________________
૨/૪૩
૧૫૩
વ્યસનના નિવર્તનથી, નરકના અતિથીપણાની નિવારકતાથી અને આલોક તથા પરલોકના સુખસાધકપણાથી પ્રશસ્ત જ છે, મહાપુરુષોની પ્રવૃત્તિ, બધે જ પરાર્થવ વ્યાપ્ત અને ઘણાં ગુણ-અકાદોષ કાર્ય-કારણની વિચારણા પૂર્વકના હોય છે. યુગની આદિમાં જગની વ્યવસ્થા પ્રથમ રાજા વડે જ થવી તે આચાર છે.
સ્થાનાંગનાં પાંચમા અધ્યયનમાં પણ કહ્યું છે – ધર્મમાં વિચરનારને પાંચ નિશ્રાસ્થાન કહેલાં છે - છક્કાય, ગણ, રાજા, ગાથાપતિ અને શરીર, તેની વૃત્તિમાં - રાજાની નિશ્રાને આશ્રીને, રાજા એટલે નરપતિ, તેનું ધર્મસહાયકત્વ દુષ્ટોથી સાધના રક્ષણ વડે કહ્યું છે એ પ્રમાણે પરમ કરૂણાવાળા ચિત્તથી પરમ ધર્મ પ્રવર્તક ત્રણ જ્ઞાનયુક્ત ભગવંતનું રાજધર્મ પ્રવર્તકપણું કંઈ પણ અનૌચિત્ય મનમાં ન ચિંતવવવું. * * * તેનો વિસ્તાર જિનભવન પંચાશક સૂત્રની વૃત્તિના યતના દ્વારમાં વ્યક્તરૂપે દશર્વિલ છે, તે જાણી લેવું. - ૮ -
અહીં ત્રીજા આરાને અંતે રાજ્ય સ્થિતિના ઉત્પાદમાં ધર્મસ્થિતિ ઉત્પાદ છે, પાંચમાં આરાને અંતે – “કૃત, સૂરિ, સંઘ અને ધર્મ પૂવહ્નિમાં વિચ્છેદ પામશે • x - ' એ વયનચી ધર્મસ્થિતિ વિચ્છેદમાં, રાજ્યસ્થિતિનો પણ વિચ્છેદ થશે, એ રીતે રાજયસ્થિતિનો ધર્મ સ્થિતિ હેતુપણે છે તેમ જાણવું.
ત્યારપછી ભગવંતે શું કર્યું ? કલાદિનો ઉપદેશ કરી ભરત, બાહુબલિ વગેરે સો પુત્રોને કોશલા, તક્ષશિલાદિ સો રાજ્યમાં સ્થાપે છે. અહીં શંક આદિ પ્રભંજન સુધીના ભરતના ૯૮ ભાઈના નામો પ્રસિદ્ધ હોવાથી લખેલ નથી. દેશના નામો ઘણાં અપ્રસિદ્ધ છે.
હવે ભગવંતનું દીક્ષા કલ્યાણક કહે છે – ૮૩ લાખ પૂર્વ રાજ્યમાં રહી - ગૃહવાસમાં વસે છે અર્થાત્ ગૃહસ્થ પયિ રહે છે. [અહીં હીર-વૃત્તિમાં કહે છે - a dખ પુર્વ મહારાજપણે વાસ કરે છે, તેમાં વસે છે, જો કે તેમ નથી, કેમકે ૨૦લાખ પૂર્વ કુમારવાસ મથે રહે છે અને ૬3-Gોખ પૂર્વ મહારાજાવાસ મથે વસે છે. અહીં ભાવિનો ભૂતવતુ ઉપચાર એ ન્યાયથી રાજ્યને યોગ્ય કુમાર રાજવહુ કુમારાવસ્થા પણ મહારાજાવાની જેમ વિવજ્ઞાણી સર્વ અવસ્થાને તેમ કહી છે.)
પૂર્વોક્ત વ્યાધિપતિકાર ન્યાયથી તીર્થકરોનું ગૃહવાસમાં પ્રવર્તન છે, તે સામાન્યથી યયોકત જ છે, તેમાં દોષ નથી અથવા “મહાન અરાણ જેમાં છે તેવો વાસ" એમ યોજવું. તે ભગવંતની અપેક્ષા વડે એ પ્રમાણે જ છે. આના વડે ૬૩-લાખ મહારાજ મધ્યે વસે છે, તે પૂર્વ વચનનો વિરોધ નથી વસ્યા પછી –
જે આ ગ્રીમનો પહેલો માસ, શ્રીમકાળ માસ મધ્યે પહેલો માસ, પહેલો પક્ષ તે ચૈત્ર કૃષ્ણ પક્ષ, તેની નવમી તિથિ-આઠમો દિવસ, તેમાં - આના વડે ‘ચૈત્રવેદ આઠમ' વાક્ય સાથે આગમમાં વિરોધ આવતો નથી અથવા વાયનાંતી નવમો પક્ષ - નવમી દિવસ, દિવસના-આઠમા દિવસના મધ્યદિનના ઉત્તરકાળમાં, જો કે દિવસ શબ્દ અહોરાત્રના અર્થમાં અન્યત્ર પ્રસિદ્ધ છે, તો પણ અહીં દિવસ • x • સૂર્યના
૧૫૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ચારનું વિશિષ્ટ કાળ વિશેષ ગ્રહણ કરવું. અન્યથા “દિવસના છેલ્લા ભાગે" એવો અર્થ થશે નહીં.
હિરણ્ય - ન ઘડેલ સુવર્ણ કે જત, સુવર્ણ-ઘડેલું સોનું, કોશ-ભાંડાગાર, કોઠાગાર • ધાન્યનું આશ્રયગૃહ, બલ-ચાતુરંગ સેના, વાહન-વેસરાદિ, ઘનગાય આદિ, કનક-સુવર્ણ, મૌક્તિક-આકાશાદિથી ઉત્પન્ન શુક્તિ, શંખદક્ષિણાવર્ત, શિલા-રાજપટ્ટાદિરૂ૫, પ્રવાલ-વિદ્યુમ, રકારન-પારાગ, ઈત્યાદિ સ્વરૂપનું જે સારરૂપ દ્રવ્ય, તેને છોડીને-મમત્વનો ત્યાગ કરીને, વિચ્છર્ધ - ફરી મમત્વ ન કરવા વડે, કઈ રીતે મમત્વ ત્યાગ? આ અસ્થિર હોવાથી જુગુપ્તા યોગ્ય છે એમ કહીને, નિશ્રાને ત્યજીને, કઈ રીતે? ગોમિકોને દઈને, ધનનો વિભાગ કરીને આપવા વડે, કેમકે ત્યારે અનાથ, માર્ગમાં યાચના કરનારા આદિનો અભાવ હતો, તેથી ગોગિક લીધાં, તેઓએ પણ મમત્વ રહિતતાથી ભગવંતની પ્રેરણાથી શેષ માત્ર સ્વીકાર્યું.
[અહીં આવશ્યકણિના સાક્ષીપાઠ સાથે હીરવૃતિમાં કહે છે – જે ગોરિકોને દાન, તે શેષા માત્ર જ છે, યાચના નથી. જે ઈચ્છિત યાચના કરનારને દાન, તે યાયકોને જ છે, બીજાને નથી. અહીં શંકા કરે છે કે - તીર્થકર આગળ માંગવામાં બાધા શું છે? - x • યાચના વિના નિવહકરણ સમર્થ ગૃહસ્થોને મહાપુરુષો પાસે યાચના કરવી અનુચિત છે, તેથી જ શ્રી મહાવીરદાન અધિકારમાં દાતાર વડે દાન' એ પદ યાચકના ગ્રહણને માટે અધિક કહ્યું છે ઈત્યાદિ - X - X - X -].
આ જગત ગુરુનો આચાર છે કે જે ઈચ્છા મર્યાદાયી દાન આપે છે, અને તેમની ઈચ્છાપૂર્તિ કરે છે. અહીં ઈચ્છા સંબંધી આશંકા - x " નો ઉત્તર આપતા કહે છે પ્રભુના પ્રભાવથી અપરિમિત ઈચ્છાનો તેમને અસંભવ છે. સુદર્શના શિબિકામાં બેઠા, ભગવંત કેવા વિશિષ્ટ લાગે છે? સ્વર્ગ-મૃત્યુ-પાતાલ લોક નિવાસી જન સહિતથી સમુદાય વડે સમ્યક્ અનુગમન કરતા, આવા પ્રભુના આગળના ભાગે શાંખિકાદિ અભિનંદન અને અભિસ્તવન કરતાં આગળ પ્રમાણે કહે છે.
તેમાં શાંખિકો - હાથમાં ચંદનગર્ભ શંખવાળા માંગલ્ય કરનારા કે શંખ વગાડનારા, ચાક્રિક-ચક જમાડનારા, લાંગલિક-ગળામાં લટકાવેલ સુવણિિદમય હળધારી ભટ્ટ વિશેષ, મુખમંગલિક-મીઠું બોલનાર, વર્લ્ડમાનકા-ખંભે મનુષ્યને બેસાડનાર, આગાયક-શુભાશુભકથા કહેનારા, લંખ-વાંસડા ઉપર ખેલનારા, મંખહાથમાં ચિત્ર ફલકવાળા, ઘાંટિક-ઘંટા વાદક - X - X - X - પાંચમાં રંગસૂત્રમાં જમાલિ ચસ્ત્રિમાં વિક્રમણ મહોત્સવ વર્ણનમાં શાંખિકાદિનું વર્ણન છે.
ઉપરોકત વિવક્ષિતોની વાણી દ્વારા અભિનંદાતા અને અભિખવાતા એમ જોડવું. વિવક્ષિતપણાને કહે છે -