SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ - ૮૪૭ ૧૨૩ • વિવેચન-૮૪૭ : (ગાથાર્થ કહ્યો.) કથાનક નિર્યુક્તિ-૮૪૬ના વિવેચનમાં કહેલ છે. (૨) અકામનિર્જરાનું દૃષ્ટાંત ઃ- વસંતપુર નગરમાં શ્રેષ્ઠી પત્ની નદીમાં સ્નાન કરતી હતી, અન્ય કોઈ તરુણે તેણીને જોઈને કહ્યું – સારી રીતે સ્નાન કર્યુ ? આ નદી મતવારણકર. આ નદી, વૃક્ષો અને હું તારા પગે પડીએ છીએ. તેણી બોલી - નદી સુભગા થાઓ, આ નદી અને વૃક્ષો ઘણું જીવો અને સુસ્તાન પૂછનારનું પણ પ્રિય કરવાને પ્રયત્ન કરીએ. ત્યારે તે તરુણ તેણીના ઘરને કે દ્વારને ન જાણતો વિચારે છે – તેણીના સહગત ચેટરૂપ વૃક્ષોને અવલોકતો ઉભો રહે છે. તેમને પુષ્પો અને ફળો આપીને પૂછે છે – આ કોણ છે ? તેઓ કહે છે – અમુકની પત્ની છે. ત્યારે તે તરુણ વિચારે છે - કયા ઉપાયથી આની સાથે સંયોગ થઈ શકે? ત્યારે આણે ચારિકાને દાન-માન સંગૃહીત કરીને તેને વિદાય કરી. તે ચસ્કિા જઈને પે'લી યુવતીને રોષથી વાસણોમાંથી ઉદ્ઘર્દયન કરીને મસી વડે હાથ બગાડી તે ચકિાની પાછળ ધબ્બો માર્યો, પંચાંગુલીનું નિશાન થઈ ગયું. પાછલા દ્વારથી કાઢી મૂકી. - તે ચસ્કિાએ જઈને કહ્યું – તેણી તમારું નામ પણ સાંભળવા માંગતી નથી પણ યુવક સમજી ગયો. કૃષ્ણપક્ષની પાંચમે મળશે. ત્યારે તેણે ફરી પણ ચરિકાને પ્રવેશ જ્ઞાનાર્થે મોકલી. ત્યારે તેણીએ લજ્જા સહિત તેણીને ઘકેલીને અશોકવનિકાની છિંડિકામાંથી કાઢી મૂકી. ચસ્કિાએ જઈને કહ્યું. તે તરુણ પ્રવેશ જાણી ગયો. તે બંને અપદ્વારથી જઈ અશોક વાટિકામાં સુતા તેટલામાં યુવતીના સસરાએ બંનેને જોયા. તે જાણી ગયા - આ મારો પુત્ર નથી. પછી તેણીના પગમાંથી ઝાંઝર કાઢી લીધું. તેણી ચેતી ગઈ. પે'લા યુવકને કહ્યું – હવે તું ભાગ. પછી જઈને પોતાના પતિને કહ્યું – અહીં ઘણી ગરમી છે ચાલો - અશોકવાટિકામાં. બંને ગયા, બંને અશોકવાટિકામાં સૂઈ ગયા. પછી પતિને ઉઠાડીને બોલી - તમારા કુળને શું આ અનુરૂપ છે ? મારા પગમાંથી સસરાજીએ ઝાંઝર લઈ લીધું. તેનો પતિ બોલ્યો – સવાર પડે ત્યાં સુધી સૂઈ જા. તેને પિતાએ વાત કરી. તે યુવક રોષિત થઈ બોલ્યો. પિતાજી ! તમે વિપરીત બોલો છો. પિતા બોલ્યા – મેં બીજાને જોયેલો હતો. ત્યારે વિવાદ થતાં તેણી બોલી – હું આત્માની શુદ્ધિ કરીશ. પછી તે સ્નાન કરી યક્ષગૃહે પહોંચી. જે અપરાધી હોય તે બે જંઘાના અંતરમાં ફસાઈ જાય છે અને અનપરાધી હોય તે વચ્ચેથી નીકળી જાય છે. તેણી [આ પરીક્ષા દેવા] ચાલી ત્યારે પે'લો તેનો ચાર પુરુષ પિશાચરૂપ કરીને તેણીને આલિંગનથી ગ્રહણ કરે છે. - - પછી ત્યાં જઈને તેણી યક્ષને કહે છે – • જે મારા પિતાએ આપેલો વર છે તે અને તે પિશાચને છોડીને જો કોઈ મને જાણતું હોય [મેં સંયોગ કરેલ હોય] તો મને તમે શિક્ષા કરો. યક્ષ વિલખો થઈને ચિંતવે છે આ જુઓ કેવા પ્રકારે માયા કરે છે? હું પણ આના વડે છેતરાયો છું. આ સતી નહીં ધૂર્ત છે. હજી યક્ષ વિચારતો હતો. તેટલામાં તેણી નીકળી ગઈ બધાં લોકો વડે તે સ્થવિર હેલણા પામ્યો. ત્યારે ખેદથી તેની નિદ્રા નષ્ટ થઈ ગઈ. આ વાત રાજાના કાને પડી. રાજાએ તેને અંતઃપુરપાલક નીમ્યો. આભિષેક્સ હસ્તિરત્ન રાજાના વાસગૃહની નીચે બંધાયેલ હતું. રાણી મહાવતમાં આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ આસક્ત હતી. રાત્રિના હાથી સુંઢ પસારતો, તેણી પ્રાસાદ થકી ભોંયરામાં ઉતરી જતી. ફરી પ્રભાતે પાછી આવી જતી, એ પ્રમાણે કાળ જતો હતો. કોઈ દિવસે બહુ વાર લાગી, તેથી મહાવતે તેણીને હાથીની સાંકળ વડે મારી. તેણી બોલી - આવો કોઈ પુરુષ છે, તે સુતો નથી. રોષ ન કર. તે સ્થવિર-વૃદ્ધે જોઈ, તે વિચારે છે - જો આ રાણી પણ આવી હોય, તો પછી મારી પુત્રવધુ કેમ ન હોય, એમ વિચારી સૂઈ ગયો. પ્રભાતે બધાં લોકો ઉઠી ગયા. તે વૃદ્ધ ન ઉઠ્યો. રાજાએ કહ્યું – સુવા દો. સાતમે દિવસે ઉઠ્યો. ત્યારે રાજાએ પૂછતાં કહ્યું – એક રાણી છે, તે કોણ છે તે નથી જાણતો. ત્યારે રાજાએ ભિંડમય હાથી કરાવ્યો. બધી અંતઃપુરિકાને કહ્યું કે – આની પૂજા કરી ઉલ્લંઘી જવું. બધી વડે ઉલ્લંઘાયો, તેણી એકે ના પાડીને કહ્યું – ના, મને ડર લાગે છે. ત્યારે રાજાએ કમળની નાળ વડે મારી, તેટલામાં તેણી મૂર્છા ખાઈને પડી ગઈ. ત્યારે રાજા જાણી ગયો કે આ જ અપરાધિની છે. તેણીને કહ્યું કે – ઉન્મત્ત હાથી ઉપર ચડી જાય છે, ભિંડમય હાથીથી ડરે છે, અહીં કમળની નાલ વડે હણાતા મૂર્વા પામે છે, ત્યાં સાંકળ વડે મારતા પણ મૂર્છા નથી પામતી. તેણીની પીઠ જોઈ, ત્યાં સાંકળના પ્રહાર જોવા. ત્યારે રાજાએ મહાવત અને તે રાણી બંનેને પણ તે હાથી સાથે બાંધી છિન્નાટકમાં મૂકી દીધા. ત્યારપછી મહાવતને કહ્યું – તારા સહિત હવે તું પર્વતથી પડતું મૂક. હાથીના બંને પડખે ભાલાધારી રાખ્યા. તેટલામાં હાથી વડે એક પગ આકાશમાં ઉંચો કરાયો. લોકો બોલવા લાગ્યા કે – તિર્યંચ પણ જાણે છે કે શું ? આ બંને મારવા લાયક છે. તો પણ રાજા રોષને મૂકતો નથી. ત્યારે હાથીએ બે પગ આકાશમાં ઉંચા કર્યા. ત્રીજી વખત ત્રણ પગ આકાશમાં ઉંચા કરીને એક પગે ઉભો રહ્યો. લોકો આક્રંદ કરવા લાગ્યા - આ હસ્તિરત્નનો શા માટે વિનાશ કરો છો? રાજાનું ચિત્ત દ્રવી ઉઠ્યું, મહાવતને બોલ્યો કે – બચાવવાને સમર્થ છો? ૧૨૮ મહાવત બોલ્યો – મને અભય આપો તો બચાવું. રાજાએ તેને અભય આપ્યું. તેણે અંકુશ વડે હાથીને નિયંત્રિત કર્યો. ભમાડીને સ્થળમાં ઉભો કર્યો. ત્યારે તે બંનેને ઉતારીને દેશ નિકાલ કર્યો. મહાવત અને રાણી ભેગા થઈને પ્રાંત ગામે શૂન્યગૃહમાં રહ્યા. ત્યાં કોઈ ચોર તે શૂન્યગૃહમાં આવ્યો. તેઓ બોલ્યા - આપણે વીંટળાઈને રહીએ. જેથી કોઈ અંદર પ્રવેશે નહીં. સવારે બધું ગ્રહણ કરીશું. તે ચોર પણ જતો હતો ત્યાં કોઈ રીતે તે રાણીનો સ્પર્શ થયો. રાણી તો સ્પર્શને ઓળખી ગઈ [જાગી ગઈ] તેણી સ્પર્શ થતાં બોલી – તું કોણ છે? તે બોલ્યો – હું ચોર છું. તે રાણી બોલી – તું મારો પતિ થા. ત્યારપછી [આવેલા કોટવાલને કહ્યું આ મહાવત ચોર છે. તેઓ પ્રભાતે મહાવતને પકડી ગયા. તેને બાંધીને શૂળીએ ચડાવી દીધો. રાણી ચોરની સાથે ચાલવા લાગી, માર્ગમાં નદી આવી. રાણીએ ચોરને કહ્યું. અહીં આ શરસ્તંભે ઉભો રહે, ત્યાં સુધીમાં હું આ વસ્ત્ર-આભરણ ઉતારી નાંખુ. તે ગયો. નદી ઉતરવા લાગ્યો. તેણી બોલી - નદી ભરેલી દેખાય છે, પ્રિયાના બધા ભાંડક તારા હાથમાં છે, જો
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy