SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ગાથા-૨૪ થી ૨૬ ૧૬૧ ફળ પામીને લોકમાં પ્રમુદિત યિતવાળા થાય છે અથવા અતુલ રાજયાભિષેક સંસ્કારક લક્ષણ વિપુલ ફલ લોકને વિશેષથી હરે છે. મારા હૃદયને આહાદ કરે છે ઈત્યાદિ સૂત્રાર્થવતું. • ગાથા-૨૩ - દેવલોકમાં ઘણાં પ્રકારે દેવતાના સુખને ભોગવતા દેવો, સંથારાને ચિંતવતા આસન, શયન તજે છે. • વિવેચન-૨૬ : સંથારા આરાધના કરતો સાધુ પૂર્વાનુભૂત આરાધના કે સંસારના ગુણોને ચિંતવે છે ઈત્યાદિ. • ગાથા-૨૮,૨૯ : ચંદ્ર સમાન પ્રેક્ષણીય, સૂર્યવત તેજથી દીપ્ત છે, ધનવાન, ગુણવાન, મહાહિમવંતની જેમ વિખ્યાત, ગુપ્તિ-સમિતિ યુક્ત સંયમ-તપ-નિયમ-યોગમાં ઉપયોગશીલ એવો શ્રમણ દશનિ જ્ઞાનમાં અનન્ય મન, સમાધિત મનવાળો છે. • વિવેચન-૨૮,૨૯ : સંથારાની આરાધના કરતો સાધુ ચંદ્રવત્ પ્રેક્ષણીય હોય છે. સૂર્ય-ચંદ્રવતું તપના તેજથી દીતિમાનું, પુન્યરૂપી ધનવાન, હિમવંત શૈર્યવાળો છે, • x • તેને સંથારો પ્રમાણ છે. • ગાથા-3૦ : પર્વતોમાં જેમ મે, સમુદ્રમાં જેમ રવયંભૂરમણ, તારામાં જેમ ચંદ્ર છે તેમ સુવિહિતોને સંથારા આરાધના છે. • વિવેચન-૩૦ : સંથારો સ્વીકારેલ સાધુને વિશેષથી વર્ણવે છે. જેમ પર્વતો મો મેરુ૦ આદિ તેમ શોભનાનુષ્ઠાનમાં સંથારો છે. • ગાથા-૩૧ થી ૩૪ - કેવા સાધુપુરુષ માટે આ સંથારાની આરાધના કઈ રીતે વિહિત છે ? કેવા આલંબનથી આ આરાધના કરવી ? તે હવે હું જાણવાને ઈચ્છું છું... જેના યોગો સીદાતા હોય, જરા અને વિવિધ આતંકો જેને હોય, તે સંથારા આરૂઢ થાય, તેનો સંથારો સુવિશુદ્ધ છે...જે ગૌરવથી ઉન્મત્ત બની, ગુરુ પાસે આલોચના લેવા ઈચ્છતો નથી, તે સંથારા આરૂઢ થાય તો તેને સંથારો અવિશુદ્ધ છે. પણ જે પપ્રભૂત થઈ, ગુડ સમીપે આલોચના કરે છે, તે સંથાર આરૂઢ થાય તો તેનો સંથારો સુવિશુદ્ધ છે. • વિવેચન-૩૧ થી ૩૪ : સંથારાની આરાધના કેવી કહી છે? કેવા અવકાસમાં સ્થાન, કાળથી કેવી રીતે રહે અને ન રહે? વિશેષથી જીવ પર્યન્ત આરાધનામાં સ્થિર થાય, તે જાણવા ઈચ્છું છું. [28/11 સંતારકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પગભૂત-યોગ્ય આલોચનામાં. • સૂર-૩૫ થી ૩૯ : વળી જેનું દર્શન મલિન છે, શિથિલ ચાસ્ટિાથી શામય ાલન કરે છે. તે સાધુની સંથારા આરાધના અવિશદ્ધ છે. વળી જે દશનશદ્ધ છે, નિરતિચાર ચાથિી ગ્રામeષ પાલન કરે છે... જે રાગદ્વેષ રહિત, ત્રણ ગુપ્તિ ગુપ્ત, ત્રણ શલ્ય અને મદથી રહિત છે... ત્રણ ગારવથી રહિત, ત્રણ દંડનો પ્રતિમોચક, પ્રથિત કીર્તિ છે... ચતુર્વિધ કષાયને હણનાર, ચાર વિકથાથી નિત્ય વિરહિત છે. તેની સંથારાની આરાધના વિશુદ્ધ છે. • વિવેચન-૩૬ :- બાકીનની વૃત્તિ નથી.] જે વળી આપ્ત ચાસ્ત્રિ છે અથવા જે નિરતિચારપણે ચાસ્ત્રિ જેને છે તેવો આત્મ ચરિત્ર અર્થાત્ ઢ ચાસ્ત્રિ. ગાથા-૪૦ થી ૪૩ - પાંચ મહાવત યુકત, પાંચ સમિતિમાં સારી રીતે ઉપયુક્ત... છકાય જીવહિંસાથી પ્રતિવિરત, સાત ભયસ્તાન રહિત મતિવાળો... Iઠ મદસ્થાનને તજનાર, આઠ કર્મોના ક્ષય માટે... નવ બ્રહ્મચર્ય ગુતિમાં ઉધત, દશવિધ શ્રમણધર્મ નિવહકની સંથારા આરાધના સુવિશુદ્ધ છે. • વિવેચન-૪૦ થી ૪૩ : Eય - છ કાયોથી પ્રતિવિરત. ગઢ - તજેલ, આઠ પ્રકારના કર્મક્ષયનો હેતુ. ઉત્તમાર્ચે યુક્ત • ઉધત. • ગાથા-૪૪,૪પ : ઉત્તમામાં યુકત, કષાયના લાભને મર્દિત કરનાર, વિકારથી રહિત એવા સંથારાગત શ્રમણને કેવો લાભ થાય ? તે કહો... ઉક્ત પ્રકારના ક્ષક્ષકને સંથારા અારાધનાથી કેવું સુખ થાય ? • વિવેચન-૪૪,૪૫ :મલિઅ કપાય - કષાયના લાભનું મર્દન કરવું - કર્મક્ષપણાદિ. • ગાથા-૪૬ થી ૪૮ : સંથાગત ક્ષપકને પહેલા દિવસે જે અમુલ્ય લાભ થાય, તેનું મૂલ્ય આંકવાને કોણ સમર્થ છે ?.. કેમકે તે અવસરે તે મહામુનિ સંધ્યેય ભવસ્થિતિક સર્વે કર્મોન પ્રત્યેક સમયે ખાવે છે. તેથી તે ક્ષક સાધુ વિશિષ્ટ શ્રમણગુણને પામે છે... ત્યારે વ્રણ સંથારે આરૂઢ થવા છતાં સણ-મદ-મોહથી મુક્ત હોવાથી તે મુનિવર અનુપમ મુનિ સુખને પામે છે, તે ચક્રવતીને પણ ક્યાંથી પ્રાપ્ત થાય? • વિવેચન-૪૬ થી ૪૮ : તે પહેલાં એક દિવસમાં અર્જિત લાભ સ્થાનનું મૂલ્ય કરવા કોણ સમર્થ છે ? સંખ્યાત ભવસ્થિતિ અસંખ્યાત આયુષ કહીને વિશેષથી કહે છે. તે અવસ્થામાં
SR No.009062
Book TitleAgam 29 Sanstaraka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 29, & agam_sanstarak
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy