SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૧ ૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાહુલ્ય જાણવું, પણ તેવા પ્રકારના શુભ ભાવજનિત હોવાથી એકાંત સુષમાદિ કાળમાં તેમ ન હોય. - X - અટવી-જનનિવાસ સ્થાનથી ઘણી દૂર ભૂમિ, શ્વાપદ-હિંસક જીવ, સ્તન-ચોર, તક-સર્વદા ચોરી કરનાર, ડિંબ-સ્વદેશમાં થતો વિપ્લવ. ડમર-પરાજાગૃત ઉપદ્રવ, દુર્મિક્ષ-ભિક્ષાચરોને ભિક્ષાની દુર્લભતા, દુકાળ-ધાન્યનું મોંઘાપણું આદિ દુષ્ટકાળ. પાખંડ-પાખંડી જન વડે સ્થાપિત મિથ્યાવાદ, વનીપકચાચક, ઇતિ-ધાન્યાદિ ઉપદ્રવકારી શલભ-મૂષકાદિ. મારિ-મરકી, કુવૃષ્ટિ-કૃસિત વૃષ્ટિ, ખેડૂત લોકોને ન ગમે તેવો વરસાદ. અનાવૃષ્ટિ-વર્ષાનો અભાવ, સજા-આધિપત્ય કરનાર, જે પ્રજાને પીડાકારી હોય. સંક્ષોભ-ચિત્તની અનવસ્થિતતા - ૪ - આ બધાં વિશેષણ ભરતના છે તે પ્રજ્ઞાપકની અપેક્ષાથી મધ્યકાલીન અનુભાવ જ વર્ણવેલ છે. તેના વડે ઉતરસંગમાં એકાંત સુષમાદિમાં બહુસમરમણીયત્વ અતિનિગ્ધત્વ આદિ છે એકાંત દુઃશ્વમાદિમાં નિવનસ્પતિકવ, અરાજવાદિ છે, તેથી હવે કહેવાનાર (કથન) વિરોધી નથી. દિશા વિવક્ષામાં પ્રાચીન એટલે પૂર્વ - x • પૂર્વ પશ્ચિમ લાંબુ. ઉત્તર-દક્ષિણા પહોળું. • x • હવે તે જ સંસ્થાનચી વિશેષિત કરે છે. ઉત્તર દિશામાં પથંક માફક સંસ્થાન જેનું છે કે, દક્ષિણ દિશામાં આરોપિત-જાના ધનુષ - કોદંડના પૃષ્ઠપાશ્ચાત્ય ભાગ, તેની જેમ સંસ્થાન જેનું છે તે. તેથી આ ધનુપૃષ્ઠ શરજીવા બાહાનો સંભવ છે. આનું સ્વરૂપ સ્વ-સ્વ અવસરે નિરૂપિત કરાશે. વિધા-પૂર્વ કોટિ ધનુ:પૃષ્ઠ પર કોટિ વડે લવણસમુદ્ર • ક્રમથી પૂર્વ-દક્ષિણ-અપર લવણસમુદ્ધ અવયવને સ્પર્શે છે • x • અથતિ પૂર્વકોટિ વડે પૂર્વ લવણસમુદ્ર ધનુપૃષ્ઠથી દક્ષિણલવણસમુદ્રને અપસ્કોટિ વડે પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શીને રહેલ છે. હવે આને છ ખંડ વિભાજન દ્વારા વિશેષિત કરે છે - ગંગા, સિંધુ મહાનદી વડે અને વૈતાઢ્ય પર્વત વડે જ સંખ્યા ભાગ થાય અથ અનંતરોક્ત ત્રણ વડે દક્ષિણ-ઉત્તરના પ્રત્યેકના ત્રણ ખંડ કરવાથી ભરતના છ ખંડ કરેલાં છે. ધે જ જંબૂદ્વીપના એકદેશભૂત ભરત છે, તો વિભથી કેટલામાં ભાગે તે કહેવાય ? જંબૂદ્વીપ દ્વીપના વિર્કમનો ૨૯૦મો જે ભાગ, તેમાં છે. હવે ૧૯૦માં ભાગમાં કેટલાં યોજનો છે તે કહે છે . પ૨૬ યોજન અને એક યોજનનો ૬/ર૧ ભાગ. શું અર્થ છે ? જેવો ૧લ્માં ભાગ સમુદિત વડે યોજન થાય, તેવા છ ભાગો. • x • અહીં એક સ્થાપના - પ૨૬૬/૧૯ તેનો ભાવ આ પ્રમાણે - જંબૂદ્વીપના વિસ્તારના લાખ યોજન રૂપના ૧૯૦ ભાગથી પ્રાપ્ત. ૧૨૬/૬/૧૯ યોજન. આટલો જ ભરતક્ષેત્રનો વિસ્તાર છે. (શંકા) ભાજઠરાશિ ૧૦ રૂ૫ છે. છ ભાગ યોજન વડે ૧૯ કળારૂપ છે. તે વિદેશ સમાન લાગે છે. [સમાધાન ગણિતનિપુણને બધું સુજ્ઞાન જ છે. તે આ રીતે - જંબદ્વીપનો વ્યાસ લાખ યોજન છે. તેને ૧૯૦ વડે ભાગ દેતાં શેષ-૬0-વધે છે. ૬૦ને ૧૯0 વડે ભાંગી ન શકાય, તેથી ભાજય-ભાજક સશિ ૬/૧૯૦ને ૧૦ વડે છેદ કરતાં ૬/૧ ભાજ્ય સશિ-૬, ભાજક સશિ-૧૯ આવે છે. (શંકા) ૧૯૦ રૂ૫ ભાજક અંકની ઉત્પત્તિમાં બીજ શું છે ? ઉત્તરએક ભાગ ભરતનો, બે ભાગ હિમવતના-કેમકે પૂર્વક્ષેત્રથી બમણું છે. ચાર હૈમવંત ફોનના - કેમકે પૂર્વ વર્ષધરથી બમણાં છે, આઠ મહાહિમવંતના, ૧૬-હરિવર્ષના, ૩ર-નિષધના એ બધાં મળીને ૬૩-ભાણ થયા. આ મેરથી દક્ષિણે થયા. એ રીતે ઉત્તર તરફ પણ ૬૩ ભાગ થશે અને વિદેહ ક્ષેત્રના ૬૪-ભાગ થાય. તેથી ૬3+૬૪+૬૩=૧૯૦ થશે. સર્વ પ્રમાણથી આટલા ભાગો વડે દક્ષિણથી-ઉત્તરથી જંબૂદ્વીપ લાખ યોજનથી પૂરિત થાય છે. તેથી ૧૯૦ વડે ભાગ દીધો. હવે જે કહ્યું કે – ગંગા, સિંધ, વૈતાઢ્યથી છ ભાગ થાય છે. તે પૈતાના સ્વરૂપની પ્રરૂપણા કરવા કહે છે - ભરતના બહુમધ્ય દેશ ભાગમાં વૈજયંતદ્વારથી ત્રણ કળા અધિક ૨૩૮ યોજન અતિકમી ૫૦-યોજન ખંડમાં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે. તે ભરતક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરે છે. * * * * * તેમાં આદિમાં નીકટપણાથી દક્ષિણાદ્ધ ભરતનો પ્રશ્ન - • સૂત્ર-૧૨ : ભગવાન ! જંબુદ્વીપ દ્વીપમાં દક્ષિણપદ્ધ ભરત નામે ક્ષેત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ વૈતાઢય પર્વતની દક્ષિણથી દક્ષિણી લવણ સમુદ્રની ઉત્તરથી પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમથી, પશ્ચિમ લવણ સમુદ્રની પૂવથી આ જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણદ્ધિ ભરત નામે વક્ષેત્ર કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે, આધચંદ્ર સંસિયાન સંસ્થિત છે. ત્રણ સ્થાને લવણસમુદ્રને ઋષ્ટ છે. ગંગા અને સિંધુ મહાનદી ત: ત્રણ ભાગમાં વિભકત છે. દક્ષિણદ્ધ ભરત ક્ષેત્ર ૩૮ યોજન અને એક યોજનના ૧૯ ભાગ વિષ્ઠભણી છે. તેની જીવા ઉત્તરથી પૂર્વ-પશ્ચિમ લાંબી લવણસમદ્રને બે સ્થાને સ્પષ્ટ છે, પૂર્વ કોટિણી પૂર્વના લવણ સમુદ્રને ઋષ્ટ છે, પશ્ચિમ કોડીથી પશ્ચિમના લવણસમુદ્રને પૃષ્ટ છે. - દક્ષિણદ્ધ ભરતોત્ર-૯૭૪૮-વ્યોજન અને એક યોજનના ૧૨/૧૯ ભાગ લભાઈથી તેનું દાનુપૃષ્ઠ, દક્ષિણથી ૯૭૬૬ યોજના અને એક યોજનનો "/૧૯ ભાગથી કંઈક વિશેષાધિક પરિક્ષેપથી કહેલ છે. ભગવદ્ ! દક્ષિણદ્ધિ ભરતક્ષેત્રના કેવા પ્રકારે આકાર-ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુર યાવ4 વિવિધ પંચવણ મણી અને તૃણ વડે ઉપશોભિત છે. તે આ રીતે કૃત્રિમ અને અકૃત્રિમ વડે. ભગવન / દાક્ષિણાદ્ધ ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા આકાર ભાવ પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યોના સંઘયણ, સંસ્થાન, ઉરચવાયયિ અને આયુ પયયિો ઘણાં પ્રકારે છે. ઘણાં વર્ષો આયુને પાને છે, પાળીને કેટલાંક મનુષ્પો
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy