________________
૨/૩૬,૩૭
૧૩૯
૧૪૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ઉલ્કાદંડ રૂ૫ છે, તે બીજાના શરીરે સંક્રાંત થઈ નાગમૂર્તિ થઈને પાશવ કરે ચે. તામસ બાણ - સકલ રણભૂમિ વ્યાપી મહાંધ તમસ રૂપપણે છે. પવનબાણ • તેવા પ્રકારના પવન સ્વરૂપપણે છે. વહિન બાણ - તેવા પ્રકારના વહિન પ્રકારથી પરિણત પ્રતિવૈરી વાહિનીમાં વિનોત્પાદક થાય છે. એ પ્રમાણે બીજામાં પણ સ્વ-સ્વ નામાનુસાર સ્વસ્વ જન્ય કાર્યને ઉત્પન્ન કરે છે.
અહીં વૃત્તિકારશ્રીએ ઉતાર્થ સૂચક બે ગાયા કહી છે.
મહાપુરુષ - છત્રપતિ આદિ, તેમનું પતન-કાળ ધર્મને પામે, તેથી જ મહારુધિરછત્રપતિ આદિનું લોહી, તેનું નિપતન-પ્રવાહપે વહન. તેનો ઉત્તર - એવું નથી. જેથી તે વૈરાનુબંધ-સંતાનભાવથી પ્રવૃતિ જેને નથી તેવા તે મનુષ્યો છે.
દુષ્ટ-લોકોના ધાન્યાદિ ઉપદ્રવ હેતુત્વથી, ભૂતસવ, ઉંદ-શલભ વગેરે ઈતિ, કુળરોગ-ગ્રામરોગ-મંડલરોગ અનુક્રમે ઘણાં સ્થાનવ્યાપી છે. પોઃ-દેશીશબ્દ છે, તેનો અર્થ ઉંદર છે. શીર્ષ-મસ્તક, તેની વેદના. એ રીતે કણદિ વેદના, કાસ-શ્વાસાદિરોગમાં શૌષ-ક્ષયરોગ, અર્શ,-ગુદાંકુર, મસા. દકોદ-જળોદર, પાંડુરોગાદિ પ્રસિદ્ધ છે. એકાહિક - જે તાવ એક દિનના અંતરે આવે છે. એ પ્રમાણે હયાહિક આદિ જાણવું. ઈન્દ્રગ્રહ આદિ ઉન્મતતાના કારણરૂપ વ્યંતરાદિ દેવકૃત ઉપદ્રવ, ધનુર્રહ-સંપ્રદાયથી જાણવું, મસ્તક શૂળાદિ પ્રસિદ્ધ છે. મારિ-યુગપત્ રોગ વિશેષાદિથી ઘણાંના મરણ થવા. ચાવતુ શબ્દથી નગરમારિ આદિ ગ્રહણ કરવા. પ્રાણિ ક્ષય - ગાય આદિનો ક્ષય, જન ક્ષય - મનુષ્ય ક્ષય, કુળક્ષય - વંશક્ષય.
ઉક્ત રોગાદિ કેવા છે ? વ્યસનભૂત- લોકોને આપત્તિરૂપ, અનાર્ય-પાપાત્મક. અહીં કહે છે કે - આમાંનું કશું નથી, કેમકે તેઓ રોગરહિત છે. - ચિરસ્થાયી કુષ્ઠાદિ આતંક - તે મનુષ્યો ઉક્ત રોગાદિ હિત કહેલાં છે.
હવે એમની ભવસ્થિતિ પૂછે છે – • સૂર-૩૮ :
ભગવન! તે સમયે ભરતક્ષેત્રના મનુષ્યોની કેવી કાલ સ્થિતિ કહેલી છે ? ગૌતમ! જઘન્યથી દેશોન ત્રણ પલ્યોપમ, ઉકૃષ્ટથી દેશોન કણ પલ્યોપમ છે.
ભગવના તે સમયે ભરતક્ષેત્રના મનુષ્યોના શરીરની કેટલી ઉંચાઈ કહેલી છે ? ગૌતમ! જધન્યથી ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ગાઉં.
ભગવન્! તે મનુષ્યો કેવા સંઘયણવાળા કહiા છે ? ગૌતમ ! વજ8ષભનારાય સંઘયણવાળા કહ્યા છે.
ભગવન! તે મનુષ્યોના શરીર કેવા સંસ્થાને કહેલ છે ? ગૌતમ સમચતુરસ્ત્ર સંસ્થાને સંસ્થિત છે.
હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યોને ર૫૬-પૃષ્ઠ કરંડકો કહેલા છે.
ભગવન્! તે મનુષ્યો મૃત્યુના અવસરે, મૃત્યુ પામી જ્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! છ માસ આયુ બાકી રહેતા એક યુગલને જન્મ આપે છે, ૪૯ અહોરમ તેમનું સંરક્ષણ અને સંશોધન કરે છે. તેમ કરીને ખાંસી-છીક
કે બગાસુ આવતા કષ્ટરહિત, વ્યથા રહિત, પરિતાપ રહિતપણે મૃત્યુ અવસરે મૃત્યુ પામીને દેવલોકમાં ઉપજે છે તે મનુષ્યો દેવલોક પરિગ્રહા-સ્વર્ગમાં જન્મનાર કહેલ છે.
ભગવન તે સમયે ભરતક્ષેત્રમાં કેવા પ્રકારના મનુષ્યો હોય છે? ગૌતમ ! છ પ્રકારના મનુષ્યો કહેલા છે. તે આ પ્રમાણે - પાગંધી, મૃગાંધી, અમમ, તેજસ્વી, સહનશીલ અને છઠ્ઠા શનૈશ્ચારી મનુષ્યો હોય છે.
• વિવેચન-૩૮ :
પ્રાયઃ આ છ કંઠ્ય છે. વિશેષ એ કે દેશોન ત્રણ પલ્યોપમ સ્થિતિ યુગલિનીની જાણવી. તે દેશ અહીં પલ્યોપમના અસંખ્યાત ભાગરૂપ જાણવો. જેમકે જીવાભિગમમાં કહ્યું છે કે – “દેવકુર અને ઉત્તરકુરુ કર્મભૂમિની મનુષ્યસ્ત્રીની સ્થિતિ, ભગવન ! કેટલા કાળની કહી છે? ગૌતમ ! દેશોન ત્રણ પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ.
- હવે અવગાહનાને પૂછતા કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે દેશોન ત્રણ ક્રોશ, તે પણ યુગલિનીને આશ્રીને છે. “ઉંચાઈમાં મનુષ્યોથી થોડી ચૂત ઉંચાઈવાળી" એ વચનથી. જો કે ૬૦૦૦ ધનુષ ઉંચાઈવાળી, એમ પૂર્વસૂઝથી તેની અવગાહના પ્રાપ્ત થાય છે, તો પણ જઘન્ય અને ઉત્કૃષ્ટનો ભેદ જણાવવા કરી અવગાહના સૂત્ર કહેલ છે.
હવે તેમનું સંહનન કેવું છે ? - x • તે મનુષ્યો વજsષભનારાજ કહેલા છે. સંસ્થાના સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – સંસ્થિત એટલે તેમનું સંસ્થાન. જો કે પૂર્વ વર્ણક સૂત્રમાં વિશેષણ દ્વારા એમના સંહતનાદિ કહેલ છે, તો પણ તે કાળે વર્તતા બધાંના સંહનાનાદિની માત્રાને જણાવવાનું આ સૂત્રનો પ્રશ્નોત્તર પદ્ધતિથી નિર્દેશ કરેલ છે, તેથી પુનરુક્તિની શંકા ન કરવી.
હવે આગળ આવનાર પૃષ્ઠ કરંડક માં – “તે મનુષ્યોને કેટલાં પૃષ્ઠ કરંડક કહ્યા છે ? અહીં પ્રશ્ન સત્રાંશ અધ્યાહાર છે. તેમના પૃષ્ઠ કરંડક શત - પૂર્વોક્ત સ્વરૂપવાળા કેટલાં છે ? ભગવંત કહે છે - બસો છપ્પન પૃષ્ઠ કરંક કહેલાં છે.
તે મનુષ્યો કાળ-મરણના માસે-જે કાળ વિશેષમાં અવશ્ય કાળધર્મ પામે, તે કાળને કરીને, માસના ઉપલક્ષણથી કાળદિવસે ઈત્યાદિ જાણવું. ક્યાં જાય છે - ક્યાં ઉત્પન્ન થાય છે ? એવા બે પ્રશ્ન છતાં પણ “દેવલોકમાં ઉત્પન્ન થાય છે,” એમ એક જ ઉત્તર છે. ગમન પૂર્વકવથી ઉત્પાદના ઉત્પાદ નામથી ગમત સામર્થ્યથી જાણવું. એવો આશય છે અથવા ગતિ એટલે દેશાંતર પ્રાપ્તિ થાય છે,” કયા જાય છે ?” એ પણ પયય વડે કહે છે - ઉત્પત્તિ ધર્મવાળા થાય છે, તેથી જ ઉત્તર સૂત્રમાં ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું.
ભગવંતે કહ્યું - ગૌતમ ! છ માસ આયુ બાકી રહેતા, પર-ભવના આયુનો બંધ કરે છે. તેમ જાણવું. એક યુગલને જન્મ આપે છે. આમને આયુના ત્રણ ભાગ