________________
૧૪૦
મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ
રહેલા ભવ્ય જીવોના શરીર પણ વ્યાધિ અને વેદનાથી વ્યાસ હશે તે સર્વે સમુદાયોના રોગો ભગવંતના દર્શનથી વિનાશ પામશે. ત્યારે તે કુજિકા ઘોરતપ કરી દુઃખનો અંત પામશે.
[૧૨૪૨] ગૌતમ ! આ તે લક્ષ્મણા આર્યા કે જે અગીતાર્થતા વડે અલ્પ ક્લેપતા યુક્ત ચિત્તથી દુઃખની પરંપરા પામી.
[૧૨૪૩, ૧૨૪૪] ગૌતમ ! જેમ લક્ષ્મણા આર્ય દુઃખ પરંપરા પામી તેમ ક્લુષિત ચિત્તવાળા અનંત અગીતાર્થો દુઃખ પરંપરા પામ્યા માટે આ સમજીને સર્વભાવથી સર્વથા ગીતાર્થ થવું કે ગીતાર્થની આજ્ઞામાં રહેવું તેમજ અત્યંત શુદ્ધ સુનિર્મળ વિમળ શલ્યરહિત નિશ્ર્લેષ મનવાળા થવું. એમ હું છું.
[૧૨૪૫ થી ૧૨૫૦] જેમના ચરણમળમાં પ્રણામ કરતા દેવો અને અનુસરતા મસ્તક્ના સંઘટ્ટ થયા છે એવા હે જગદ્ગુરુ ! જગનાથ, ધર્મતીર્થ, ભૂત-ભાવીને જાણનાર, જેમણે તપસ્યાથી સમગ્ર ર્માંશોને બાળી નાખેલા છે એવા, કામદેવશત્રુવિદારક, ચારે ક્યાયોના સમૂહનો અંત નાર, ગાઢ અંધકાર નાશક, લોકાલોકને કેવળજ્ઞાનથી પ્રકાશિત ર્તા, મોહશત્રુને મહાત નાર, રાગ-દ્વેષમોહરૂપ ચોરોને દૂરથી ત્યાગ કરનાર, ૧૦૦ ચંદ્રો કરતાં પણ અધિક સૌમ્ય, સુખ, અતુલબલ પરાક્રમ અને પ્રભાવવાળા, ત્રિભુવનમાં અજોડ, મહાયશવાળાં, નિરૂપમ રૂપવાળા, અતુલ્ય, શાશ્વત સ્વરૂપ મોક્ષના દાતા, સર્વ લક્ષણોથી સંપૂર્ણ, ત્રિભુવન લક્ષ્મીથી વિભૂષિત હે ભગવન્ ! પરિપાટીથી જે કંઈ સર્વે કરવામાં આવે તો કાર્યની પ્રાપ્તિ થાય, પણ અસ્માત અનવસરે ઘેટાનાં દૂધની જેમ વગર ક્રમે કાર્યની પ્રાપ્તિ કેવી રીતે થાય ?
[૧૨૫૧ થી ૧૨૫૩] પહેલાં જન્મમાં સમ્યગ્દર્શન, બીજાં જન્મમાં અણુવ્રતો, ત્રીજા જન્મમમાં સામાયિક ચારિત્ર, ચોથા જન્મમાં પૌષધ, પાંચમામાં દુર્ધર બ્રહ્મચર્યવ્રત, છઠ્ઠામાં સચિત્તનો ત્યાગ, એ રીતે સાતમા, આઠમા, નવમાં, દશમાં જન્મમાં પોતાના માટે તૈયાર રેલ-દાન આપવા માટે સંક્લ્પ કરાયેલા આહારાદિનો ત્યાગ, અગીયારમાં જન્મમાં શ્રમણ સમાન ગુણોવાળો થાય. આ ક્રમ પ્રમાણે સંયત માટે કેમ કહેતાં નથી ?
[૧૯૫૪ થી ૧૫૫૬] આવી કઠણ વાતો સાંભળી અલ્પબુદ્ધિક બાળજન ઉદ્વેગ પામે, કેટલાંકની શ્રદ્ધા ફરી જાય, જેમ સીંહના શબ્દથી હાથીનું હામ ભાંગી જાય તેમ બાલજન ષ્ટકારી ધર્મ સાંભળી દશે દિશામાં નાસી જાય, એવું આ સંયમ દુષ્ટ ઇચ્છાવાળો અને ખરાબ આદતવાળા સુમાલ શરીરી સાંભળવા પણ ન ઇચ્છે, તો તે પ્રમાણે વર્તવા તે કેમ તૈયાર થાય ? ગૌતમ ! તીર્થ સિવાય આ જગતમાં બીજા કોઈ આવું દુષ્કરવર્તન કરનાર હોય તો ક્હો.
[૧૨૫૭ થી ૧૨૬૦] જેઓ ગર્ભમાં હતા ત્યારે પણ દેવેન્દ્રએ અમૃતમય અંગૂઠો ર્યો હતો. ભક્તિથી ઈંદ્ર મહારાજા આહાર પણ આપતા હતા. નિરંતર સ્તુતિ કરતાં હતાં. દેવલોક્થી જ્યારે તેઓ વ્યવ્યા અને જેમના ઘેર અવતર્યા તેમના ઘેર તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org