SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ મહાનિશીથદસૂત્ર-અનુવાદ શસ્ત્રોના અર્થો ક્યન કરવા-ક્કાવવા, તે અપ્રશસ્ત જ્ઞાન કુશીલ, આ પ્રમાણે પાપ થતોની વાચના-વિચારણા-પરાવર્તન, તેનું શોધ-સંશોધન, તેનું શ્રવણ એ અપ્રશસ્ત જ્ઞાન કુશીલ, ૪િ૮૯] તેમાં સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ પણ બે પ્રકારે છે – આગમથી, નોઆગમશી. આગમથી સુપ્રશસ્ત જ્ઞાન એવા પાંચ જ્ઞાનની કે તે જ્ઞાનીની આશાતના જનાર તે સુપ્રશસ્તજ્ઞાન કુશીલ. [૪૦] નોઆગમથી સુપ્રશસ્ત જ્ઞાનકુશીલ આઠ ભેદ જાણવા તે આ પ્રકારેઅકાલે સુપ્રશસ્ત જ્ઞાન ભણે-ભણાવે. અવિનયથી સુપ્રશરસ્તજ્ઞાન ગ્રહણ કરે-ક્રાવે. તેને અબહુમાનથી ભણે, ઉપધાન ક્યાં વિના ભણે, જેની પાસે બાર્થ ભાણ્યા હોય તેને છૂપાવે. તે સ્વર-વ્યંજન સહિત કે હીનાધિક અક્ષર ભણે-ભણાવે. સૂત્ર-અર્થતદુભાય વિપરીત પણે ભણે-ભણાવે. સંદેQાળા સૂત્રાદિ ભણે-ભણાવે તે આઠ ભેદ. ઢિ૯૧] આ આઠે પ્રકારના પદોને જે કોઈ ઉપધાન વહન કર્યા વિના સુપ્રશસ્ત જ્ઞાન ભણે કે ભણાવે કે ભણતા-ભણાવતાને સારા માની અનમોદે. તે મહાપાપી સુપ્રશસ્ત જ્ઞાનાની મહા આશાતના નારો થાય છે. જિઈ ભગવન્! જો એમ છે તો શું પંચમંગલના ઉપધાન કરવા જોઈએ ? ગૌતમ! પહેલું જ્ઞાન-પછી દયા એટલે સંયમ અર્થાત્ જ્ઞાનથી ચાસ્ત્રિ-દયા પાલન થાય છે. દયાથી સર્વ જગતના તમામ જીવો, પ્રાણો, ભૂતો, સત્વોને પોતાના સમાન દેખનારો થાય છે. તેથી બીજી જીવોને સંઘટ્ટન વા, પરિતાપના-ક્લિામણાઉપદ્રવાદિ દુઃખ ઉત્પાદન કરવા, ભય પમાડવા, ત્રાસ આપવા ઇત્યાદિથી દૂર રહેનાર થાય છે. એમ કરવાથી કર્મનો આશ્રવ થતો નથી. તેનાથી ર્મ આવવાના કારણભૂત આશ્રવ દ્વારો બંધ થાય છે તેથી ઇંદ્રિય દમન ઉપશમ થાય. તેનાથી શત્રુ-મિત્રમાં સમાનભાવ સહિતપણું થાય છે. શમિત્ર પ્રત્યે સમાનભાવથી સગ હે, સહિત પણે, તેનાથી ક્ષમા, નમ્રતા, સરળતા, નિલભતા થવાથી કષાય રહિતપણું પ્રાપ્ત થાય. તેનાથી સમ્યક્ત ઉત્પન્ન થાય, તેનાથી અજ્ઞાન, મોહ, મિથ્યાત્વનો ક્ષય થાય છે. તેથી વિવેક આવે. વિવેક્સી હેય ઉપાદેય પદાર્થોની યથાર્થ વિચારણા તેમજ એકાંત મોક્ષ માટે દૃઢ નિશ્ચય થાય છે. તેથી અહિતનો પરિત્યાગ અને હિતનું આચરણ થાય તેવા કાર્યમાં અતિશય ઉધમ નારો થાય. પછી ઉત્તરોત્તર પરમાર્થ સ્વરૂપ પવિત્ર ઉત્તમ-ક્ષમાદિ દશ પ્રક્વરનો અહિંસા લક્ષણ ધર્માનુષ્ઠાન ક્રવા અને કાવવામાં એકાગ્ર અને આસક્ત ચિત્તવાળો થાય છે. પછી અહિંસા લક્ષણાદિ ધર્મનું અનુષ્ઠાનોનું સેવન ક્રવાકરાવવાનું. તેમાં એકગ્રતા અને આસક્ત યિત આત્માને સર્વોત્તમ એવી ક્ષમામૃદુતા-સરળતા તથા બાહ્ય ધન, સુવણિિદ પરિગ્રહ અને કામ ક્રોધાદિ અનંતર પરિહ સ્વરૂપ સર્વ સંગનો પરિત્યાગ થાય. સર્વોતમ એવા અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ષ્ટવાળા તપ અને ચરણના અનુષ્ઠાનોમાં આત્મ રમણતા અને પસ્માનંદ પ્રગટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy