SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્યાત નિ - ૮૪૦ ૧૩૫ ૧૩૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર તે પુત્ર તે સ્ત્રીને ઈષ્ટ હતો. નાનો ભાઈ પણ તે જ સ્ત્રીના ઉદરમાં આવ્યો. જ્યારે તે ઉત્પન્ન થયો ત્યારે તે સ્ત્રી વિચારે છે કે – શિલાની માફક પછાડું, ગર્ભપાતના કરવાથી પણ તે પડ્યો નહીં. પછી તેનો જન્મ થયો. દાસીના હાથમાં આપીને તે પુગનો ત્યાગ કરી દીધો. શ્રેષ્ઠીએ તેને લઈ જવાતો જોયો. તેણે પાછો લઈને બીજી દાસીને આપી દીધો. તે ત્યાં મોટો થવા લાગ્યો. મોટાનું નામ રાજલલિત, નાનાનું નામ ગંગદા રખાયું. જે મોટો હતો, તેને જે કંઈ પ્રાપ્ત થાય, તે નાનાને આપતો, માતાને તો નાનો અનિષ્ટ જ હતો. જ્યારે જુએ ત્યારે કાષ્ઠાદિ વડે મારતી. કોઈ દિવસે ઈન્દ્ર મહોત્સવ થયો. ત્યારે પિતાએ અલા સાગારિકને બોલાવ્યો. પલંગની નીચે રહીને તે ગંગદત્ત જમતો હતો. ગુપ્ત રીતે ત્યાંથી બહાર કાઢીને, હાથેથી પકડીને માતાએ ખાળકૂવામાં ફેંકી દીધો. ત્યારે તે સવા લાગ્યો. પિતાએ બહાર કાઢી નાન કરાવ્યું. એ અરસામાં સાધુ ભિક્ષાને માટે આવ્યા. શ્રેષ્ઠીએ પૂછ્યું - ભગવદ્ ! શું માતાને પુત્ર અનિષ્ટ હોય ? સાધુએ કહ્યું – હોય પણ ખરો. શા માટે ? ત્યારે તે બોલ્યા - જેને જોઈને ક્રોધ વધે છે અને સ્નેહ ઘટે છે, તો મનુષ્યએ તેને જોઈને જાણવું કે - આ મારો પૂર્વ વૈરી છે અને જેને જોઈને સ્નેહ વધે છે અને ક્રોધ ઘટે છે, તો મનુષ્યએ જાણવું કે આ મારો પૂર્વ બાંધવ છે. ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું - આને તમે દીક્ષા આપશો? તેને જદી દીક્ષા આપી વિદાય કર્યો. તેના આચાર્યની પાસે તેના સ્નેહાનુરાગથી ભાઈએ પણ દીક્ષા લીધી. તે બંને ભાઈ સાધુ થયા. ઈર્યાસમિત થયા. અનિશ્રિત તપ કરવા લાગ્યા. ત્યારે દુ:ખી નાના ભાઈએ નિયાણું કર્યું - જો આ તપ, નિયમ, સંયમનું ફળ હોય તો આવતા જન્મમાં હું લોકોના મન-નયનને આનંદ આપનારો થઉં. પછી તે ઘોર તપ કરીને દેવલોકૅ ગયો. ત્યાંથી ચ્યવીને વસુદેવનો પુત્ર વાસુદેવ થયો. મોટો ભાઈ બલદેવ થયો. એ પ્રમાણે તેને વ્યસનથી સામાયિકની પ્રાપિત થઈ. (૯) ઉત્સવ - કોઈ એક અત્યંત ગામમાં આભીરો • ભરવાડ રહેતાં હતાં. તેઓ સાધુ પાસે ધર્મ સાંભળે છે, ત્યારે દેવલોકનું વર્ણન આવે છે. એ પ્રમાણે તેમને ધર્મમાં સુબુદ્ધિ થઈ. અન્ય કોઈ દિવસે ઈન્દ્રમહોત્સવ કે અન્ય કોઈ મહોત્સવમાં નગરીમાં ગયા. તે નગરી દ્વારિકા જેવી હતી. ત્યાં લોકને જુએ છે. મંડિત પ્રસાધિત સુગંધ, વિચિત્ર વસ્ત્રો હતા. તેઓ તેને જોઈને કહે છે કે – આ જ તે દેવલોક છે, જે સાધુએ વર્ણવેલ હતો. હવે જો અહીં આપણે આવીશું તો સુંદર કરીશું. આપણે પણ સ્વર્ગે ઉત્પન્ન થઈશું. ત્યારે તેમણે જઈને સાધુને કહ્યું - આપ અમને જે દેવલોક કહેલો હતો, તે અમે પ્રત્યક્ષ જોવો. સાધુએ તેમને કહ્યું - દેવલોક તેવા પ્રકારે નથી. બીજા પ્રકારે છે, આનાથી અનંતગુણ છે. ત્યારે તેઓ અત્યધિક વિસ્મય પામીને પ્રવજિત થયા. એ પ્રમાણે ઉત્સવથી સામાયિકનો લાભ થયો. (૧૦) બદ્ધિ - દશાણપુર નગરમાં દશાર્ણભદ્ર રાજા હતો. તેને ૫૦૦ ગણીઓ હતી. એ પ્રમાણે તે રૂપથી, યૌવનથી, બળથી, વાહનથી યુક્ત હતો. આવી ઋદ્ધિ કોઈને નથી તેમ વિચારતો હતો. તે અરસામાં ભગવત દશાર્ણકૂટ પર્વત પધાર્યા. ત્યારે રાજા વિચારે છે કે - આવતી કાલે આપણે એવી રીતે ભગવંતને વંદન કરવા જઈશું. જેવી રીતે કોઈએ પણ પૂર્વે ભગવંતને વાંધા ન હોય. તે પ્રમાણે રાજા ગયો. શકેન્દ્રએ આ વાત જાણી, તે વિચારે છે – બિચારો આત્માને જાણતો નથી. રાજા મોટા સમુદાય સાથે વંદન કરવાને સર્વ ઋદ્ધિ સહિત નીકળેલો છે. શક પણ ઐસવણ દેવરાજ ઉપર નીકળ્યો. | [આ ઐરાવણ કેવો હતો?] તેના આઠ મુખો વિકુવ્ય. પ્રત્યેક મુખમાં આઠ-આઠ દંતશૂળો વિકુવ્ય. દાંતે દાંતે આઠ-આઠ પુષ્કરિણી વિક્ર્વી પછી એકૈક પુષ્કરિણીમાં આઠ-આઠ કમળો વિકળ્યાં. પ્રત્યેક કમળમાં આઠ-આઠ પાંદડા વિકુલ્ય પ્રત્યેક માં આઠ-આઠ બત્રીશબદ્ધ દિવ્ય નાટકો વિકુવ્ય [અન્ય સ્થાને લાખ-લાખ પાંદડી વિકુ અને કમળ વચ્ચે ઈન્દ્ર પોતે બેઠો એવો ઉલ્લેખ પણ છે. એ રીતે સર્વ ઋદ્ધિપૂર્વક ઈન્દ્ર ત્યાં આવ્યો. એ રીતે રાવણ ઉપર બેઠેલા રહીને જ શએ ભગવંતને દક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. ત્યારે તે હાથી અમ્રપાદ વડે ભૂમિ ઉપર ઉભો રહ્યો. ત્યારે તે હાથી દશાર્ણકૂટ પતિ દેવતાની કૃપાથી અમ્રપાદે ઉભો રહ્યો હોવાથી તેનું નામ ગજાગ્રપાદક થયું. તે અવસરે દશાર્ણભદ્ર વિચારે છે – મારી આવી ત્રાદ્ધિ ક્યાં ? અહો ! આપણે ધર્મ કર્યો છે. હું પણ કરીશ. ત્યારે તે બધું છોડી પ્રવજિત થયો. આ પ્રમાણે બદ્ધિ વડે પણ સામાયિકની પ્રાપ્તિ થાય. (૧૧) અસત્કાર - કોઈ એક બ્રાહ્મણ હતો. તેણે તેવા પ્રકારના સ્થવિરો પાસે ધર્મ સાંભળીને, પોતાની પત્ની સહિત દીક્ષા લીધી. ઉગ્રાતિઉગ્ર પ્રવજ્યાને પાળે છે પરંતુ તે બંનેની પરસ્પર પ્રીતિ ઘટતી નથી. તે સ્ત્રી બ્રાહ્મણજાતિની હોવાથી કંઈક ગર્વને કરતી હતી. બંને મૃત્યુ પામીને દેવલોકે ગયા. આયુષ્ય હતું તેટલું ભોગવ્યું. આ તરફ ઈલાવર્ધન નગરમાં ઈલા નામે દેવી હતી. તેણીને એક સાર્યવાહી પુગની ઈચ્છાથી આરાઘવી શરૂ કરી, પે'લો બ્રાહ્મણ દેવલોકથી ચ્યવીને તેણીના પુત્રરૂપે જમ્યો. તેનું નામ પણ ઈલામ રાખ્યું. તે બ્રાહ્મણપત્ની પણ દેવલોકથી ચ્યવી, પણ પૂર્વ ભવના ગવદોષથી લંબક ચાતિના કુળમાં ઉત્પન્ન થઈ. બંનેને યૌવન પ્રાપ્ત થયું. કોઈ દિવસે ઈલાગએ તે નટકન્યાને જોઈ. પૂર્વ ભવના અનુરાગથી તેણીમાં આસક્ત થયો. તેણીને શોધવા - માંગણી કરવા છતાં પ્રાપ્ત ન થઈ. ઈલાપુએ કહ્યું - તેણીના ભાર પ્રમાણ સુવર્ણથી તોલીએ. નટ-બોલ્યો- આ કન્યા અમારી પ્રાયનિધિ છે. જો તું અમારી કળા શીખે અને અમારી સાથે ચાલ તો તને આ કન્યા આપીએ. ઈલાપુત્ર તેમની સાથે ગયો અને નાની કળા પણ શીખ્યો. પછી વિવાહ કરવાના નિમિતે [ધન મેળવવા માટે] રાજાની સામે પ્રેક્ષણક - ખેલ કરવાનું તેને નટે કહ્યું. - ત્યારપછી તેઓ બેન્નાતટ ગયા. ત્યાં રાજા અંતઃપુર સહિત ખેલ જોવાને બેઠો. ઈલાપુત્ર પણ ક્રીડા-ખેલ કરવા લાગ્યો. રાજાની નજર નટકન્યા ઉપર હતી. રાજા ઈનામ આપતો નથી. તેથી સણી પણ આપતી નથી. બીજા કોઈ પણ દાન આપતા
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy