SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૫ થી ૮ પછી તે દેવે સોમિલ બ્રાહ્મણને એમ કહ્યું – ઓ સોમિલ બ્રાહ્મણ ! તારી પ્રવજ્યા દુવ્રજ્યા છે. ત્યારે તે સૌમિલે તે દેવના બે-ત્રણ વખત કહેલ આ વાતનો આદર ન કર્યો, જાણી નહીં યાવત્ મૌન રહ્યો. ત્યારે તે દેવ સૌમિલ દ્વારા અનાદર પામતા જે દિશામાંથી આવેલ તે જ દિશામાં પાછો ગયો. ૪૫ પછી તે સોમિલ બીજે દિવસે યાવત્ સૂર્ય જવલંત થતાં વલ્કલના વસ્ત્ર પહેરી કાવડ લઈ, અગ્નિહોત્રના ભાંડોપકરણ લઈ કાષ્ઠ મુદ્રા વડે મુખ બાંધી ઉત્તરાભિમુખ ચાલ્યો. પછી તે સોમિલ બીજે દિવસે મધ્યાહ્ન કાળે જ્યાં સપ્તપર્ણવૃક્ષ નીચે કાવડ સ્થાપી, વેદિકા રચી, શ્રેષ્ઠ અશોકવૃક્ષો યાવત્ અગ્નિ હોમ કર્યો. કાખમુદ્રાથી મુખ બાંધ્યુ, મૌન રહ્યો. ત્યારે તે સોમિલની પાસે મધ્યરાત્રિ કાળ સમયમાં એક દેવ પ્રગટ થયો. તે દેવે આકાશમાં રહી શ્રેષ્ઠ અશોકવૃક્ષત્ થાવત્ પાછો ગયો. પછી તે સોમિલ કાલે યાવત્ સૂર્ય પ્રકાશતા વલ્કલના વસ્ત્રો પહેર્યા, કાવડ લીધી, કાષ્ઠ મુદ્રાથી મુખ બાંધ્યુ. ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ ચાલ્યો. પછી સોમિલ ત્રીજા દિવસે મધ્યાહ્ન કાળે શ્રેષ્ઠ અશોકવૃક્ષ પાસે આવ્યો. ત્યાં નીચે કાવડ રાખી, વેદિકા સ્ત્રી યાવત્ ગંગાનદીથી બહાર આવ્યો. માવત્ પૂર્વવત્ મૌન રહ્યો. મધ્યરાત્રિએ સોમિલ પાસે એક દેવ પ્રગટ થયો. પૂર્વવત્ બોલીને પાછો ગયો. પછી સોમિલે યાવત્ સૂર્ય પ્રકાશિત થતાં વલ્કલ વસ્ત્ર પહેર્યા - x - ઉત્તરમાં ચાલ્યો. ચોથે દિવસે મધ્યાહે વડના વૃક્ષ નીચે કાવડ રાખી - ૪ - મૌન રહ્યો. ત્યારે મધ્યરાત્રિએ સોમિલ પાસે એક દેવ પ્રગટ થયો, તે પ્રમાણે બોલીને પાછો ગયો. - ૪ - પૂર્વવત્ યાવત્ પાંચમે દિવસે મધ્યાહ્ન કાળે ઉંબર વૃક્ષ નીચે કાવડ રાખી આદિ પૂર્વવત્ - ૪ - મધ્યરાત્રિએ એક દેવ તેની પાસે આવ્યો. ઓ સોમિલ ! તારી પદ્મજ્યા દુપતયા છે, એક વખત બોલ્યો, સૌમિલ પૂર્વવત્ મૌન રહ્યો. દેવે બીજી-ત્રીજી વખત પણ તેમ કહ્યું. ત્યારે સોમિલે તે દેવને - ૪ - એમ કહેતા સાંભળી તે દેવને પૂછ્યું - કઈ રીતે મારી દુવા છે ? ત્યારે દેવે સોમિલ બ્રાહ્મણને કહ્યું – નિચ્ચે તે પાર્શ્વ અરહંત પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત એમ બાર ભેદે શ્રાવક-ધર્મ સ્વીકાર્યો છે પછી પૂર્વવત્ - ૪ - કાવડ લઈ યાવત્ મૌન રહ્યો. પછી તે મધ્યરાત્રિએ તારી સન્મુખ પ્રગટ થઈ મેં કહ્યું – સોમિલ ! તારી ધ્વજ્યા દુવજ્યા છે. - ૪ - ચાવત્ પાંચમે દિવસે પણ - x - કહ્યું કે તારી દુવ્રજ્યા છે. ત્યારે સોમિલે તે દેવને પૂછ્યું – મારી પ્રવ્રજ્યા કઈ રીતે સુવ્રજ્યા થાય? ત્યારે તે દેવે સોમિલને કહ્યું . - હે દેવાનુપ્રિય ! જો તું આ પૂર્વે સ્વીકારેલ પાંચ અણુવ્રતો સ્વયં જ સ્વીકારીને વિચરે, તો તારી આ સુવજ્યા થશે. ત્યારે તે દેવે સોમિલને વાંદે છે, નમે છે, પછી જે દિશામાંથી આવ્યો ત્યાં પાછો ગયો. પછી સૌમિલ બ્રાહ્મણ ઋષિ તે દેવે એમ કહેતા પૂર્વે સ્વીકારેલ પાંચ અણુવ્રત સ્વયં જ સ્વીકારીને વિચરે છે. પછી ૪૬ પુષ્પિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સોમિલ ઘણાં ઉપવાસ, છ, અક્રમ યાવત્ માસક્ષમણાદિ વિવિધ તપ-ઉપધાન વડે પોતાને ભાવિત કરતો ઘણાં વર્ષો શ્રાવક પર્યાય પાળીને અર્ધમાસિકી સંલેખનાથી આત્માને ઝૌસિત કરી ૩૦ ભકતથી અનશનથી છેદીને તે સ્થાનના આલોચના પ્રતિક્રમણ ન કરીને વિરાધિત સમ્યકત્વી કાળ કરીને શુક્રવŕસક વિમાનમાં ઉપપાતસભામાં દેવ શયનીયમાં ચાવત્ તે અવગાહનાથી શુક્રમહાગ્રહપણે ઉત્પન્ન થયો. પછી તે નવો ઉત્પન્ન શુક્ર મહાગ્રહ યવત્ ભાષામનપાપ્તિ, એ રીતે હે ગૌતમ! શુક્ર મહાગ્રહે તે દિવ્ય યાવત્ અભિસમન્વાગત કરી. એક પલ્યોપમ સ્થિતિ. તે શુક્ર દેવલોકથી આયુક્ષય થતાં કયાં જશે ? તે મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે - નિશ્ચેષ કહેવો. • વિવેચન-૫ થી ૭ : ઉત્શેપ અર્થાત્ પ્રારંભ વાક્ય. - x - પુષ્પિકાના ત્રીજા અધ્યયનનો ભગવંતે શો અર્થ કહ્યો છે ? જંબૂ ! તે કાળે રાજગૃહનગર ઈત્યાદિ. - ૪ - વે૬૦ - ઋગ્વેદ, યજુર્વેદ, શામવેદ, અથર્વણવેદ, ઈતિહાસ, નિઘંટુને સાંગોપાંગ, રહસ્ય સહિત, તેના ધારક-વારક-પારગ, છ અંગવિદ્, પષ્ટિ તંત્ર વિશારદ, ગણિત સ્કંધ, શિક્ષાકલ્પ, વ્યાકરણ છંદ, જ્યોતિપ્ શાસ્ત્ર અને બીજા બ્રાહ્મણ શાસ્ત્રમાં સુપરિનિષ્ઠિત સોમિલ બ્રાહ્મણ, પાર્શ્વજિનનું આગમન સાંભળી કુતૂહલથી જિન સમીપે ગયો, આ અર્થને, હેતુને, પ્રશ્નો, કારણો, વ્યાકરણાદિ પૂછીશ, એમ વિચારી નીકળ્યો. સંધિવિત્તુળ - છાત્ર રહિત. ભગવંત પાસે જઈને કહ્યું – ભંતે! આ૫ને યાત્રા છે? યાપનીય છે? એ પ્રમાણે સરસવ, માસ, કુલત્થા ઈત્યાદિના પ્રશ્નો કર્યા. વિય - સરસવ કે સદંશવય, માસ - ધાન્ય વિશેષ કે સુવર્ણાદિનું માન, અડદ. બુના - કળથી, કુળમાં રહેલ. ઈત્યાદિ પ્રશ્ન - ૪ - ૪ - એક છો? બે છો? વગેરે પ્રશ્ન. ભગવંતે ઉત્તર આપ્યા. જેમકે દ્રવ્યાર્થથી જીવ એક છે, પ્રદેશાર્થથી અનેક છે. - ૪ - જ્ઞાન, દર્શનથી કદાચ બેપણું છે. ઈત્યાદિ - ૪ - ૪ - તે અક્ષય, અવ્યય, નિત્ય, અવસ્થિત છે આદિ - ૪ - એ રીતે સંશય છેદાતા બાર ભેદે શ્રાવકધર્મ સ્વીકાર્યો, સોમિલ બ્રાહ્મણ સ્વસ્યાને ગયો. અમાદુબળ - કુદર્શની, તાપસાદિ તેના દર્શનથી અને સુસાધુના અદર્શનથી, કેમકે તેમના દેશાંતર વિચરણથી દર્શન ન થયા. તેમના અભાવે પપાસનાનો પણ અભાવ થયો. તેથી મિથ્યાત્વના પુદ્ગલો વધતાં ગયા અને સમ્યકત્વ પુદ્ગલો ઘટતાં ગયા. તેથી મિથ્યાત્વી થયો. - ૪ - તેથી આત્મવિષયક, સ્મરણરૂપ, કંઈક આશંસિત મનમાં જ વર્તતો પણ બહાર ન પ્રકાશિત સંકલ્પ ઉત્પન્ન થયો. વ્રત - નિયમો, તે શૌચ સંતોષ તપ સ્વાધ્યાયાદિનું પ્રણિધાન. - ૪ - મિત્રસુહૃદ, જ્ઞાતિ-સમાનજાતિ, નિજક-કાકા વગેરે, સંબંધી-શ્વશ્રાદિ, પરિજન-દાસદાસી આદિ, - ૪ - વાનપ્રસ્થ-વનમાં હોવું તે અવસ્થા, અથવા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, યતિ. એ ચારે લોક પ્રસિદ્ધ આશ્રમો છે, તેમાં ત્રીજો આશ્રમ. ત્તિ - અગ્નિ હોતૃક,
SR No.009054
Book TitleAgam 21 Pushpika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 21, & agam_pushpika
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy