી ચાલ્યા. વાંદરીએ તેને જોયો. તેના ગળે વળગી ગઈ. ત્યાંથી પણ કલેશ પામી તે સાધુ પલાયન થઈ ગયો. વાંદરી મરીને યક્ષિણી થઈ. અવધિ વડે ક્યાંથી આવી તે જુએ છે. સાધુના છિદ્રો શોધે છે. સાધુ અપ્રમત હોવાથી તેણીને કોઈ છિદ્ર જોવા ન મળ્યા. તે વ્યંતરી સર્વ આદરથી તેના છિદ્રો શોધવા લાગી. એ પ્રમાણે કાળ પસાર થતો હતો. તેની સાથે જે સમવયસ્ક સાધુઓ હતા, “હાસ્ય કરતા તરુણ શ્રમણો કહે છે – હે અર્હત્ મિત્ર ! તને ધન્ય છે. તું કુતરીનો પ્રિય છે, અટવીમાં વાંદરીનો સખો—વયસ્ય છે. કોઈ દિવસે તે સાધુ વિતક ઉતરતો હતો. ત્યાં પગ પ્રમાણ પહોળું પાણી હતું. તેણે પગ ફેલાવ્યો, ત્યારે વ્યંતરીને છિદ્ર મળી ગયું, તેણે ઉરુ-સાથળથી પગ ભાંગી નાંખ્યો. સાધુ બોલ્યા
તેઓ બોલે છે
-
—