________________
૨/૪૬
૧૮૨
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
પર્વત છે, જ્યાં તીર્થકર ભગવંતનું શરીર છે, ત્યાં જ આવે છે. - x • x -
ત્યાં આવીને જે કરે છે, તે કહે છે - આવીને વિમના-ઊોકાકુળ મનવાળા, અશ્રુપૂર્ણ નયને તીર્થંકરના શરીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, પછી બહુ દૂર નહીં કે બહુ નીકટ નહીં તેવા ચયાસ્થાને શુશ્રુષા કરતા હોય તેમ, તે અવસરમાં પણ, ભક્તિના આવેશપણાથી ભગવંતના વચનના શ્રવણની ઈચ્છાથી અનિવૃત, ચાવતુ પદથી પંચાંગપ્રણામાદિ વડે નમસ્કાર કરતાં, મfખ - ભગવંતને લક્ષ્ય કરીને મુખ છે જેમનું તે, તથા વિનય - અંતર બહુમાનથી અંજલિ કરીને પૂર્વવતુ પર્યાપાસે - સેવે છે.
હવે બીજા ઈન્દ્રની વકતવ્યતા કહે છે – તે સ્પષ્ટ છે. વિશેષ એ – અજસિ - નિર્મળ જે અંબર વઅ-સ્વચ્છતાથી આકાશ સમાન વસ્ત્રો, તેને ધારણ કરે છે. ચાવતું શબ્દથી માળા મુગટ ધારી, નવા સુવર્ણના સુંદર ચંચળ કુંડળ ગાલ ઉપરતી. ફરી રહેલા હોય તેવા, મહાઋદ્ધ, મહાધુતિ, મહાબળ, મહાયશ, મહાનુભાવ, મહાસૌમ્ય, સુંદર શરીરી, લાંબી વનમાળાધારી, ઈશાનકલામાં ઈશાનઅવતંસક વિમાનમાં સૌધમ સભામાં ઈશાન સિંહાસને બેસીને...
- ૨૮ લાખ વિમાનો, ૮૦,૦૦૦ સામાનિકો, 33-ત્રાયઢિાંસકો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, 3,૨૦,ooo આત્મરક્ષક દેવો, બીજા ઈશાનકતાવાસી દેવો-દેવીનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહારકત્વ, આજ્ઞા-ઐશ્વર્ય સેનાપત્ય કરતો, પાળતો, મહા મહતયુક્ત ગીત, વાજિંત્ર, તંત્રી, તલ, તાલાદિના રવથી બધું સ્પષ્ટ છે.
વિશેષ એ કે - આનંતિ - યથાસ્થાને સ્થાપેલ માળા-મુગટ જેણે તે તથા નવા જ એવા સુવર્ણમય સુંદર ચિત્રકૃત, ચંચળ- અહીં તહીં ચાલતા એવા કુંડલો વડે જેના ગાલ વિલેખિત છે તેવો.
જે રીતે શક સૌધર્મેન્દ્ર પોતાના પસ્વિાર સાથે કહ્યો. તે રીતે ઈશાનેન્દ્ર પણ કહેવો. તે પર્યાપાસે છે સુધી જાણતું.
એ પ્રમાણે – શકના કથન મુજબ બધાં દેવેન્દ્ર-વૈમાનિકો અચ્યતેન્દ્ર સુધી આવે છે. કઈ રીતે ? નિજકપરિવાર - પોત પોતાના સામાનિકાદિ પરિવારની સાથે. ભગવંત શરીરની પાસે આવ્યા.
એ પ્રમાણે વૈમાનિકના પ્રકારથી ચાવતુ ભવનવાસી-દક્ષિણોત્તર ભવનપતિના વીશ ઈન્દ્રો આવે છે. અહીં ચાવત શબ્દ અન્ય કોઈ અંતર્ગત સંગ્રહનું સૂચક નથી. કેમકે સંગ્રહ ગ્રાહ્ય પદોનો અભાવ છે, પરંતુ સજાતીય ભવનપતિનું સૂચક છે.
વાણમંતર, વ્યંતરોના કાળ આદિ સોળ ઈન્દ્રો આવે છે. [શંકા સ્થાનાંગાદિમાં ૩૨-બંતરેન્દ્રો કહ્યા છે, અહીં ૧૬-કેમ કહ્યા ? [સમાધાન] મૂળભેદરૂપ ૧૬-મહર્તિક 'કાળ' આદિ ઈન્દ્રો લીધા છે, તેના અવાંતર ભેદ રૂ૫ ૧૬-‘અણપણી આદિ ઈન્દ્રો અલા ઋદ્ધિવાળા હોવાથી અહીં તેની વિવક્ષા કરેલ નથી અથવા આ સૂત્રકારની
વિચિત્ર પ્રવૃત્તિ છે, જે બીજે પ્રસિદ્ધ ભાવો, કોઈ આશય વિશેષથી સ્વયુગમાં સુકાર બાંધતા નથી. જેમ પ્રતિવાસુદેવો બીજે - આવશ્યક નિર્યુક્તિ આદિમાં ઉત્તમ પુરુષ રૂપે પ્રસિદ્ધ છે, છતાં ચોથા અંગમાં ચોપનમાં સમવાયમાં પ્રતિવાસુદેવને ઉત્તમ પુરુષ કહ્યા નથી.
ભરત અને ઐરાવત હોગમાં એક-એક અવસર્પિણીમાં ચોપન-ચોપન મહાપુરુષો ઉપજે છે, તે આ પ્રમાણે – ૨૪ તીર્થકરો, ૧ર-ચક્રવર્તી, ૯-બલદેવ, ૯-વાસુદેવ. પણ ઉપલક્ષણથી તે પણ ગ્રહણ કરવા.
જ્યોતિકોના બે ચંદ્રો, બે સૂર્યો છે, જાતિને આશ્રીને એક-એક ગણેલ છે. વ્યક્તિગત તો તે અસંખ્યાતા છે. નિજક પરિવાર - સહ વર્તી સ્વપરિકરવાળા ગણવા.
ત્યારપછી શક શું કરે છે ? તે કહે છે - ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક, તે ઘણાં ભવનપતિ આદિ દેવોને આમ કહે છે - જલ્દીથી અથ વિલંબરહિતપણે, ઓ દેવોનો પ્રિય ! અહીં રેવાન્ - સ્વામીને અનુકૂળ આચરણથી અનુરૂપ રહી ખુશ કરે તે દેવાનુપિય. નંદનવનથી સરસ સ્નિગ્ધ-રૂક્ષ નહીં તે ગોશી" નામનું શ્રેષ્ઠ ચંદન, તેના લાકડાં લાવો, લાવીને ત્રણ ચિતા કરાવો. એક તીર્થકર ભગવંતની, એક ગણધરની, એક બાકી રહેલા અણગારોની.
અહીં આ આવશ્યકવૃત્તિ આદિમાં કહેલ યિતા ચનાનો દિશા વિભાગ - નંદનવનથી લાવેલ ચંદનના લાકડા વડે ભગવંતને માટે પૂર્વમાં ગોળ ચિતા, ગણધરોને માટે પશ્ચિમમાં ચય ચિતા, બાકીના સાધને ઉતરમાં ચતય ચિતા દેવોએ કરી.
(શંકા) આવશ્યકાદિમાં ઈણાકૂણમાં બીજી યિતા કહી, અહીં ગણધરોને કેમ કહી ? [સમાધાન] અહીં પ્રધાનપણે ગણધરોના ઉપાદાનમાં પણ ઉપલાણથી ગણધર વગેરેની ઈવાકૂણામાં બીજી ચિતા જાણવી, તેમાં કોઈ આશંકા ન કરવી.
ત્યારપછી ચિતા રચના બાદ શક શું કરે છે ? તે કહે છે - તે સ્પષ્ટ છે, પછી ક્ષીરોદક મંગાવીને પછી તે શક શું કરે છે તે બતાવે છે - પછી શક્ર તીર્થકરના શરીરને ક્ષીરોદક વડે હવડાવે છે, પછી શ્રેષ્ઠ ગોશીપ ચંદન વડે અનુલેપન કરે છે, અનુલેપન કરીને હંસલક્ષણ - સ્વેત શાટક-વત્ર માન, તે એક વિશાળ પટ્ટ કહેવાય છે. તેવા હંસનામક પટશાટકને પહેરાવે છે. પછી સર્વાલંકારથી વિભૂષિત કરે છે.
ત્યારપછી તે ભવનપતિ આદિ દેવો ગણધરો અને અણગારોના શરીરોને તે પ્રમાણે જ કરે છે. માત - અખંડિત દિવ્ય એવા શ્રેષ્ઠ દેવદુષ્ય યુગલને પહેરાવે છે. બાકી વ્યસ્ત છે.
ત્યારપછી શકએ ભવનપતિ આદિને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જદીથી ઈહામૃગાદિના ચિત્રયુક્ત ત્રણ શિબિકાને વિદુર્વો ઈત્યાદિ સ્પષ્ટ છે.
ત્યારપછી શક ભગવંતના શરીરને શિબિકામાં આરોહે છે - મૂકે છે, મહામદ્ધિ વડે ચિતાના સ્થાને લઈ જઈને ચિતામાં સ્થાપન કરે છે, બાકી બધું સ્પષ્ટ જ છે.