________________
૪/૧૪
૧
• તે આચારવિનય શું છે ? તે આચારવિનય ચાર પ્રકારનો કહેવાયેલ છે, આ
પ્રમાણે છે—
(૧) સંયમના ભેદ પ્રભેદોનો જ્ઞાન કરાવી, આચરણ કરાવવું.
(૨) ગ્લાન અને વૃદ્ધને સાયવવા વ્યવસ્થા કરવી.
(૩) તપની સામાચારી શીખવવી
(૪) એકાકી વિહારની સામાયારી શીખવવી,
• ભગવન્ ! તે શ્રુત વિનય શું છે
શ્રુત વિનય ચાર પ્રકારે કહેવાયેલ છે, તે આ રીતે– (૧) મૂત્ર સૂત્રોને ભણાવવા.
(૨) સૂત્રોના અર્થોને ભણાવવા.
(૩) શિષ્યને હિતનો ઉપદેશ આપવો.
(૪) સૂત્રાર્થનું યથાવિધિ સમગ્ર અધ્યાપન કરાવવું.
• ભગવન્ ! વિક્ષેપણા વિનય શું છે ? વિક્ષેપણા વિનય ચાર પ્રકારે હેવાયેલ છે. તે આ પ્રમાણે
(૧) જેણે સંયમધર્મને પૂર્ણ રૂપે સમજેલ નથી, તેને સમજાવવો. (૨) સંયમધર્મના જ્ઞાતાને જ્ઞાનાદિ ગુણોથી પોતા જેવો બનાવવો, (૩) ધર્મથી ચ્યુત થનાર શિષ્યને ફરી ધર્મમાં સ્થિર કરવો,
(૪) સંયમ ધર્મમાં સ્થિત શિષ્યના હિતને માટે, સુખને માટે, સામર્થ્યને માટે, મોક્ષને માટે અને ભવાંતરમાં પણ ધર્મની પ્રાપ્તિ થાય, તે માટે પ્રવૃત્ત રહેવું.
• ભગવન ! તે દોષ નિતિના વિનય શું છે ? દોષ નિર્ધાતના વિનય ચાર પ્રારે કહેલ છે. તે આ પ્રમાણે
(૧) શુદ્ધ વ્યક્તિના ક્રોધને દૂર રવો.
(૨) દુષ્ટ વ્યક્તિના દ્વેષને દૂર કરવો.
(૩) આકાંક્ષાવાળા વ્યક્તિની આકાંક્ષા નિવારવી
(૪) પોતાના આત્માને સંયમમાં જોડી રાખવો.
[૧] આવા ગુણવાન આચાર્યના અંતેવાસી-શિષ્યની આ ચાર પ્રકારની વિનય
પ્રતિપતિ છે, જેમ કે
(૧) સંયમના ઉપયોગી વસ્ત્ર, પાત્રાદિ પ્રાપ્ત કરવા
(૨) અશક્ત સાધુઓની સહાયતા કરવી.
(૩) ગણ અને ગણીના ગુણો પ્રગટ કરવા. (૪) ગણના ભારનો નિર્વાહ કરવો.
• ઉપકરણ ઉત્પાદક્તા શું છે ? તે ચાર પ્રકારે છે–
(૧) નવા ઉપકરણો મેળવવા, (૨) પ્રાપ્ત ઉપણનું સંરક્ષણ અને સંગોપન કરવું, (૩) અલ્પ ઉપધિવાળા મુનિને તેની પૂર્તિ કરવી, (૪) શિષ્યોને માટે યથાયોગ્ય ઉપકરણોનો વિભાગ કરી દેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org