SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ : ૮૪૭ ૧૩૧ ગરીબપણાથી ખીર વડે પેટ ભરી દીધું. ત્યારે રાત્રિના તેને ઝાળા થયા. મરીને દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવીને રાજગૃહીનગરીમાં પ્રધાન ધનાવહનો પુત્ર અને ભદ્રા નામે તેની પનીનો આત્મજ થયો. તે ગર્ભમાં હતો ત્યારે લોકો કહેતા - આ કૃપુષ્ય જીવ છે. તેથી તે જ્યારે જમ્યો ત્યારે તેનું કૃતપુણ્ય એવું નામ રાખ્યું તે મોટો થયો. કલાનું શિક્ષણ લીધું. પરિણત થયો. તેની માતાએ તેને દુર્લલિત ગોઠીમાં મૂક્યો. તે ગણિકાના ઘરમાં પ્રવેશ્યો. બાર વર્ષ જતાં તેનું કુળ નિધન થઈ ગયું. તો પણ તે ગણિકાને ત્યાંથી નીકળ્યો નહીં. તેના માતા-પિતા મૃત્યુ પામ્યા. છેલ્લે દિવસે તેની પનીએ આભરણ મોકલ્યા. ગણિકાની માતા સમજી ગઈ કે હવે આ કૃતપુન્ય ખાલી થઈ ગયો છે. - x - ગણિકાની માતા બોલી કે - આને હવે અહીંથી કાઢી મૂક. પણ ગણિકા તેમ ઈચ્છતી ન હતી. ત્યારે ચોરી છૂપીથી કાઢી મૂક્યો. બારણા બંધ કરી દીધા. ઉતરીને બહાર ઉભો રહ્યો. ત્યારે દાસી વડે કહેવડાવ્યું - કાઢી મૂક્યો તો પણ ઉભો છો ? ત્યારે સડેલ-પટેલ પોતાના ઘેર ગયો ત્યારે તેની પત્ની સંભમથી ઉભી થઈ, ત્યારે તેણીને કૃતપુન્યને બધી વાત કરી. શોક વ્યાપ્ત થઈને પૂછ્યું - હવે કંઈ છે ? જેનાથી હું બીજે જઈને કંઈક વ્યાપાર કરું ? ત્યારે જે આભરણો અને હજાર કપસિમૂલ્ય ગણિકાની માતાએ આપેલા તે બતાવ્યા. તે દિવસે કોઈ સાથે કોઈપણ દેશમાં જવાને નીકળતો હતો. તે પણ કંઈક ભાંડમૂલ્ય ગ્રહણ કરીને તેની સાથે ચાલ્યો. બહાર દેવકુલિકામાં ખાટલો પાથરીને સુતો હતો. બીજા કોઈ વણિકની માતાએ સાંભળ્યું કે – વહાણ ભાંગવાથી તારો પુત્ર મૃત્યુ પામ્યો છે. તેણીએ તેને ધન આપીને કહ્યું કે - “તું આ વાત કોઈને કહેતો નહીં. માતાએ વિચાર્યું કે - “મારું ધન રાજકુળમાં ન ચાલ્યું જાય,” કેમકે અપુત્ર એવા મારે ત્યાં રાજના પરષો પ્રવેશશે તો બધું ધન લઈ જશે. ત્યારે રાત્રિના તેને ત્યાં સાથે આવ્યો. જો કોઈ અનાથ દેખાય તો ત્યાં જોવો, સમજાવીને ઘેર લાવવો. ત્યારે ઘેર લાવીને રોવા લાગી. હે પુત્ર! ત્યાં ક્યાં ચાલી ગયેલો ? ચારે પુત્રવધુને પણ કહે છે કે – આ તમારો દેવર છે, ઘણા સમયથી નાશી ગયેલો. તે ચારે પુત્રવધુ તે કૂતપુન્ય સાથે જોડાઈ ગઈ. એ રીતે તે ત્યાં બાર વર્ષ સુધી રહ્યો. ત્યાં એકૈકને ચાર-પાંચ પુત્રો થયા ત્યારે તે વૃદ્ધાએ કહ્યું કે - હવે આને કાઢી મૂકો. તે ચારે પુત્રવધુ તેમ ન કરવા સમર્થ ન હતી. ત્યારે તેણીઓએ ભાથું આપવા લાડવા બનાવ્યા. અંદર રનો વડે ભરી દીધા. જો તેને કૃિતપુન્યને પ્રાયોગ્ય થાય તો ઘણું સારું ત્યારે વિકટ [ઉંઘની દવા પીવડાવીને તે જ દેવકુલિકામાં ઓશીકે તે ભાથું રાખીને પાછા આવી ગયા. તે પણ શીતળ પવનથી પ્રભાતે જાગ્યો. ગયેલો સાથે પણ તે જ દિવસે પાછો આવેલો. કૃતપુન્યની પત્નીએ પણ ગવેષકને મોકલેલા. તેને લઈને ઘેર આવ્યા. તેની પરની જલ્દીથી ઉઠીને આવી ભાણુંશંબલ લઈ લીધું. ઘરમાં લાવ્યા. અત્યંગ આદિ કરે છે. કૃપુષ્ય ગયો ત્યારે તેની ૧૩૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ પત્ની ગર્ભિણી હતી. તે પુત્ર પણ અગિયાર વર્ષનો થઈ ગયેલો લેખશાળાથી આવીને રડતો હતો. મને જલ્દી ખાવા આપ. ત્યારે તેણીએ કૃતપુન્યના ભાથામાંથી એક લાડવો આપ્યો. ખાતા ખાતા રહનો નીકળ્યા. તેમાં રનને જોયા, લેખદારકે પણ જોયા, પુડલાના બદલામાં તેણે રન આપી દીધા. ઈત્યાદિ - x - કૃતપુજે પણ જમીને લાડવો ભાંગ્યો, તેણે પણ રત્નો જોયા, તે રત્નો તે પ્રમાણે જ રાખી મૂક્યા. તેિ અવસરે એક બનાવ બન્યો.] સેચનક ગંધહસ્તીને નદીમાં મગરે પકડ્યો. રાજા ખેદ પામ્યો. અભયે કહ્યું કે - જો જલકાંત મણિ હોય, તો મગર તેને છોડી દે. તે રાજકુળમાં ઘણાં-ઘણાં રનો લાંબા કાળથી હતા. તેઓએ પડહ વગડાવ્યો કે જે કોઈ જલકાંત મણિ આપશે તેને રાજા અડધું રાજ્ય અને કન્યા આપશે. ત્યારે કંદોઈએ તે રન આપ્યું. લઈને પાણીમાં પ્રકાશિત કર્યું, મગરે જાણ્યું કે અહીં સ્થળ છે, હાથીને છોડીને ચાલ્યો ગયો. રાજા વિચારે છે કે આ કોની પાસેથી આવ્યું હશે? આપૂપિકને પૂછે છે - તારી પાસે આ ક્યાંથી આવ્યું? દબાણ કરતાં બોલ્યો કે – કૃતપુણ્યના બએ આપ્યું. રાજા ખુશ થયો. બીજા કોઈકનું હશે? રાજાએ કૃતપુચકને બોલાવ્યો. પોતાની કન્યા પરણાવી, તેને દેશ પણ આપ્યો. તે તેણી સાથે ભોગો ભોગવવા લાગ્યો. ગણિકા પણ આવી ગઈ. કહે છે – આટલા કાળ સુધી હું વેણી બાંધીને રહી. બધાં વૈતાલિકો તમારા માટે મોકલ્યા. ત્યારે અહીં જોયા. ત્યારપછી કૃતપુન્યએ અભયને કહ્યું - અહીં મારી ચાર પનીઓ છે, પણ હું તેનું ઘર જાણતો નથી. ત્યારે અભયકુમારે ચૈત્યગૃહ કરાવ્યું. કૃતપુણ્ય સંદેશ યુયક્ષ કર્યો. તેની પા-અર્ચનની જાહેરાત કરી. બે દ્વાર કરાવ્યા. એકથી પ્રવેશ અને બીજાથી નિર્ગમન. ત્યાં અભય અને કૃતપુન્ય એક દ્વારની ધાર પાસે શ્રેષ્ઠ આસન રાખીને બેઠા. કૌમુદીની આજ્ઞા કરાઈ • પ્રતિમાં પ્રવેશ પૂજા કરવી. નગરમાં ઘોષણા કરાવી કે - બધી સ્ત્રીઓએ ફરજિયાત આવવું. લોકો આવવા લાગ્યા. ચાર પુત્રવધુઓ ચાર પુત્રો સાથે આવી ગઈ. ત્યાં તે બાળકો બાપા, બાપા બોલતા તેના ખોળામાં બેસી ગયા. કૃતપુન્ય જાણી ગયો કે આ જ તારા પુત્રો છે. પે'લી વૃદ્ધ માતાને ધમકાવી. તે ચારે પુત્રવધુઓને પણ લાવવામાં આવી. એ રીતે કુલ સાત સ્ત્રીઓ સાથે કૃતપુન્ય ભોગો ભોગવવા લાગ્યો. વર્ધમાન સ્વામી પધાર્યા. કૃતપુન્ય સ્વામીને વાંદીને પૂછે છે – મને આ સંપત્તિ અને વિપત્તિ કઈ રીતે પ્રાપ્ત થઈ ? ભગવંતે કહ્યું - ખીરના દાનથી. આખો વૃતાંત સાંભળી સંવેગ પામીને પ્રવજ્યા લીધી. આ રીતે દાનથી સામાયિકની પ્રાપ્તિ થાય છે. (૫) વિનય • મગધ દેશમાં ગૂર્જરગામમાં પુષ્પશાલ ગાથાપતિ હતો. તેની પત્નીનું નામ ભદ્રા હતું. તેના પુત્રને “પુણ્યશાલસુત' કહેતા હતા. તે માતાપિતાને પૂછે છે - ધર્મ શું છે ? તેઓએ કહ્યું – “માતાપિતાની સેવા કરવી છે.' આ જીવલોકમાં માતા-પિતા બંને દૈવતા સમાન છે. તેમાં પણ પિતા વિશિષ્ટ છે કેમકે માતા તેના વશમાં વર્તે છે. તે પુત્ર માતાપિતાની સેવા-શુશ્રુષા દૈવની માફક કરવા લાગ્યો.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy