SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્યાત નિ - ૮૬૪ ૧૪3 નથી તે અનવધ સામાયિક. () પરિ - ચોતફથી જે જ્ઞાન, પાપના પરિત્યાગથી થાય તે પરિજ્ઞા સામાયિક. (૮) પ્રત્યાખ્યાન - પરિહરણીય વસ્તુ પ્રતિ આખ્યાન તે પ્રત્યાખ્યાન. આ આઠ સામાયિકના પર્યાયો છે. આ આઠે પણ અર્થોના અનુષ્ઠાતાના અનુક્રમે જે આઠ દેટાંત રૂપ મહાત્મા છે, તેને પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ-૮૬૫ - દમદંત મેતાર્ય, કાલક પૃચ્છા, ચિલાત, આત્રેય, ધર્મરુચિ, ઈલાપુત્ર અને તેતલિપુત્ર. આ આઠ સામાયિકના ઉદાહરણો છે. • વિવેચન-૮૬૫ - [ગાથાર્થ કહ્યો.] અવયવાર્ય કથાનકોચી જાણવો. “ઉદ્દેશ પ્રમાણે નિર્દેશ” ન્યાયે સામાયિકમાં દમદંતશણગારનું દૃષ્ટાંત છે. તેના ચારિત્રનું વર્ણન ઉપદેશાર્થે આ કાળના મનુષ્યોના સંવેગોત્પતિ માટે કહે છે. (૧) સામાયિક - હતિશીર્ષ નગરમાં દમદંત નામે રાજા હતો. આ તરફ ગજપુર નગરમાં પાંચ પાંડવો હતા. તેઓને દમદંત સાથે વૈર હતું. જ્યારે તે દમદંત રાજા જરાસંધ પાસે રાજગૃહે ગયેલો ત્યારે તેનો દેશ પાંડવ આદિએ લુંટી લઈને બાળી નાંખેલો. કોઈ દિવસે દમદંત રાજા પાછો આવ્યો. તેણે ગજપુર (હસ્તિનાપુર)ને રૂંધ્યું. ત્યાંના નિવાસી ભયથી નીકળ્યા નહીં. ત્યારે દમદંત રાજાએ તેમને કહ્યું- શીયાળની જેમ શૂન્ય દેશમાં જેમ ઈચ્છા પડે તેમ ફરો. હું જ્યારે જરાસંધ પાસે ગયો, ત્યારે મારો દેશ લુંટેલો હતો. ધે બહાર નીકળો. પણ તેઓ [પાંડવો ન નીકળ્યા. ત્યારે પાછો ગયો. અન્ય કોઈ દિવસે દમદંત રાજાએ કામભોગથી નિર્વિર્ણ થઈ દીક્ષા લીધી. પછી એકાકી વિહાર સ્વીકારી વિચરતા હસ્તિનાપુર ગયા. ત્યાં બહાર પ્રતિમાં ધ્યાને રહ્યા. યુધિષ્ઠિરે યાત્રાએ નીકળતાં તેમને વંદન કર્યા. પછી બીજા ચારે પાંડવો વાંધા. ત્યારે દુર્યોધન આવ્યો. તેણે તેના માણસોને કહ્યું - આ દમદંત છે, તેને કોળાથી મારો. બાકીના સૈન્યએ જતાં-જતાં પત્થરો માર્યો. એ રીતે પત્થરનો ઢગલો કરી દીધો. યુધિષ્ઠિરે પાછા ફરતાં પૂછ્યું - આ સાધુને કોણે ત્રાસ આપ્યો? તે કયાં છે? લોકોએ કહ્યું કે- આ પત્થરનો ઢગલો દુર્યોધને કરેલ છે. ત્યારે તેને ઠપકો આપ્યો. પત્થરો દૂર કર્યા. તેલ વડે મુનિને માલીશ કર્યો. પછી યુધિષ્ઠિરે તેમની ક્ષમા માંગી. દમદંત મુનિને દુર્યોધને અને પાંડવો બધામાં સમભાવ રહ્યો. એ પ્રમાણે સામાયિક કરવું જોઈએ. આ અર્થના પ્રતિપાદન માટે ભાણકાર કહે છે - • ભાષ્યત-૧૫૧ - કામભોગને છોડીને દમદત રાજ હસ્વિશીર્ષથી નીકળ્યો [દીક્ષા લીધી.] તે અનુસ્કતમાં સગ કરતાં નથી, હેણીમાં દ્વેષ કરતા નથી. • વિવેચન-૧૫૧ :ગાથાર્થ કહ્યો. વE - ઈચ્છા, રોગ - શબ્દાદિ અનુભવ અથવા કામ પ્રતિબદ્ધ ૧૪૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ ભોગો તે કામભોગ • x • મુનિઓએ વિશે આવા પ્રકારના જ થવું જોઈએ. તેથી કહે છે કે – • નિયુક્તિ-૮૬૬ : વંદન કરાતા ગર્વ ન પામે, નિંદા કરાતા ક્રોધથી બળે નહીં ચગદ્વેષનો ઘાત કરનારા ધીર મુનિઓ દાંત ચિત્તથી વિચરે છે. • વિવેચન-૮૬૬ :ગાથાર્થ કહ્યો. ત - ઉપશાંત. * * * * * તથા • નિયુક્તિ-૮૬૭,૮૬૮ : જે સમન ક્રિમણ કે સમ-મનવાળો] સુમન [સાસ મનવાળો થાય, ભાવથી પણ જે પાપમનવાળો ન થાય, સ્વજન કે પરજનમાં તેમજ માન કે અપમાનમાં સમ રહે... બધાં જીવોમાં તેને કોઈ હેપ્ય નથી કે પિય નથી. તેનાથી તે સમણ [શ્રમણ થાય છે. આ બીજે પણ ‘સમણનો પયરય છે. • વિવેચન-૮૬૭,૮૬૮ - સમન - જે સુમન ચાય. શોભન ધર્મધ્યાનાદિ પ્રવૃત્ત મન જેનું છે તે સુમન, HIT કહેવાય છે. કેવી રીતે ? તે કહે છે - આત્મપરિણામ લક્ષણ વડે જો ન થાય, [í ] પાપમના-અનવસ્થિત મનવાળો પણ. અથવા ભાવથી જો તે પાપમનવાળો ન થાય, ભાવના એ છે કે – નિદાનમાં પ્રવૃત્ત પાપ મનથી રહિત રહે. વજનમાં અને માત્રાદિક જનમાં કે બીજામાં સમ - તુલ્ય રહે, માન-અપમાનમાં સમ રહે. - તથા - બધાં જીવોમાં દ્વેષ કે પ્રિતિ રહિત વર્તે, તો સમજી થાય, સન્ Tછત ત્તિ સમUT, (૨) હવે “સમયિક”નું કથાનક કહે છે - સાકેત નગરમાં ચંદ્રાવતુંસક રજા હતો, તેને બે પત્ની હતી. સુદર્શના અને પ્રિયદર્શના. સુદર્શનાને બે પુત્રો હતા - સાગચંદ્ર અને મુનિચંદ્ર. પ્રિયદર્શનાને પણ બે પુત્રો હતા - ગુણચંદ્ર અને બાલચંદ્ર. સાગચંદ્ર યુવરાજ થયો. મુનિચંદ્રને ઉજજેની કુમાર ભકિતમાં આપી. આ તરફ ચંદ્રાવતંસક સM માઘ માસમાં પ્રતિમા ધ્યાને રહેલા, વાસગૃહમાં દીવો બળે ત્યાં સુધી પ્રતિમા ધ્યાનમાં રહેવું. ત્યારે શય્યાપાલિકા વિચારે છે - સ્વામી અંધકારમાં દુઃખે રહેશે. તેણીએ બીજા પ્રહરમાં દીવામાં તૈલ નાંખી દીપ્ત રાખ્યો. તે દીવો અર્ધરાત્ર સુધી બળતો રહ્યો. ફરી પણ તેલ નાંખ્યું. પાછલા પ્રહર સુધી દીવો બળતો રહ્યો. ત્યારે તે સુકુમાલ રાજા છેલ્લી સમિમાં વેદનાથી અભિભૂત થઈ મૃત્યુ પામ્યો. પછી સાગરચંદ્ર સજા થયો. કોઈ દિવસે તેણે માતાની સપની [શોક્યને કહ્યું - આ રાજય ગ્રહણ કરો, એ તમારા પગોનું થાઓ. હે દીક્ષા લઈશ. તે રાણીની ઈચ્છા ન હતી કે આ રીતે રાજ્ય પ્રાપ્ત થાય. - X - X - X - તે રાણી સાગચંદ્રને મારવા માટે છિંડા શોધે છે તે ભુખ્યો થયો, તેણે સોઈયાને સંદેશો મોકલ્યો, જે કંઈ સવારનું કે પહેલાનું હોય તે ખાવા મોકલ. રસોઈયાએ સિંહ કેશરિકા લાડુ દાસીને હાથે મોકલ્યા. જોતાં જ ગમી જાય તેવા હતા. રાણીએ તેને વિષમિશ્રિત કરીને મોકલ્યા. દાસીએ તે રાજાને આપ્યા. બંને કુમારો રાજા પાસે ઉભેલા. સાગરચંદ્રને થયું - આ બંને ભુખ્યા છે અને
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy