________________
ઉપોદ્ઘાત નિ - ૭૭૫,૭૭૬
અમારે માટે તે સારું કહેવાશે નહીં. સ્થવિર બોલ્યા - હું સહન કરી લઈશ. જેવા તે ઉભા થઈને ચાલ્યા કે તેની પાછળ પ્રવ્રુજિત સાધુ ઉભા થયા. ત્યારે બાળસાધુ કહે છે – આ કટીપટ્ટ છોડી દો. તે છોડીને આગળ ચાલ્યા. દવરક [ચોલપટ્ટ] બાંધી દીધો. ત્યારે લજ્જાથી તેને વહન કરવા લાગ્યા. કેમકે પાછળ મારી પુત્રી વગેરે જુએ છે. એ પ્રમાણે તેણે ઉપસર્ગને સહન કર્યો. એ પ્રમાણે મૃતકને વહન કર્યુ. પછી સ્થવિર મુનિ તે રીતે જ પાછા આવ્યા. ત્યારે આચાર્યએ પૂછ્યું – હે વૃદ્ધ ! આ શું છે ? સ્થવિર મુનિ કહે છે – ઉપસર્ગ થયેલો. આચાર્યએ કહ્યું – હવે ધોતી લાવો. ત્યારે સ્થવિર બોલ્યા – ધોતીનું શું કામ છે ? દેખાવાનું હતું તે તો દેખાઈ ગયું
હવે ભલે આ ચોલપટ્ટો જ રહ્યો. એ રીતે ચોલપટ્ટો સ્વીકાર્યો.
૮૩
પછી તેઓ ભિક્ષાર્થે જતાં ન હતા. આચાર્ય વિચાર કરે છે કે – જો આ ભિક્ષાર્થે જશે નહીં, તો કોણ જાણે - ક્યારે શું થશે ? પછી તે એકલા શું કરશે ? આને નિર્જરા પ્રાપ્ત થાય તેમ કરવું. તે માટે એવું કંઈક કરું કે તે ભિક્ષા માટે નીકળે. એ પ્રમાણે જો પોતાની વૈયાવચ્ચ કરશે તો પછી બીજાની પણ વૈયાવચ્ચ કરશે. ત્યારપછી આચાર્યએ બધાં સાધુ - અલ્પ સાગારિકોને કહ્યું – હું જઉં છું. તમે એકલાં જ સમુદ્દેશ કરજો. પિતામુનિ આગમ વાત કરી, તે સાધુ બધાંએ સ્વીકારી.
- X + X -
આચાર્ય ગયા. તે સાધુઓ ભિક્ષાર્થે નીકળ્યા. બધાં એકલાં જ સમુદ્દેશ કરે છે. ત્યારે પિતામુનિ વિચારે છે કે મને - આ લોકો આપશે. પણ એક પણ સાધુએ તેમને આહારમાં કંઈ ન આપ્યું. એમ કરતાં કરતાં કોઈએ કંઈ ન આપતા તે પિતા મુનિ ક્રોધિત થયા. કોઈ કંઈજ બોલતું નથી. ત્યારે તે સ્થવિર વિચારે છે, કાલે મારો પુત્ર આવશે, ત્યારે જો જો, હું આ બધાંની ખબર લઈશ ! બીજો દિવસે આચાર્યએ આવીને પૂછ્યું – હે પિતા ! તમારો કાલનો દિવસ કેવો રહ્યો? ત્યારે પિતા મુનિ બોલ્યા – હે પુત્ર ! જો તું નહીં હો તો હું એક પણ દિવસ જીવી શકીશ નહીં. આ બીજા જે મારા પુત્રો-પૌત્રો છે, તે પણ કંઈ આપતા નથી.
ત્યારે આચાર્ય એ તેની સામે જ બધાંને તતડાવ્યા. તેઓએ પણ કબૂલ કર્યુ. ત્યારે આચાર્ય બોલ્યા – પાત્રા લાવો, હું જાતે જ પિતાનું પારણું કરાવવા કંઈક લઈ આવું. ત્યારે વૃદ્ધિ વિચાર્યુ કે – મારો પુત્ર કેમ જાય ? લોકો પાસે કદાપી પૂર્વે આ રીતે ગયેલ નથી. તેથી વૃદ્ધ બોલ્યા – હું જ જઈશ. પછી તે વૃદ્ધ જાતે જ નીકળ્યા. તે લબ્ધિસંપન્ન હતા. લાંબો કાળ ગૃહસ્થપણે જ રહેલા. તે ભ્રમણ કરવાનું જાણતા
ન હતા. ક્યાં દ્વાર કે અપદ્વાર છે તે પણ ખબર ન હતી. પછી તે એક
ઘેર પદ્વારથી ગયા. - ૪ - ૪ - ગૃહસ્વામી પૂછે છે – અપદ્વારથી હે પ્રવ્રુજિત કેમ આવ્યા ? વૃદ્ધે કહ્યું – લક્ષ્મી આવતી હોય ત્યારે દ્વાર કે અપદ્વાર શું? જ્યાંથી આવે ત્યાંથી સારું જ છે ને. ગૃહસ્વામીએ કહ્યું – આને ભિક્ષા આપો. ત્યારે ૩૨
લાડવા મળ્યા.
વૃદ્ધ મુનિ તે લઈને આવી ગયા. એના વડે આલોચના કરાઈ. પછી આચાર્ય
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ આપને બીશ શિષ્યો થશે. પરંપરાથી આવલિકા સ્થાપક થશે. પછી
કહે છે
આચાર્યએ પૂછ્યું – જો તમે કોઈ રાજકુળથી કંઈ વિશેષ મેળવો તો કોને આપશો ? તે બોલ્યા બ્રાહ્મણોને અમારા સાધુ પણ એટલાં જ પૂજ્ય છે આમને તેનો લાભ પહેલાં આપો. બધાં સાધુને આપ્યું. ત્યારે ફરી પોતાને માટે ભિક્ષા લેવા ગયા. પછી તેમને પરમાન્ન ઘી-ખાંડ સહિત પ્રાપ્ત થઈ. પછી સ્વયં સમુદ્દેશ કર્યો. એ પ્રમાણે તે પોતાના માટે ભ્રમણ કરતા ઘણાં જ લબ્ધિસંપન્ન થઈ બાળ અને દુર્બળના આધારરૂપ થયા.
૮૪
-
તે ગચ્છમાં ત્રણ પુષ્પમિત્રો હતા. એક દુર્બલિકાપુષ્પમિત્ર, એક ધૃતપુષ્પમિત્ર અને એક વસ્ત્રપુષ્પમિત્ર. જે દુર્બલિક હતા તે સ્મારક યાદ રાખનાર હતા. ધૃતપુષ્પમિત્ર ઘીને ઉત્પાદિત કરતા હતા. તેને લબ્ધિ હતી. દ્રવ્યથી ઘીને ઉત્પાદિત કરે, ક્ષેત્રથી ઉજ્જૈનીમાં, કાળથી - જેઠ અને અષાઢ માસમાં, ભાવથી - એક બ્રાહ્મણી-પ્રસૂતાતેના પતિએ થોડું-થોડું એકઠું કરીને છ માસ વડે ઘીનો ઘડો ઉપાર્જન કરેલો. જેથી તે પ્રસૂતા માટે કંઈક ઉપયોગી થાય. તેની યાચના કરવી. બીજાની નહીં. ચતાં પણ તે હર્ષિત અને સંતુષ્ટ થઈને આપી દે. પરિમાણથી - જેટલું ગચ્છને જોઈતું હોય તેટલું.
તે સાધુ વહોરવા નીકળે ત્યારે પૂછે, કોને કેટલા ઘીનું પ્રયોજન છે ? જેટલું બોલે, તેટલું લાવી દે.
-
જે વસ્ત્રપુષ્પમિત્ર હતા, તેને આવી જ લબ્ધિ હતી. તે વસ્ત્રોને ઉપાર્જિત કરી શકતા હતા. દ્રવ્યથી વસ્ત્ર, ક્ષેત્રથી વૈદેહ કે મથુરામાં, કાળથી વર્ષામાં કે શીતકાળમાં. ભાવથી - જેમ કોઈ એક વિધવા હોય. તે અતિ દુઃખથી ભુખે મરતી, કાંતણ કરતી, એક વસ્ત્રને વણીને કાલે પહેરીશ એમ વિચારે. એટલામાં જો તે વસ્ત્રપુષ્પમિત્ર તેની યાચના કરે તો હર્ષિત અને સંતુષ્ટ થઈને આપી દે. પરિણામથી - ગચ્છના બધાં સાધુને જોઈએ તેટલું.
બોલ્યા
જે દુર્બલિકાપુષ્પમિત્ર હતા, તેણે નવે પણ પૂર્વે ભણેલા. તે તેને રાત-દિવસ યાદ કરતા. એ પ્રમાણે સ્મરણ કરતાં-કરતાં તે દુબળા થઈ ગયા. જો તેઓ સ્મરણ ન કરે તો તેનું બધું વિસ્તૃત થઈ જતું. તેને વળી દશપુરમાં જ સ્વજનો હતા. તેઓ વળી, રક્તપટ ઉપાસકા હતા. આચાર્યની પાસે આવતા-આશ્રય કરતા. તેઓ કહેતાઅમારા ભિક્ષુ ધ્યાનરત છે. તમારે ધ્યાન નથી. આચાર્યએ કહ્યું – અમારે ધ્યાન છે. આ તમારો જે સ્વજન દુર્બલિકા પુષ્પમિત્ર છે, તે ધ્યાનને લીધે જ દુર્બળ છે. તેઓ બોલ્યા કે – આ ગૃહસ્થપણામાં સ્નિગ્ધ આહાર વડે બલિક હતો, અહીં તે મળતું નથી, માટે દુર્બળ છે. આચાર્યએ કહ્યું – આ ઘી વિના કદાચિત્ ભોજન કરતો નથી. તેઓ પૂછે છે કે તમારી પાસે ઘી ક્યાં છે ? આચાર્યએ કહ્યું ધૃતપુષ્પમિત્ર લાવે છે પરંતુ તે સ્વજનોને વિશ્વાસ બેઠો નહીં. ત્યારે આચાર્ય ભગવંતે પૂછ્યું કે
-
-
એ શું તમારી પાસેથી લાવે ? તેઓ
ઘીનો ગાડવો લઈ આવો. તેમને બોધ પમાડવા તેમના ઘેર મોકલ્યા. હવે
-