SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્યાત નિ - so આવશ્યક-મૂલસબ સટીક અનુવાદ/૨ વજ ! આ લઈ લે. ત્યારે બાળક તેને ફક્ત જોતો ઉભો રહે છે. તે જાણે છે કે જો સંઘની અવમાનના થાય તો દીધસંસાર વધે. નહીં તો આ પણ દીક્ષા લેશે. ગણચાર વખત બોલાવવા છતાં માતા પાસે ન ગયો. પિતાએ કહ્યું - જો ધર્મની જરૂર હોય તો હે ધીર/ કર્મ જને પ્રમાર્જનાર આ નાનું જોહરણ ગ્રહણ કર. ત્યારે જલ્દીથી તેણે લઈ લીધું. લોકોએ જૈનધર્મનો જયજયકાર કર્યો. ત્યારે માતાને થયું કે મારો ભાઈ, પતિ, પુત્ર બધાંએ દીક્ષા લીધી. મારે રહીને શું કરવું છે ? એ રીતે તેણીએ પણ દીક્ષા લીધી. • નિયુક્તિ-૩૬૫ - દેવે બાળક એવા વજને વષમાં ભોજન માટે નિમંચ્યો, છતાં તે વિનીત એવા વિનયથી તે ન સ્વીકાર્યું. તે વજસ્વામીને હું નમું છું. • વિવેચન-૭૬૫ - ગાથાર્થ કહ્યો. અવયવાર્ય કથાનક વડે જાણતો. તે આ પ્રમાણે – તે વજ પણ જયારે દુધ પણ પીતો ન હતો ત્યારે પ્રવજિત થયો. પ્રવજિતોની પાસે રહ્યો. તે શ્રમણી પાસે ૧૧-અંગનું શ્રુત ભણ્યો. તેને તેવી પદાનુસારી લબ્ધિ હતી. ત્યારે આઠ વર્ષનો થતાં સંયતીના ઉપાશ્રયથી બહાર લવાયો, આચાર્ય પાસે રહે છે. આચાર્ય ઉજૈની ગયા. ત્યાં વર્ષા અક્ષતધારે પડતી હતી. ત્યાં તેના પૂર્વસંગતિક જંભક દેવો, માર્ગમાં જતાં એવા તેની પરીક્ષા કરે છે. ત્યારે પરીક્ષા નિમિતે આવી, વણિક રૂપે સાધુને ગૌચરી માટે નિમંત્રે છે. પરંતુ વજસ્વામી સામાન્ય બિંદુરૂપ વર્ષ ચાલુ હતી ત્યાં સુધી ન ગયા. દેવ ફરી બોલાવે છે. ત્યારે વજ ઉપયોગ મૂકે છે - દ્રવ્યથી પુષ ફળાદિ, ફોનથી ઉજૈની, કાળથી પ્રથમ વર્ષા, ભાવથી જમીનને સ્પર્શતા નથી, આંખનું મટકું મારતા નથી અને હર્ષિત સંતુષ્ટ જણાય છે. નક્કી આ દેવ છે. તેથી હાર ગ્રહણ કરતા નથી. ત્યારે દેવો વજ સ્વામી ઉપર ખુશ થઈ બોલ્યા - તમને જોવા આવેલા, પછી વૈક્રિય વિધા આપે છે. • નિયુક્તિ- ૬૬ - ઉજૈનીમાં જે જંભક દેવે આવીને, પરીક્ષા કરીને સ્તુતિ મહિમા કર્યો. એવા અક્ષીણ મહાનસિક લબ્ધિવાળા અને સીહગિરિ દ્વારા પ્રશસિત તિ વજવામીને હું વંદના કરું છું. • વિવેચન-૩૬૬ :ગાથાર્થ કહ્યો. તેનો અવયવાર્થ કથાનક વડે જાણવો. તે આ - ફરી પણ અન્ય કોઈ દિવસે જેઠ માસમાં સંજ્ઞાભૂમિ જતાં તેમને વિજસ્વામીને ઘેબર વડે દેવ નિમંત્રણા કરે છે. ત્યારે પણ દ્રવ્યાદિ ઉપયોગ મૂકે છે, જાણીને ઘેબર લેતા નથી. ત્યારે દેવો નભોગામિની વિધા તેને આપીને જાય છે. એ પ્રમાણે વજસ્વામી વિયરે છે. જે રીતે તેમણે પદાનુસારી લબ્ધિથી ૧૧-અંગકૃત ગ્રહણ કર્યું, તેનાથી તે સંયમમાં અતિસ્થિર થયા. ત્યારે જે પૂર્વગત ભણ્યા, તે પણ તેણે બધું ગ્રહણ કર્યું. એ પ્રમાણે તેઓ ઘણું ભણ્યા. ત્યારે તેને ભણવાનું કહ્યું, ત્યારે તે ભણેલ છતાં ત્યાં બોલતા રહે છે. બાકીના સાંભળતા હતા. કોઈ દિવસે આચાર્ય ભગવંત મધ્યાહે સાધુઓ ભિક્ષાર્થે ગયેલા, ત્યારે સંજ્ઞાભૂમિ જવા નીકળ્યા. વજસ્વામી ઉપાશ્રય સાચવવા રહ્યા, તેણે સાધુના વીંટીયાને માંડલીની જેમ ગોઠવ્યા. મધ્યમાં પોતે બેઠા અને વાંચના આપવા લાગ્યા. ત્યારે ક્રમથી ૧૧-અંગોની અને પૂર્વની વાચના આપી. તેટલામાં આચાર્ય આવીને વિચાર કરે છે - નાના સાધુઓ આવી ગયા. શબ્દો સાંભળ્યા છે ઓઘ મેઘ સદેશ હતા. બહાર સાંભળતા બેસી રહ્યા. તેને ખબર પડી કે આ તો વજ બોલે છે. પછી તૈયધિક શબ્દ કરે છે. તે વખતે આચાર્યને શંકા ન પડે તે માટે વજએ જલ્દીથી વીંટીયા ત્વરિત સ્વસ્થાને રાખી દીધા. બહાર નીકળીને દંડ પુચ્છણક ગ્રહણ કર્યો. આવીને આચાર્યના બંને પગો પ્રમાર્જે છે. ત્યારે આચાર્ય વિચારે છે. આનો કોઈ સાધુ પરાભવ ન કરે, તેથી હું તેમને જાણ કરીશ. રાત્રિના પૂછે છે કે હું અમુક ગામે જઉં છું. ત્યાં બે ત્રણ દિવસ રહેવાનું થશે. ત્યારે યોગમાં રહેલાએ પૂછે છે કે- અમારા વાચનાચાર્ય કોણ ? આચાર્ય કહે છે - વજ. સાધુઓ વિનીત હોવાથી, તેમણે સ્વીકારી લીધું. આચાર્ય ગયા. સાધુઓ પણ પ્રભાતે વસતિની પ્રતિલેખના કરી, કાલનિવેદન આદિ વજ પાસે કરે છે, તેને માટે નિષઘા (આસન) ગોઠવે છે. વજ ત્યાં બેસે છે. તેઓ પણ જેમ આચાર્યનો કરતા હતો તેમજ વિનય કરે છે. ત્યારે વજ તેઓને વ્યક્ત-સ્પષ્ટ શબ્દોથી બધાંને અનુક્રમથી આલાવા આપે છે. જેઓ મંદ મેધાવાળા હતાં, તેઓ પણ શીઘતાથી પ્રસ્થાપિત થવા લાગ્યા. ત્યારે તે બધાં વિસ્મય પામ્યા. જેઓએ પૂર્વે આલાવા ભણેલા, તેઓ પણ વિન્યાસને માટે પૂછવા લાગ્યા. વજ પણ બધું જ કહે છે. તે સાધુઓ પણ બધાં સંતુષ્ટ થઈને કહે છે - જો આચાર્ય થોડાં દિવસ રોકાઈ જાય તો સારું. આ શ્રુતસ્કંધ જલ્દી કરાવે છે, આચાર્ય પાસે ઘણા દિવસે ગ્રહણ કરાય છે. જ્યારે આ એક જ પરિસિમાં કરાવી દે છે. એ પ્રમાણે તે વજ બધાં સાધનો બહુમાન્ય થઈ ગયો. આચાર્ય પણ જાણીને પાછા આવ્યા. - આચાર્ય પૂછે છે – સ્વાધ્યાય યાદ રહ્યો ? તે બોલ્યા - રહ્યો. હવે આ વજ જ અમારા વાચનાચાર્ય થાઓ. આચાર્યએ કહ્યું - તે જ થશે. તમે તેનો પરાભવ ન કરો, તે જાણવાના નિમિતે જ હું ગયેલો. પણ આને તે વાચના દેવાનું કાતું નથી. કેમકે તેણે શ્રુત કાન વડે ચોરીને લીધું છે. તેથી તેનો ઉસાકલ્પ કરવો જોઈએ [આગમની અનુજ્ઞા આપવી તે. તેને જલ્દી-જલ્દી અનુજ્ઞા અપાય છે. બીજી પોરિસિમાં અર્થો કહેવાય છે. એ પ્રમાણે ઉભયકાને યોગ્ય કરીને, જે અર્થો આચાર્યને પણ શંકિત હતા, તે પણ વજએ ઉદ્ઘાટિત કર્યા. દૃષ્ટિવાદમાં જ્યાં સુધી જાણતા હતા, તે ગ્રહણ કર્યું. તેઓ વિચરતા દશપુર નગરે ગયા. ઉનીમાં ભદ્રગુપ્ત નામે આચાર્ય હતા. તેઓ સ્થવિર કપસ્થિત હતા. તેમને દૃષ્ટિવાદ ઉપસ્થિત હતું વજસ્વામીને સંઘાટક
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy