SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્દાત નિ - ૮૬૭,૮૬૮ ૧૪૩ કરી મોક્ષે ગયા. લોકો આવ્યા. મેતાર્યમુનિને જોયા. રાજાને જઈને કહ્યું. રાજાએ સોનીના વાની આજ્ઞા આપી. સોની બારણા બંધ કરીને, સાધુવેશ પહેરીને પ્રવજિત થઈ ઉભો રહો. તે બોલે છે - હે શ્રાવક! ધર્મથી વૃદ્ધિ પામ. રાજાએ છોડી મૂક્યો, પણ કહ્યું - જે હવે દીક્ષા છોડી છે તો તને લોઢાની કડાઈમાં તળી નાખીશ. એ પ્રમાણે પોતામાં અને પરમાં ‘સમયિક' કરવું જોઈએ. બ્ધ કથાનકના એક દેશના પ્રતિપાદન માટે કહે છે - • નિયુક્તિ-૮૬૯ જે કૌંચ પક્ષીના અપરાધ છતાં પાણીની દયાથી, જીવન પ્રત્યે અપેક્ષા વિનાના ઔઘ જેણે કૌંચપક્ષીનું નામ ન આપ્યું તે મેતાર્ય ઋષિને હું નમસ્કાર • વિવેચન-૮૬૯ : ગાથાર્થ કહ્યો. પોતાના પ્રાણનો ત્યાગ સ્વીકાર્યો પણ અનુકંપા ન છોડી. તેવા જીવિતમાં અનપેક્ષ મેતાર્ય મનિને નમસ્કાર, • નિયુક્તિ-૮૩૦ : મસ્તકના આવેટનથી જેની બંને આંખો બહાર નીકળી આવી, છતાં મેરગિરિ જેવા ઢ મેતાર્ય મુનિ ચલિત ન થયા. • વિવેચન-૮૦ : નિકાસિત • ભૂમિ ઉપર પડી ગઈ - x - એ પ્રમાણે કદર્શના પામવા છતાં અનુકંપા વડે જે સંયમથી ચલિત ન થયા. - x - (3) હવે સમ્યગ્રવાદની કથા : તુમલી નગરીમાં જિતશત્રુ રાજા હતો. ત્યાં ભદ્રા નામે બ્રાહ્મણી હતી. તેણીના પુત્રનું નામ દd હતું. તે દત્તના મામાનું નામ કાલકાયાયં હતું કે જે દીક્ષિત હતા. તે દત જુગાર અને મધમાં આસક્ત હતો, તે પ્રધાન દંડિક થઈ ગયો. કુલપુત્રને ભેદીને રાજાને બહાર કાઢી મૂકયો, તે રાજા થઈ ગયો. તેને યજ્ઞો કરવા ઘણાં જ ઈષ્ટ હતા. કોઈ દિવસે મામાને જોયા. તેને પૂછયું - હું ધર્મ સાંભળી ખુશ થયો છું. યજ્ઞોનું ફળ શું છે? કાલકાચાર્યએ પૂછયું - ધર્મ શા માટે પૂછે છે? ધર્મ કહ્યો. ફરી પણ પૂછે છે. શું તું નરકનો માર્ગ પૂછે છે? કાલકાચાર્ય તેને ધર્મનું ફળ કહે છે. ફરી પણ પૂછે છે. શું તું અશુભ કર્મોનો ઉદય પૂછે છે? કાલકાચાર્ય તે પણ કહે છે. ફરી દત્ત પૂછે છે - ધર્મ શું છે? ત્યારે છેલ્લે કાલકાચાર્ય કહે છે - યજ્ઞનું ફલ નરક છે. ત્યારે ક્રોધિત થયેલો દત કહે છે – ખાતરી શું ? કાલકાચાર્યએ કહ્યું - તું સાતમે દિવસે પાક કુંભમાં પકાવાઈશ [મરીને નક્કે જઈશ.] દd પૂછયું - તેની શી ખાતરી છે ? કાલકાયાર્યએ કહ્યું - આજથી સાતમા દિવસે તારા મુખમાં વિટા પડશે. રોપાયમાન થઈને દત બોલ્યો - તમારું મૃત્યુ ક્યારે થશે ? હું લાંબોકાળ પ્રવજ્યા પાળી દેવલોકે જઈશ. રોપાયમાન થઈ દત્ત બોલ્યો - આને પુરી દો, દંડિકોએ નિર્વેદ પામીને તેમ ન કર્યું. ૧૪૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ પછી દત્ત છુપાઈને રહ્યો. તેને દિવસો ભૂલાઈ ગયા. સાતમે દિવસે રાજપથ સાફ કરાવ્યો. મનુષ્યો વડે રક્ષણ કરાવે છે. કોઈ એક હાથમાં પુણનો કરંડીયો લઈને વહેલી સવારે દેવકુલિકામાં પ્રવેશ્યો. ગુરુશંકાતી વ્યાકુળતા થતા વિષ્ટા કરીને કૂલો વડે ઢાંકી દીધી, રાજા પણ સાતમે દિવસે અશ્વોના સમૂહ સાથે નીકળ્યો, જઈને હું તે શ્રમણને મારીને આવું. નીકળ્યો જતો હતો ત્યારે કોઈ કિશોર પુખ સહિત વિટાને પગની ખૂર વડે ઉછાળી તે વિષ્ટા સીધી દતના મુખમાં જઈને પડી. દત્ત સમજી ગયો કે હવે મરવાનો છું. ત્યારે દંડિકોને પૂછયા વિના પાછા જવાની તૈયારી કરી. દંડિકો સમજ્યા કે નક્કી રહસ્ય ખુલી ગયું છે. હવે રાજા ઘેર ન પહોંચે તે પહેલાં કાલકાર્યને પકડી લો. રાજા બીજી તરફથી લાવવો. ત્યારે રાજાને કુંભિમાં શુન-શ્વાન નાંખીને બંધ કરી દીધો. નીચે અગ્નિ પ્રગટાવ્યો. તેને તાપ લાગવાથી ખંડે ખંડ છેદી નાખ્યા. એ પ્રમાણે કાલકાર્યની જેમ સમ્યગ્રવચન બોલવું. આ જ કહે છે - • નિયુક્તિ-૮૭૧ - તુરમણીમાં દd કાકાચાર્યને યજ્ઞનું ફળ પૂછ્યું. સમતાથી ભાવિત તે ભદd સમ્યફ ફળ કહ્યું.. • વિવેચન-૮૦૧ - દd • બ્રાહ્મણ પતિના રાજાએ કાલિક મુનિને યજ્ઞનું ફળ પૂછ્યું. મધ્યસ્થતા ગ્રહણ કરીને અને આલોકના ભયથી નિષ્પક્ષ થઈને તે ભદંતે સમ્યગુ વચન કહ્યું. જેથી મારાથી વયનાધિકરણ પ્રવૃત્તિ ન થાય. (૪) હવે સસમાસ દ્વાર, તેનું કથાનક આ પ્રમાણે છે – ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં એક બ્રાહ્મણ હતો, તે પોતાને પંડિત માનતો હતો અને શાસનની નિંદા કરતો હતો. તે વાદમાં પ્રતિજ્ઞાથી ઉગ્રાહિત થયો, હરાવીને દીક્ષા આપી. પછી દેવતાની પ્રેરણાથી બોધ પામ્યો, પણ ગુપ્સા મૂકતો નથી. તેની પત્ની શ્રાવિકા બની, પણ પતિનો સ્નેહ તજતી નથી. તેણીએ કામણ કર્યું. કોઈ રીતે મારો પતિ મને વશ થાય ? તે કાર્મણથી તે બ્રાહ્મમ મૃત્યુ પામ્યો અને દેવલોકમાં ઉત્પન્ન થયો. બ્રાહાણીએ પણ નિર્વેદ થવાથી દીક્ષા લીધી. આલોચના કર્યા વિના મૃત્યુ પામી દેવલોકે ગઈ. ત્યાંથી ચ્યવીને પે'લો બ્રાહ્મણ દેવ રાજગૃહ નગરમાં ધન નામે સાર્થવાહ હતો, તેને ચિલાતા નામે દાસી હતી, તેણીના ગરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ ચિલાતક રાખ્યું. ઘન સાર્થવાહને પાંચ પુત્રોની ઉપર છઠ્ઠી પુત્રી જન્મી. તેનું સુંસુમા નામ રાખ્યું. પિલાતકને બાલગ્રાહ રૂપે સુષમાને સોંપી. સુસુમા સાથે તે ચેષ્ટા કરતો હતો. તેથી કાઢી મૂક્યો. તે સિંહગુફા નામે ચોરની પલ્લીમાં ગયો. ત્યાં પ્રપદારી થયો. ચર સેનાપતિ મૃત્યુ પામ્યો. તે સેનાપતિ થઈ ગયો. તેણે ક દિવસે ચોરોને આમ કહ્યું - રાજગૃહમાં ધન નામે સાર્થવાહ છે, તેની પુત્રી સુસુમા નામે છે. ત્યાં આપણે જઈએ. જે ધનમળે તે તમારું અને સુસુમા મારી. ત્યાં જઈને અવસ્થાપિની નિદ્રા આપી દીધી. કાર્ય સાધીને ધનસાર્થવાહ સાથે પુત્રોને પણ માર્યા. તેના ઘરમાં પ્રવેશી કન્યા
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy